April 19, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11
નાની દમણના કચીગામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સ્‍ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત નેજા હેઠળ રવિવારે ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ પર એક દિવસીયકાનૂની સાક્ષરતા અને જાગળતિ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ શિબિરમાં વિશિષ્‍ટ જરૂરિયાતમંદ ધરાવતા બાળકો અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો, જ્‍યાં દમણના મુખ્‍ય ન્‍યાયિક મેજિસ્‍ટ્રેટ શ્રી અમિત પી.કોકાટે અને તજજ્ઞો દ્વારા માનસિક આરોગ્‍ય અને વિકલાંગતાના ક્ષેત્રમાં કાયદાના નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્‍ય-કમ-સચિવ અને મુખ્‍ય ન્‍યાયિક મેજિસ્‍ટ્રેટ શ્રી અમિત પી. કોકાટેએ જણાવ્‍યું હતું કે, માનસિક આરોગ્‍ય ટીમ કચીગામ હોસ્‍પિટલમાં સતત માનસિક આરોગ્‍ય ક્ષેત્રે કાર્યરત છે. આરોગ્‍ય ક્ષેત્રમાં જ્‍યાં સુધી બની શકે ત્‍યાં સુધી વિશેષ જરૂરિયાતવાળા બાળકોને અને વાલીઓને સુવિધાઓ આપવા માટે સતત પ્રયત્‍નશીલ છે. તેમણે વાલીઓને જણાવ્‍યું હતું કે, અમે માત્ર સરકારી યોજનાઓ વિશે જાણકારી મેળવી બાળકોને સરકારી સુવિધાઓનો લાભ આપી શકીએ છીએ. વિશિષ્‍ટ બાળકો માટે માતા-પિતાઓએ જાગૃત રહેવુ અને તેમની જરૂરિયાતોને સમજવી ખુબ જ જરૂરી છે.

Related posts

વિશ્વ પ્રસિદ્ધ કથાકાર ભરતભાઈ વ્‍યાસની મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના પટાંગણમાં આયોજીત શિવ કથાએ લોકોમાં જગાવેલો દિવ્‍ય ભાવ

vartmanpravah

દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખે છેતરપિંડી સંદર્ભે સતર્ક રહેવા લોકોને કરેલી તાકીદ

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્રના જવ્‍હાર તાલુકાના દાભલોનથી પાસ પરમિટ અને રોયલ્‍ટી વગરના પથ્‍થરો કપચી ઠાલવવાનો ચાલી રહેલો મોટો ગોરખધંધો

vartmanpravah

સરીગામ સીઇટીપીની પાઇપલાઇનનો મુદ્દો ફરી ચર્ચામાં

vartmanpravah

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

vartmanpravah

રોટરી ક્‍લબ દમણે જરૂરિયાતમંદ ફેરિયાઓને તડકા અને વરસાદ સામે રક્ષણ માટે આપેલો ‘રોટરીનો છાંયડો’

vartmanpravah

Leave a Comment