December 1, 2025
Vartman Pravah
સેલવાસ

દાનહના સ્‍વ. સાંસદ મોહનભાઈ ડેલકરે જનતા દળ(યુ) સાથે જોડાણની કરેલી જાહેરાતનું એક વર્ષપૂર્ણ

  • મોહનભાઈ ડેલકરની ચિર વિદાય બાદ ડેલકર જૂથે કેન્‍દ્ર સરકાર સાથે ભાગીદારી નહીં ધરાવતી વિરોધી પાર્ટી સાથે કરેલું જોડાણ કેટલું કારગત નિવડશે..?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
બરાબર આજથી એક વર્ષ પહેલાં સાંસદ મોહનભાઈ ડેલકરે પત્રકાર પરિષદનું આયોજન કરી જનતા દળ(યુ) સાથે જોડાણ કરી રહ્યા હોવાની જાહેરાત કરી હતી અને દાનહ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત તથા સેલવાસ નગરપાલિકાની ચૂંટણીમાં જનતા દળ(યુ)ના પ્રતિક ઉપર લડવાની પણ ઘોષણા કરી હતી અને તે પ્રમાણે તેમણે ઉમેદવારો પણ ઉભા રાખ્‍યા હતા.
જનતા દળ(યુ) સાથે જોડાણ કરવા માટેનું મુખ્‍ય કારણ તેમની કેન્‍દ્ર સરકાર સાથેની ભાગીદારી હતી. બરાબર એક વર્ષ બાદ મોહનભાઈ ડેલકરના જૂથે લોકસભાની પેટા ચૂંટણીમાં કેન્‍દ્ર સરકાર સાથે ભાગીદારીમાં નહીં હોય એવી પાર્ટી સાથે જોડાણ કરી આヘર્ય ફેલાવ્‍યું છે. કારણ કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ સીધો કેન્‍દ્ર સરકારના હસ્‍તક હોય છે. જેથી કેન્‍દ્રમાં જેમની પણ સરકાર હોય તેમના પ્રતિનિધિ માટે જે તે પ્રદેશમાં કામ કરવું આસાન રહેતું હોય છે.
ડેલકર જૂથ દ્વારા શિવસેનાની કરવામાં આવેલી પસંદગી આવતા દિવસોમાં કેવું પરિણામ લાવે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.

Related posts

નરોલી ગામની પરિણીતા પુત્ર સાથે ગુમ

vartmanpravah

સેલવાસમાં થઈ રહેલ દેહવ્‍યાપારનો પર્દાફાશઃ ત્રણ મહિલા સહિત એક પુરૂષની ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને સનદી અધિકારીઓના વિભાગોમાં કરેલા ફેરફાર દીવ જિલ્લાના કલેક્‍ટર તરીકે રાહુલ દેવ બુરાઃ દીવના એસ.પી. તરીકે રાહુલ બાલહરાની નિયુક્‍તિ

vartmanpravah

જળ સંસાધન ઉપરની સંસદીય સમિતિએ હર ઘર જળ સહિતના વિવિધ લક્ષ્યાંકો સમયસીમા પહેલાં પૂર્ણ કરવા બદલ સંઘપ્રદેશ પ્રશાસનની મુક્‍ત મને કરેલી પ્રશંસા

vartmanpravah

દમણ પોલીસ વિભાગની નિકળેલી ભવ્‍ય તિરંગા રેલીઃ હર ઘર તિરંગો ફરકાવવા અપીલ

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે વલસાડના સ્‍વાતંત્ર્ય સેનાનીના પત્‍નીએ આઝાદીની લડતનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું

vartmanpravah

Leave a Comment