Vartman Pravah
Breaking Newsનવસારી

આજથી દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ

  • શ્રાદ્ધ પક્ષ હોવાથી મોટાભાગે 7 અને 8મી ઓક્‍ટોબરે ઉમેદવારોનો ધસારો રહેવાની સંભાવના

    કેન્‍દ્રમાં બહુમતિ સરકાર હોવાથી માત્ર ઔપચારિક બની રહેનારી દાનહ લોકસભા બેઠકની ચૂંટણીઃ વિજેતા ઉમેદવારને પણ મળશે માંડ બે વર્ષનો સમયગાળો

    (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
    સેલવાસ, તા. 30
    આવતી કાલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો પણ આરંભ થશે.
    હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો હોવાથી મોટાભાગે ઉમેદવારી પત્રક નવરાત્રિના પ્રથમ દિવસ એટલે કે, 7મી ઓક્‍ટોબર અને ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસ 8મી ઓક્‍ટોબરે ઉમેદવારોનો ધસારો રહેશે.
    હાલમાં દાદરા નગરહવેલી લોકસભાની પેટા ચૂંટણી માત્ર ઔપચારિક જેવી બની ચુકેલી દેખાય છે. કારણ કે, મોટાભાગે મતદારોનો ઝોક કેન્‍દ્રમાં જેમની સરકાર હોય તેમની સાથે જવાનો રહેતો હોય છે. દાનહમાં 7 ટર્મના સાંસદ મોહનભાઈ ડેલકરે કોઈ દુર્ભાગ્‍યની પળે પોતાની જીંદગી ટૂંકાવવા લીધેલા નિર્ણયના કારણે આ બેઠક ખાલી પડી હતી.
    ચૂંટણીની ગતિવિધિ જેમ જેમ જોર પકડશે અને ઉમેદવારોના ચહેરા બહાર આવશે તેમ તેમ વાતાવરણ ગરમ અને સ્‍પષ્‍ટ બનતુ જશે. હાલમાં મતદારોના મનને કળવું મુશ્‍કેલ છે. કેટલા ઉમેદવારો મેદાનમાં આવે તેના ઉપર પણ ચૂંટણીનું ગણિત મંડાશે. પરંતુ વિજેતા બનનાર સાંસદને હવે પછીના લગભગ માંડ બે વર્ષ જેટલો જ સમય મળવાનો હોવાથી કેટલા થનગનભૂષણો તૈયાર થાય તેના ઉપર પણ તમામની નજર મંડાયેલી છે.

Related posts

રોકાણકારોને કરોડોનો ચુનો ચોપડનાર ચીખલી મજીગામના સમર ગ્રુપના બે ડિરેક્‍ટરો અને એક કર્મચારીના ત્રણ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિ ઋતુનો ડિજિટલ સર્વે અંગે જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને ડિસ્‍ટ્રીક્‍ટ વોટર એન્‍ડ સેનિટેશન મિશનની બેઠક મળી

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી લિ.એ આગામી ટ્રાફિક વિભાગના પ્રશિક્ષણ માટે કરાયું ‘એક લોન્‍ચ ઈવેન્‍ટ’નું આયોજન

vartmanpravah

લોકસભાની પેટા ચૂંટણીના પરિણામના એક વર્ષ બાદ દાનહ સાંસદ કલાબેન ડેલકરથીમોહભંગ બની રહેલા લોકોઃ પ્રદેશની સમસ્‍યાને સ્‍થાનિક યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર રજૂ કરવા રહેલા નિષ્‍ફળ

vartmanpravah

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah

Leave a Comment