April 26, 2024
Vartman Pravah
સેલવાસ

દાનહના સ્‍વ. સાંસદ મોહનભાઈ ડેલકરે જનતા દળ(યુ) સાથે જોડાણની કરેલી જાહેરાતનું એક વર્ષપૂર્ણ

  • મોહનભાઈ ડેલકરની ચિર વિદાય બાદ ડેલકર જૂથે કેન્‍દ્ર સરકાર સાથે ભાગીદારી નહીં ધરાવતી વિરોધી પાર્ટી સાથે કરેલું જોડાણ કેટલું કારગત નિવડશે..?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
બરાબર આજથી એક વર્ષ પહેલાં સાંસદ મોહનભાઈ ડેલકરે પત્રકાર પરિષદનું આયોજન કરી જનતા દળ(યુ) સાથે જોડાણ કરી રહ્યા હોવાની જાહેરાત કરી હતી અને દાનહ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત તથા સેલવાસ નગરપાલિકાની ચૂંટણીમાં જનતા દળ(યુ)ના પ્રતિક ઉપર લડવાની પણ ઘોષણા કરી હતી અને તે પ્રમાણે તેમણે ઉમેદવારો પણ ઉભા રાખ્‍યા હતા.
જનતા દળ(યુ) સાથે જોડાણ કરવા માટેનું મુખ્‍ય કારણ તેમની કેન્‍દ્ર સરકાર સાથેની ભાગીદારી હતી. બરાબર એક વર્ષ બાદ મોહનભાઈ ડેલકરના જૂથે લોકસભાની પેટા ચૂંટણીમાં કેન્‍દ્ર સરકાર સાથે ભાગીદારીમાં નહીં હોય એવી પાર્ટી સાથે જોડાણ કરી આヘર્ય ફેલાવ્‍યું છે. કારણ કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશ સીધો કેન્‍દ્ર સરકારના હસ્‍તક હોય છે. જેથી કેન્‍દ્રમાં જેમની પણ સરકાર હોય તેમના પ્રતિનિધિ માટે જે તે પ્રદેશમાં કામ કરવું આસાન રહેતું હોય છે.
ડેલકર જૂથ દ્વારા શિવસેનાની કરવામાં આવેલી પસંદગી આવતા દિવસોમાં કેવું પરિણામ લાવે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.

Related posts

શનિવારે દાનહના માંદોની અને દાદરામાં યોજાનારી રેવન્‍યુ શિબિર

vartmanpravah

દાદરાથી છ જુગારીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

પૂર્વોત્તર ભારતના નાગાલેન્‍ડ અને ત્રિપુરા રાજ્‍યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો થયેલો ભવ્‍ય વિજય

vartmanpravah

GNLU કેમ્‍પસ સેલવાસ ખાતે ECO ક્‍લબનું કરાયેલું ઉદ્‌ઘાટનઃ પ્‍લાન્‍ટેશન ડ્રાઇવ અંતર્ગત 100થી વધુ વૃક્ષોનું કરાયેલું વાવેતર

vartmanpravah

સેલવાસ સાંઈ મંદિર નજીક મોપેડ સ્‍લીપ થતાં યુવતી ઘાયલ

vartmanpravah

થર્ટીફર્સ્‍ટની પૂર્વ સંધ્‍યાએ પારડી પોલીસનો સપાટો

vartmanpravah

Leave a Comment