April 25, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા ચીખલી-ગણદેવી સહિતના મત વિસ્‍તારોમાં સુકન્‍યા સમૃદ્ધિ યોજનામાં 800 જેટલી બાળાઓના ખાતાઓ ખોલી તેમના દ્વારા પ્રથમ પ્રીમિયની રકમ પણ જમા કરાવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવક)
ચીખલી (વંકાલ), તા.1પ: આગામી 17 સપ્‍ટેમ્‍બરના રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસને લઈને ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા વડાપ્રધાનના જન્‍મદિવસની ઉજવણી માટે તેમના ગણદેવી વિધાનસભા મત વિસ્‍તારના ચીખલી ગણદેવી સહિતના વિસ્‍તારોમાં 800 જેટલા બાળકોના પોસ્‍ટ ઓફિસમાં ખાતા ખોલવામાં આવ્‍યા છે અને પ્રથમ પ્રીમિયમ 250 રૂપિયા લેખે બે લાખ રૂપિયા જેટલી રકમ પણ તેમના દ્વારા જ ભરપાઈ કરવામાં આવી છે ચીખલી તાલુકામાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન મુજબ તેમના મદદનીશ ચેતનભાઇ ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ, મહામંત્રી શ્રી સમીરભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્‍પનાબેન ગાવિત, કારોબારી અધ્‍યક્ષ શ્રી ધર્મેશભાઈ પટેલ સહિતનાઓ દ્વારા સુકન્‍યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલાવવા સહિતની કામગીરી સુપેરે પાર પાડવામાં આવી હતી
સુકન્‍યા સમૃદ્ધિ યોજનામાં નાણાંકીય વર્ષમાં ઓછામાં250 રૂપિયા જમા કરાવવાના હોય છે આ ખાતામાંથી 50 ટકા રકમ છોકરીની ઉંમર 18 વર્ષની થાય પછી ઉચ્‍ચ અભ્‍યાસ અથવા લગ્ન માટે જરૂરિયાત હોય તો ઉપાડી શકાય છે પોસ્‍ટ ઓફિસની તમામ યોજનામાંથી આ યોજનામાં સૌથી વધુ વ્‍યાજ દર આપવામાં આવે છે મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા બાળાઓની કારકિર્દી ઘડતરમાં એક રૂપે મદદરૂપ થઈ વડાપ્રધાનના જન્‍મદિવસની ઉજવણી કરવાના અભિગમને સ્‍થાનિક આગેવાનોએ વધાવી લઈ બિરદાવ્‍યો હતો.

Related posts

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના બીજા વર્ષના બી. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે દાદરા એન્‍ડ નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ દીવ અને પીપરિયા, સેલવાસ ખાતે આવેલી સન ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીસ લિમિટેડ કંપનીમાં બે દિવસ માટે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

વાપી ડેપોમાં સફાઈ અભિયાન પ્રારંભ, અભિયાન બે મહિના સુધી કાર્યરત રહેશે

vartmanpravah

દાદરા નગર હવેલી લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળો યોજાયો

vartmanpravah

કપરાડાના બાલચોંડી ગામે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા”નું આયોજન માટે ધ્‍વજારોહણના કરવામાં આવ્‍યું

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનના સ્‍વપ્‍નને સાર્થક કરતી વાપીની ‘એસએચ એન્‍જીટેક’

vartmanpravah

વાંસદા બેઠક માટે નાયબ મામલતદારની સરકારી નોકરી કરી રહેલા પિયુષ પટેલે ભાજપ માટે દાવેદારી નોંધાવી

vartmanpravah

Leave a Comment