September 10, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11
નાની દમણના કચીગામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સ્‍ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત નેજા હેઠળ રવિવારે ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ પર એક દિવસીયકાનૂની સાક્ષરતા અને જાગળતિ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ શિબિરમાં વિશિષ્‍ટ જરૂરિયાતમંદ ધરાવતા બાળકો અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો, જ્‍યાં દમણના મુખ્‍ય ન્‍યાયિક મેજિસ્‍ટ્રેટ શ્રી અમિત પી.કોકાટે અને તજજ્ઞો દ્વારા માનસિક આરોગ્‍ય અને વિકલાંગતાના ક્ષેત્રમાં કાયદાના નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્‍ય-કમ-સચિવ અને મુખ્‍ય ન્‍યાયિક મેજિસ્‍ટ્રેટ શ્રી અમિત પી. કોકાટેએ જણાવ્‍યું હતું કે, માનસિક આરોગ્‍ય ટીમ કચીગામ હોસ્‍પિટલમાં સતત માનસિક આરોગ્‍ય ક્ષેત્રે કાર્યરત છે. આરોગ્‍ય ક્ષેત્રમાં જ્‍યાં સુધી બની શકે ત્‍યાં સુધી વિશેષ જરૂરિયાતવાળા બાળકોને અને વાલીઓને સુવિધાઓ આપવા માટે સતત પ્રયત્‍નશીલ છે. તેમણે વાલીઓને જણાવ્‍યું હતું કે, અમે માત્ર સરકારી યોજનાઓ વિશે જાણકારી મેળવી બાળકોને સરકારી સુવિધાઓનો લાભ આપી શકીએ છીએ. વિશિષ્‍ટ બાળકો માટે માતા-પિતાઓએ જાગૃત રહેવુ અને તેમની જરૂરિયાતોને સમજવી ખુબ જ જરૂરી છે.

Related posts

ધરમપુર આવધા ઘાટ રોડ ઉપર રોડ માર્જિનમાં આવેલ ઝાડ સાથે બાઈક ભટકાતા ઉથલપાડાના યુવકનું મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હકારાત્‍મક અને સંવેદનશીલ અભિગમથી પ્રભાવિત બનેલા દાનહ જિ.પં.ના સભ્‍યો

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોધાયા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિત કુમારની વર્લ્‍ડ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે પસંદગી

vartmanpravah

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં સરકારી અધિકારીઓ અને નેતા વ્‍યસ્‍ત રહેતા વિકાસ કાર્યો ટલ્લે ચઢયા

vartmanpravah

વાપી-દમણ-સરીગામમાં રાહદારીઓના મોબાઈલ ખેંચી તરખાટ મચાવતી ગેંગના 2 સ્‍નેચરો ઝડપાયા

vartmanpravah

Leave a Comment