April 30, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04
દાનહ વનવિભાગ દ્વારા વન્‍ય જીવન સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે. સપ્તાહ ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે ડિયર પાર્ક ખાતે શાળાના વિદ્યાર્થીઓને ે વન્‍ય જીવન અને વન્‍ય પ્રાણીઓ અંગે મહત્‍વની વિગતો આપી હતી.સોમવારે સેલવાસમાં આવેલ નક્ષત્ર ગાર્ડન ખાતે નિબંધ સ્‍પર્ધાનુ આયોજન કરવામા આવ્‍યું હતું.
દર વર્ષે 2 ઓક્‍ટોબરથી 8મી ઓક્‍ટોબર દરમ્‍યાન વનવિભાગ દ્વારા વાઈલ્‍ડ લાઈફ વિકનું આયોજન કરવામા આવે છે. જે અંતર્ગત ઘેઘુર વનરાજી અને વન્‍ય પ્રાણી અભ્‍યારણ્‍ય ધરાવતા દાદરા નગર હવેલી ખાતે પણ વિવિધ પ્રવળતિના આયોજન કરવામા આવ્‍યા છે.
જે અંગે દાનહ વનવિભાગના રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર શ્રી કિરણ પરમારે વિગતો આપી હતી કે વાઈલ્‍ડ લાઈફ વિક અંતર્ગત પ્રથમ દિવસે ડિયર પાર્ક અને લાયન સફારીમાં બાળકોને સહેલ કરાવી વન્‍ય જીવો અને વન્‍ય જીવન અંગે માર્ગદર્શન આપવામા આવ્‍યું હતું. જ્‍યારે સોમવારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દાદરા નગર હવેલી વનવિભાગ દરવર્ષે આ વિકનું આયોજન કરે છે વાઈલ્‍ડ લાઈફને પ્રમોટ કરવાના ઉદ્દેશ્‍યથી આ આયોજન કરવામા આવે છે.જેમાં વિદ્યાર્થીઓ માટે સ્‍લોગન ક્‍વિઝ કોમ્‍પિટિશન, કોલેજના વિદ્યાર્થીઓ માટે નેચર ટ્રેકિંગ સહિતની પ્રવળત્તિઓનું આયોજન કરવામા આવે છે, જેમાં દાદરા નગરની 50 જેટલી સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.
દાદરા નગર હવેલીમા ડ્રાય ડેસીડયસ ફોરેસ્‍ટ છે જેમા સાગ, સિસમ, મહુડો, સાદડ જેવા વળક્ષોનું વાવેતર અને માવજત કરવામા આવે છે. એ ઉપરાંત લાયન સફારી પાર્કમા ગિરજા સિંહણ છે. દપાડા ડિયર પાર્ક ખાતે હરણ, ચિત્તલ પ્રકારના પ્રાણીઓ ઉપરાંત પક્ષીઓ માટેનુ રક્ષિત અભ્‍યારણ્‍ય છે મીની ઝૂ બટરફલાય પાર્ક સહિતના પાર્ક છે નક્ષત્ર આધારિત નક્ષત્ર વન છે જેની મુલાકાત માટે વર્ષમાં એકાદ લાખ પ્રવાસીઓ આવે છે.
ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ વન્‍ય જીવનને જાણે પ્રકળતિની જાળવણી માટે જાગળત બને તેવા ઉદ્દેશ્‍યથી આયોજિત વાઈલ્‍ડ લાઈફ વિકમાં આયોજિત વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન રૂપે વન્‍ય જીવ, વન્‍ય જીવન પર લખેલા પુસ્‍તકો, વન્‍ય પ્રાણીઓના ફોટોગ્રાફસ પરની બુક પુરરકાર રૂપે આપવામા આવશે. એક સપ્તાહ સુધી ચાલનારા આ વન્‍ય જીવન સપ્તાહમાં વિદ્યાર્થીઓ ઉત્‍સાહભેર ભાગ લઈ રહ્યા છે.

Related posts

ધનતેરસના દિને પ્રદેશના લોકો સોના-ચાંદીની દુકાનમાં સોના-ચાંદીની ખરીદી માટે ભીડ

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોની અનિયમિતતાથી બાળકોને પુરતું શિક્ષણ મળતું નથી

vartmanpravah

યુક્રેનમાં ફસાયેલા સંઘપ્રદેશના ત્રણ વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલા ઉચ્‍ચ સ્‍તરીય પ્રયાસો

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસ ઉજવણી ઉપક્રમે વાપીમાં વિવિધ સેવા કાર્યો યોજાશે

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને વાસોણા ગામે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા

vartmanpravah

સૌથી નાની વયે સરપંચ બનવાના ધરમપુરના ઈતિહાસના પાને નામ નોંધાવતી પ્રવિણાબેન

vartmanpravah

Leave a Comment