Vartman Pravah
સેલવાસ

દાનહના સ્‍વ. સાંસદ મોહનભાઈ ડેલકરે જનતા દળ(યુ) સાથે જોડાણની કરેલી જાહેરાતનું એક વર્ષપૂર્ણ

  • મોહનભાઈ ડેલકરની ચિર વિદાય બાદ ડેલકર જૂથે કેન્‍દ્ર સરકાર સાથે ભાગીદારી નહીં ધરાવતી વિરોધી પાર્ટી સાથે કરેલું જોડાણ કેટલું કારગત નિવડશે..?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
બરાબર આજથી એક વર્ષ પહેલાં સાંસદ મોહનભાઈ ડેલકરે પત્રકાર પરિષદનું આયોજન કરી જનતા દળ(યુ) સાથે જોડાણ કરી રહ્યા હોવાની જાહેરાત કરી હતી અને દાનહ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત તથા સેલવાસ નગરપાલિકાની ચૂંટણીમાં જનતા દળ(યુ)ના પ્રતિક ઉપર લડવાની પણ ઘોષણા કરી હતી અને તે પ્રમાણે તેમણે ઉમેદવારો પણ ઉભા રાખ્‍યા હતા.
જનતા દળ(યુ) સાથે જોડાણ કરવા માટેનું મુખ્‍ય કારણ તેમની કેન્‍દ્ર સરકાર સાથેની ભાગીદારી હતી. બરાબર એક વર્ષ બાદ મોહનભાઈ ડેલકરના જૂથે લોકસભાની પેટા ચૂંટણીમાં કેન્‍દ્ર સરકાર સાથે ભાગીદારીમાં નહીં હોય એવી પાર્ટી સાથે જોડાણ કરી આヘર્ય ફેલાવ્‍યું છે. કારણ કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ સીધો કેન્‍દ્ર સરકારના હસ્‍તક હોય છે. જેથી કેન્‍દ્રમાં જેમની પણ સરકાર હોય તેમના પ્રતિનિધિ માટે જે તે પ્રદેશમાં કામ કરવું આસાન રહેતું હોય છે.
ડેલકર જૂથ દ્વારા શિવસેનાની કરવામાં આવેલી પસંદગી આવતા દિવસોમાં કેવું પરિણામ લાવે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.

Related posts

મેલેરિયા વિભાગના છૂટા કરાયેલા 60 કર્મીઓને દમણ જિ.પં.માં ફરી સમાવાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મિટનાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દમણમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ નહીં: તકેદારી રાખવી જરુરી

vartmanpravah

ચૂંટણી પંચના રિપોર્ટ બાદ ઈનકમ ટેક્‍સ વિભાગનો દાનહમાં સપાટોઃ ભૂતિયા રાજકીય પક્ષને ફંડના મુદ્દે દેશના અલગ અલગ રાજ્‍યમાં દરોડા

vartmanpravah

સેલવાસ ખાતે ‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ-સાયકલ વિતરણનો સમારંભ યોજાયો

vartmanpravah

સેલવાસના પ્રવેશદ્વાર પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે ખડકાયેલા કચરાના ડુંગરની સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રજની શેટ્ટીએ વલસાડ જિલ્લા કલેક્‍ટરને કરેલી ફરિયાદ

vartmanpravah

રાષ્ટ્રીય આદિવાસી રમતોત્‍સવ-2023 માટે દમણમાં યોજાયેલી કેન્‍દ્ર શાસિત પ્રદેશ કક્ષાની પસંદગી પ્રક્રિયા સંપન્ન

vartmanpravah

Leave a Comment