October 13, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

નદીમાં ડુબતી મહિલાનો જીવ બચાવનાર યુવાનનું સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણના હસ્‍તે સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
સેલવાસની દમણગંગા નદીમા મંગળવારના રોજ એક મહિલાએ કુદી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો જેને એક યુવાને બચાવી એનો જીવ બચાવ્‍યો હતો. જે ઘટનાની જાણ પાલિકા પ્રમુખને થતાં તેઓએ એ યુવાનનુ શાલ ઓઢાડી સન્‍માન કરવામા આવ્‍યુ હતુ.
પોતાના જીવની પરવા કર્યા વિના મહિલાનો જીવ બચાવનાર પૂરણ કુશવાહા અંગે જાણકારી મળતા જ સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણે એમના ઘરે બોલાવી યુવાનને પુષ્‍પગુચ્‍છ આપી શાલ ઓઢાડી સન્‍માનિત કરવામા આવ્‍યો હતો. સાથે સાથે રોકડ રકમ પણ ઈનામ તરીકે આપી હતી.
ઉલ્લેખનીય છે કે શ્રી રાકેશસિંહ ચૌહાણ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે એમની પાસેથી કોઈ નિરાશ થઈને જતુ નથી. વાતચીત દરમ્‍યાન યુવાને જણાવ્‍યું હતું કે એની પાસે હાલમાં કોઈ જ કામ નથી જેથી રાકેશસિંહે યુવાનને જલ્‍દી નોકરી અપાવવાનું પણ આશ્વાશન આપ્‍યુ હતુ.સાથે એ પણ જણાવ્‍યું હતું કે, ભવિષ્‍યમાં કોઈપણ જરૂરત હોય તો નિઃસંકોચ એમનોસંપર્ક કરવો.
શ્રી રાકેશસિંહે જણાવ્‍યું હતું કે, યુવકે મહિલાને બચાવી બહાદુરીનું કામ કર્યું છે. એવા લોકોને હંમેશા પ્રોત્‍સાહન મળવું જોઈએ. જેનાથી લોકો એનાથી પ્રેરણા લઈ મુસીબતમાં એકબીજાની સહાય કરવા આગળ આવે.

Related posts

દિવાળીના તહેવારને અનુલક્ષી દીવ જિલ્લામાં મિઠાઈ સહિતની ખાદ્યસામગ્રીની દુકાનોમાં તંત્ર દ્વારા હાથ ધરાયેલું ચેકિંગઅભિયાન

vartmanpravah

વલસાડ વિભાગના રેવન્‍યુ કર્મચારીઓ 18 જેટલી પડતર માંગણીઓ માટે માસ સી.એલ. પર ઉતર્યા

vartmanpravah

દાનહઃ સામરવરણી અને મસાટમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

નવસારી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને શ્રી નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 12પમી જન્‍મદિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતના દરિયાઈ ઉત્પાદનોની નિકાસ રૂ. ૫૭,૫૮૬.૪૮ કરોડના ઉચ્ચસ્તરે પહોંચી

vartmanpravah

વાપીમાં સાબરકાંઠા પંચાલ સેવા સમિતિ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment