September 1, 2026
Vartman Pravah
Breaking Newsનવસારી

આજથી દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ

  • શ્રાદ્ધ પક્ષ હોવાથી મોટાભાગે 7 અને 8મી ઓક્‍ટોબરે ઉમેદવારોનો ધસારો રહેવાની સંભાવના

    કેન્‍દ્રમાં બહુમતિ સરકાર હોવાથી માત્ર ઔપચારિક બની રહેનારી દાનહ લોકસભા બેઠકની ચૂંટણીઃ વિજેતા ઉમેદવારને પણ મળશે માંડ બે વર્ષનો સમયગાળો

    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
    સેલવાસ, તા. 30
    આવતી કાલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો પણ આરંભ થશે.
    હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો હોવાથી મોટાભાગે ઉમેદવારી પત્રક નવરાત્રિના પ્રથમ દિવસ એટલે કે, 7મી ઓક્‍ટોબર અને ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસ 8મી ઓક્‍ટોબરે ઉમેદવારોનો ધસારો રહેશે.
    હાલમાં દાદરા નગરહવેલી લોકસભાની પેટા ચૂંટણી માત્ર ઔપચારિક જેવી બની ચુકેલી દેખાય છે. કારણ કે, મોટાભાગે મતદારોનો ઝોક કેન્‍દ્રમાં જેમની સરકાર હોય તેમની સાથે જવાનો રહેતો હોય છે. દાનહમાં 7 ટર્મના સાંસદ મોહનભાઈ ડેલકરે કોઈ દુર્ભાગ્‍યની પળે પોતાની જીંદગી ટૂંકાવવા લીધેલા નિર્ણયના કારણે આ બેઠક ખાલી પડી હતી.
    ચૂંટણીની ગતિવિધિ જેમ જેમ જોર પકડશે અને ઉમેદવારોના ચહેરા બહાર આવશે તેમ તેમ વાતાવરણ ગરમ અને સ્‍પષ્‍ટ બનતુ જશે. હાલમાં મતદારોના મનને કળવું મુશ્‍કેલ છે. કેટલા ઉમેદવારો મેદાનમાં આવે તેના ઉપર પણ ચૂંટણીનું ગણિત મંડાશે. પરંતુ વિજેતા બનનાર સાંસદને હવે પછીના લગભગ માંડ બે વર્ષ જેટલો જ સમય મળવાનો હોવાથી કેટલા થનગનભૂષણો તૈયાર થાય તેના ઉપર પણ તમામની નજર મંડાયેલી છે.

Related posts

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કોરોના રસીકરણ અભિયાન પૂર્ણ

vartmanpravah

કોરોનાના વધતા સંક્રમણને લઈ પ્રશાસનનો મોટો નિર્ણય : આગામી રવિવારથી વલસાડમાં રવિવારી બજાર બંધ

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાપીની મેરિલ કંપનીમાં મેડિકલ ડિવાઈસના નવા મેન્યુફેક્ચર પ્લાન્ટનું વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરાયેલું ઉદ્ઘાટન

vartmanpravah

દાનહના કિલવણી ગામે વરસાદી માહોલને કારણે રસ્‍તાની હાલત બદતર

vartmanpravah

…અને દાનહના ડુંગરાળ તથા અંતરિયાળ જંગલ વિસ્‍તાર રાંધાની કન્‍યાઓ ઈન્‍ટરનેટ સાથે જોડાઈ ડિજિટલ ઈન્‍ડિયાનો હિસ્‍સો બની

vartmanpravah

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે શિવસિંધુ મહોત્‍સવ યોજાશે

vartmanpravah

Leave a Comment