January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11
નાની દમણના કચીગામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સ્‍ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત નેજા હેઠળ રવિવારે ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ પર એક દિવસીયકાનૂની સાક્ષરતા અને જાગળતિ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ શિબિરમાં વિશિષ્‍ટ જરૂરિયાતમંદ ધરાવતા બાળકો અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો, જ્‍યાં દમણના મુખ્‍ય ન્‍યાયિક મેજિસ્‍ટ્રેટ શ્રી અમિત પી.કોકાટે અને તજજ્ઞો દ્વારા માનસિક આરોગ્‍ય અને વિકલાંગતાના ક્ષેત્રમાં કાયદાના નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્‍ય-કમ-સચિવ અને મુખ્‍ય ન્‍યાયિક મેજિસ્‍ટ્રેટ શ્રી અમિત પી. કોકાટેએ જણાવ્‍યું હતું કે, માનસિક આરોગ્‍ય ટીમ કચીગામ હોસ્‍પિટલમાં સતત માનસિક આરોગ્‍ય ક્ષેત્રે કાર્યરત છે. આરોગ્‍ય ક્ષેત્રમાં જ્‍યાં સુધી બની શકે ત્‍યાં સુધી વિશેષ જરૂરિયાતવાળા બાળકોને અને વાલીઓને સુવિધાઓ આપવા માટે સતત પ્રયત્‍નશીલ છે. તેમણે વાલીઓને જણાવ્‍યું હતું કે, અમે માત્ર સરકારી યોજનાઓ વિશે જાણકારી મેળવી બાળકોને સરકારી સુવિધાઓનો લાભ આપી શકીએ છીએ. વિશિષ્‍ટ બાળકો માટે માતા-પિતાઓએ જાગૃત રહેવુ અને તેમની જરૂરિયાતોને સમજવી ખુબ જ જરૂરી છે.

Related posts

એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.21.35 કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્‍ડિંગનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

‘‘હિન્‍દી પખવાડા” અંતર્ગત સાર્વજનિક વિદ્યાલય દમણમાં રાજભાષા વિભાગ દ્વારા ‘હિન્‍દી ઝડપી કાવ્‍ય લેખન’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી થર્ડફેઝમાં મોબાઈલ રીચાર્જ કરાવી માલિકે પૈસા માંગતા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

દમણગંગા નદીનો જૂનો પુલ ઉપયોગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે

vartmanpravah

દુણેઠા પંચાયતમાં યોજાયો જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પ: આજે વરકુંડ ગ્રામ પંચાયતમાં યોજાશે કેમ્‍પ

vartmanpravah

Leave a Comment