July 21, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11
નાની દમણના કચીગામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સ્‍ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત નેજા હેઠળ રવિવારે ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ પર એક દિવસીયકાનૂની સાક્ષરતા અને જાગળતિ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ શિબિરમાં વિશિષ્‍ટ જરૂરિયાતમંદ ધરાવતા બાળકો અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો, જ્‍યાં દમણના મુખ્‍ય ન્‍યાયિક મેજિસ્‍ટ્રેટ શ્રી અમિત પી.કોકાટે અને તજજ્ઞો દ્વારા માનસિક આરોગ્‍ય અને વિકલાંગતાના ક્ષેત્રમાં કાયદાના નિયમો વિશે માહિતી આપવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્‍ય-કમ-સચિવ અને મુખ્‍ય ન્‍યાયિક મેજિસ્‍ટ્રેટ શ્રી અમિત પી. કોકાટેએ જણાવ્‍યું હતું કે, માનસિક આરોગ્‍ય ટીમ કચીગામ હોસ્‍પિટલમાં સતત માનસિક આરોગ્‍ય ક્ષેત્રે કાર્યરત છે. આરોગ્‍ય ક્ષેત્રમાં જ્‍યાં સુધી બની શકે ત્‍યાં સુધી વિશેષ જરૂરિયાતવાળા બાળકોને અને વાલીઓને સુવિધાઓ આપવા માટે સતત પ્રયત્‍નશીલ છે. તેમણે વાલીઓને જણાવ્‍યું હતું કે, અમે માત્ર સરકારી યોજનાઓ વિશે જાણકારી મેળવી બાળકોને સરકારી સુવિધાઓનો લાભ આપી શકીએ છીએ. વિશિષ્‍ટ બાળકો માટે માતા-પિતાઓએ જાગૃત રહેવુ અને તેમની જરૂરિયાતોને સમજવી ખુબ જ જરૂરી છે.

Related posts

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

vartmanpravah

દાનહના અથાલમાં નિર્માણાધીન બિલ્‍ડિંગમાં કામ કરતા સમયે ત્રીજા માળેથી પડી જતા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

તોફાની વાવાઝોડું સાથે વરસાદના પગલે ચીખલી તાલુકામાં આંબા પર લાગેલી મંજરી(મોર) ખરી પડવાની શકયતા

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.17, 23 અને 24 નવેમ્‍બરના રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સીજીએસટી વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજીત રખોલી ખાતે 103 લાભાર્થીઓને પ્રધાનમંત્રીની વિવિધ લોન યોજના હેઠળરૂા.32 કરોડના ચેકોનું કરાયેલું વિતરણ

vartmanpravah

આદિવાસી ગૌરવ દિવસ અંતર્ગત આદિવાસીઓના નાયક બિરસા મુંડાની વિદ્યાર્થીઓને માહિતી અપાઈ

vartmanpravah

Leave a Comment