(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15
દાદરા નગર હવેલીના સીંદોની ગામમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ ઘરકંકાશના કારણે જંતુનાશક દવા પી લઈને આત્મહત્યા કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રીના સુનિલ કાંબલે ઉ.વ.30 રહેવાસી સીંદોની કેટલાક દિવસોથી એનો અને એના પતિ વચ્ચે ચકમક ચાલી રહી હતી.જે કારણે એનો પતિ પણ બે દિવસથી ઘરની બહાર જતો રહ્યો હતો.જેના કારણે પરિણીતાએ જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લીધીહતી.
ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી અને લાશનો કબ્જો લઇ મેડીકલ તપાસ માટે મોકલી આપવામા આવી હતી.આ કેસમાં અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ ખાનવેલ પોલીસ કરી રહી છે.