March 8, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહમાં 1989થી 2009 સુધી ફક્‍ત ઊંડાણના આદિવાસી વિસ્‍તારોમાં જ નહીં પરંતુ સેલવાસ શહેરમાં પણ બિમાર વ્‍યક્‍તિને હોસ્‍પિટલમાં પહોંચાડવાની કોઈ વ્‍યવસ્‍થા નહીં હતીઃ પૂર્વ સાંસદ નટુભાઈ પટેલે પરિવારવાદ ઉપર મારેલા ચાબખાં

સાંસદનીધિમાંથી 25 એમ્‍બ્‍યુલન્‍સ અપાતા આજે 108ની સેવા લોકો માટે આશીર્વાદ રૂપ બની
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 25
દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલે ભારપૂર્વક ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતને પ્રચંડ બહુમતિથી વિજેતા બનાવવાનું આહ્‌વાન કરતા જણાવ્‍યું હતું કે, 1989થી 2009 સુધી દાદરા નગર હવેલીમાં ઊંડાણના આદિવાસી વિસ્‍તારોમાં જ નહીં પરંતુ સેલવાસ શહેરમાં પણ કોઈ બિમાર વ્‍યક્‍તિને હોસ્‍પિટલમાં પહોંચાડવાની કોઈ સુવિધા નહીં હતી. પરંતુ તેઓ સાંસદ બન્‍યા બાદ પોતાના સાંસદનીધિમાંથી 25 એમ્‍બ્‍યુલન્‍સ દાદરા નગર હવેલીની જનતાનાચરણોમાં સમર્પિત કરતા આજે 108ની સેવા લોકો માટે આશીર્વાદરૂપ બની છે.
પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલે મોદી સરકારના આગમન બાદ દાદરા નગર હવેલીમાં મેડિકલ કોલેજ, વિવિધ બ્રિજ સહિતના ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, રીંગરોડ, ઈન્‍ટરનેશનલ સ્‍ટેડિયમ સહિતના વિકાસના કામો દ્વારા પ્રદેશની તસવીર બદલાઈ ચુકી છે. તેમણે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલીની મુક્‍તિના 57 વર્ષ સુધી બી.એ., બી.કોમ., બી.એસસી. થવા માટે કોઈ કોલેજ જ નહીં હતી. ત્‍યારે તેમણે તત્‍કાલિન ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી સાથે મસલત કરી દાદરા નગર હવેલીની સરકારી કોલેજને ગુજરાત યુનિવર્સિટીનું એફિલીએશન અપાવ્‍યું હતું.

Related posts

માનવ-કેન્‍દ્રિત વૈશ્વિકરણ સૌને સાથે લઈને, જી20ને અંતિમ છેડા સુધી લઈ જવાનો પ્રયાસ – નરેન્‍દ્રમોદી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહમાં “વન્‍યજીવ સપ્તાહ” અંતર્ગત વક્તૃત્વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

થર્ટીફસ્‍ટે દમણથી મદિરા પાન કરી ગુજરાતમાં પ્રવેશ્‍યા તો સીધા પોલીસ હવાલાતમાં

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં દીક્ષારંભ ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી

vartmanpravah

દાદરા નગર હવેલીનો વારલી સમાજ કરવટ બદલે છેઃ લગ્ન સહિતના વિવિધ સાર્વજનિક મેળાવડાઓમાં દારૂ-તાડી અને ચિકન-મટન ઉપર મુકેલો પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment