Vartman Pravah
સેલવાસ

દાનહમાં 1989થી 2009 સુધી ફક્‍ત ઊંડાણના આદિવાસી વિસ્‍તારોમાં જ નહીં પરંતુ સેલવાસ શહેરમાં પણ બિમાર વ્‍યક્‍તિને હોસ્‍પિટલમાં પહોંચાડવાની કોઈ વ્‍યવસ્‍થા નહીં હતીઃ પૂર્વ સાંસદ નટુભાઈ પટેલે પરિવારવાદ ઉપર મારેલા ચાબખાં

સાંસદનીધિમાંથી 25 એમ્‍બ્‍યુલન્‍સ અપાતા આજે 108ની સેવા લોકો માટે આશીર્વાદ રૂપ બની
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 25
દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલે ભારપૂર્વક ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતને પ્રચંડ બહુમતિથી વિજેતા બનાવવાનું આહ્‌વાન કરતા જણાવ્‍યું હતું કે, 1989થી 2009 સુધી દાદરા નગર હવેલીમાં ઊંડાણના આદિવાસી વિસ્‍તારોમાં જ નહીં પરંતુ સેલવાસ શહેરમાં પણ કોઈ બિમાર વ્‍યક્‍તિને હોસ્‍પિટલમાં પહોંચાડવાની કોઈ સુવિધા નહીં હતી. પરંતુ તેઓ સાંસદ બન્‍યા બાદ પોતાના સાંસદનીધિમાંથી 25 એમ્‍બ્‍યુલન્‍સ દાદરા નગર હવેલીની જનતાનાચરણોમાં સમર્પિત કરતા આજે 108ની સેવા લોકો માટે આશીર્વાદરૂપ બની છે.
પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલે મોદી સરકારના આગમન બાદ દાદરા નગર હવેલીમાં મેડિકલ કોલેજ, વિવિધ બ્રિજ સહિતના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, રીંગરોડ, ઈન્‍ટરનેશનલ સ્‍ટેડિયમ સહિતના વિકાસના કામો દ્વારા પ્રદેશની તસવીર બદલાઈ ચુકી છે. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલીની મુક્‍તિના 57 વર્ષ સુધી બી.એ., બી.કોમ., બી.એસસી. થવા માટે કોઈ કોલેજ જ નહીં હતી. ત્‍યારે તેમણે તત્‍કાલિન ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાથે મસલત કરી દાદરા નગર હવેલીની સરકારી કોલેજને ગુજરાત યુનિવર્સિટીનું એફિલીએશન અપાવ્‍યું હતું.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે રજૂ કરેલી પ્રદેશના વિકાસની ગાથા- પ્રધાનમંત્રીના આશીર્વાદ અને ગૃહમંત્રીની પહેલથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની થઈ રહેલી સતત કાયાપલટ

vartmanpravah

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

દાદરા પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું

vartmanpravah

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

vartmanpravah

જિલ્લા મહિલા સશક્‍તિકરણ કેન્‍દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્‍દ્ર ખાતે ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

vartmanpravah

Leave a Comment