Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

હવેલી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં દીક્ષારંભ ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: આજે સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા પ્રથમ વર્ષના એલ.એલ.બી., બી.એલ.એસ. એલ.એલ.બી. અને ડિપ્‍લોમા અભ્‍યાસક્રમના નવા શૈક્ષણિક બેચ 2022-’23 માટે ઓરિએન્‍ટેશન એલ.સી.એસ.સી.ટી.ના અધ્‍યક્ષ શ્રી ફત્તેહસિંહ ચૌહાણની અધ્‍યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મુંબઈ હાઈકોર્ટના વરિષ્‍ઠ વકીલ શ્રીમતી વર્ષા પલવના મુખ્‍ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત સ્‍વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. આ ઓરિએન્‍ટેશન પ્રોગ્રામમાં પ્રથમ વર્ષના અભ્‍યાસક્રમની શરૂઆતને ચિホતિ કરવામાં આવી હતી. સહાયક પ્રોફેસર અને બી.એલ.એસ. એલ.એલ.બી. વિભાગના પ્રમુખ સુશ્રી સુમન શર્મા અને સહાયક પ્રોફેસર શ્રી વિનિત કુમાર ચૌબેએ કાનૂન બાદ કારકિર્દી વિકલ્‍પો અને કાયદાના મહત્‍વ અંગે જાણકારી આપી હતી. જ્‍યારે ઉપાધ્‍યક્ષ શ્રી એ.ડી.નિકમે ગત શૈક્ષણિક વર્ષમાં લો કોર્ષ પૂર્ણ કરનારને શુભકામનાઓ આપી અને તેમણે કાયદાના વિદ્યાર્થીકાળના પોતાના સંસ્‍મરણોને વિદ્યાર્થીઓ જણાવ્‍યા હતા.
શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સની મનાલીચૌહાણને મુંબઈના 55મા યુવા ઉત્‍સવ યુનિવર્સિટીમાં આયોજન સમિતિના સભ્‍ય તરીકે પસંદ કરવા બાબતે તેમને મુંબઈ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પ્રશસ્‍પિપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે સચિવ શ્રી એ.નારાયણન, કોષાધ્‍યક્ષ શ્રી વિશ્વેશ દવે, સંયુક્‍ત સચિવ શ્રી જયેન્‍દ્રસિંહ રાઠોડ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ ડો. સીમા પિલ્લઈ, લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલના પ્રિન્‍સિપાલ શ્રી એ.એન.શ્રીધર, વાઈસ પ્રિન્‍સિપાલ શ્રીમતી નિરાલી પારેખ, સુશ્રી નિશા પારેખ, સહિત કોલેજના આચાર્ય અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
અંતમાં સુશ્રી સુમન શર્મા દ્વારા આભારવિવિધ આટોપી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોન યોજાઈઃ 1191 દોડવીરો ઉત્‍સાહભેર દોડયા

vartmanpravah

બે વર્ષ પહેલાં ગુમ થયેલા પરિયારીના વિનોદ રામજી વારલીનો પરિવાર સાથે મેળાપ થતાં સંવેદનશીલ બનેલું વાતાવરણ

vartmanpravah

ચીખલીના મજીગામ પોસ્‍ટ ઓફિસમાં કથિત ગોબાચારીમાં પોસ્‍ટ વિભાગની ટીમ દ્વારા ખાતાધારકોના ઘરે ઘરે જઈને પાસ બુકોની કરાઈ રહેલી તપાસ

vartmanpravah

ખડોલી સ્‍થિત શિવોમ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

ખોરાક અને ઔષધ નિયમનતંત્ર દ્વારા એપ્રિલમાં ખાદ્ય પદાર્થોના ૩૬ નમૂનાની ચકાસણી

vartmanpravah

દમણ મહિલા મંડળ દ્વારા 1988થી આજપર્યંત શેરી ગરબા દ્વારા પરંપરા અને સંસ્‍કૃતિનું થઈ રહેલું જતન

vartmanpravah

Leave a Comment