October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

હવેલી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં દીક્ષારંભ ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: આજે સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા પ્રથમ વર્ષના એલ.એલ.બી., બી.એલ.એસ. એલ.એલ.બી. અને ડિપ્‍લોમા અભ્‍યાસક્રમના નવા શૈક્ષણિક બેચ 2022-’23 માટે ઓરિએન્‍ટેશન એલ.સી.એસ.સી.ટી.ના અધ્‍યક્ષ શ્રી ફત્તેહસિંહ ચૌહાણની અધ્‍યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મુંબઈ હાઈકોર્ટના વરિષ્‍ઠ વકીલ શ્રીમતી વર્ષા પલવના મુખ્‍ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત સ્‍વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. આ ઓરિએન્‍ટેશન પ્રોગ્રામમાં પ્રથમ વર્ષના અભ્‍યાસક્રમની શરૂઆતને ચિホતિ કરવામાં આવી હતી. સહાયક પ્રોફેસર અને બી.એલ.એસ. એલ.એલ.બી. વિભાગના પ્રમુખ સુશ્રી સુમન શર્મા અને સહાયક પ્રોફેસર શ્રી વિનિત કુમાર ચૌબેએ કાનૂન બાદ કારકિર્દી વિકલ્‍પો અને કાયદાના મહત્‍વ અંગે જાણકારી આપી હતી. જ્‍યારે ઉપાધ્‍યક્ષ શ્રી એ.ડી.નિકમે ગત શૈક્ષણિક વર્ષમાં લો કોર્ષ પૂર્ણ કરનારને શુભકામનાઓ આપી અને તેમણે કાયદાના વિદ્યાર્થીકાળના પોતાના સંસ્‍મરણોને વિદ્યાર્થીઓ જણાવ્‍યા હતા.
શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સની મનાલીચૌહાણને મુંબઈના 55મા યુવા ઉત્‍સવ યુનિવર્સિટીમાં આયોજન સમિતિના સભ્‍ય તરીકે પસંદ કરવા બાબતે તેમને મુંબઈ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પ્રશસ્‍પિપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે સચિવ શ્રી એ.નારાયણન, કોષાધ્‍યક્ષ શ્રી વિશ્વેશ દવે, સંયુક્‍ત સચિવ શ્રી જયેન્‍દ્રસિંહ રાઠોડ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ ડો. સીમા પિલ્લઈ, લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલના પ્રિન્‍સિપાલ શ્રી એ.એન.શ્રીધર, વાઈસ પ્રિન્‍સિપાલ શ્રીમતી નિરાલી પારેખ, સુશ્રી નિશા પારેખ, સહિત કોલેજના આચાર્ય અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
અંતમાં સુશ્રી સુમન શર્મા દ્વારા આભારવિવિધ આટોપી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્‍યું હતું.

Related posts

આલીપોર હાઈવે ઉપર કારડિવાઈડર કૂદી સામેના ટ્રેક પર કન્‍ટેઈનર સાથે ધડાકાભેર અથડાતા 4 લોકોના કરૂણ મોત

vartmanpravah

દેહરી સ્‍થિત કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીના વિસ્‍તરણ પ્રોજેક્‍ટ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરાઈ: – ગ્રામ પંચાયત મજબૂત થશે તો દેશ મજબૂત થશેઃ પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ પવન અગ્રવાલે પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કેરી ચોર બાબતે ચીખલીના મીણકચ્‍છમાં બે પરિવાર વચ્‍ચે થયેલ ઝઘડામાં વૃધ્‍ધનું મોતઃ બે મહિલા સહિત 3 સામે હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન‘રાજધર્મ’ નિભાવેઃ દમણ-દીવના 42 શિક્ષકો પ્રત્‍યે સંવેદના રાખવાની આવશ્‍યકતા

vartmanpravah

Leave a Comment