April 25, 2024
Vartman Pravah
સેલવાસ

માતૃશક્‍તિ જ્‍યારે સાથે છે ત્‍યારે આપણો વિજય નિヘતિ છેઃ ઉમેદવાર મહેશભાઈ ગાવિત

દિલ્‍હીમાં આપણી ભાજપ સરકાર છે અને મારી સાથે આપણા પ્રદેશના ચૂંટણી પ્રભારી રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ અને દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ મળી અમે ત્રણ છીએ અને આ સમય પ્રદેશના વિકાસ માટે સોનેરી અક્ષરે અંકિત થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 25
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતે જણાવ્‍યું હતું કે, માતૃશક્‍તિ જ્‍યારે મારી સાથે છે ત્‍યારે આપણો વિજયનિヘતિ છે.
શ્રી મહેશભાઈ ગાવિતે પોતાના જોશ ભરેલા અભિભાષણમાં જણાવ્‍યું હતું કે, મેં પોલીટિકલ સાયન્‍સમાં ગ્રેજ્‍યુએશન કર્યું છે. મને રાજનીતિમાં કોની સમક્ષ કેવી રીતે બોલવું અને પ્રદેશના વિકાસના કામો કેવી રીતે કરાવવા તેની આવડત છે. તેમણે જણાવ્‍યું હતું કે, દિલ્‍હીમાં આપણી ભાજપ સરકાર છે અને મારી સાથે આપણા પ્રદેશના ચૂંટણી પ્રભારી રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ અને દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ મળી ત્રણ સાંસદોનું પીઠબળ છે અને પડોશના સાંસદ ડો. કે.સી.પટેલના પણ આશીર્વાદ રહેવાના છે. તેથી આપણા પ્રદેશની સમસ્‍યાનું નિવારણ અને વિકાસની દૃષ્‍ટિએ સોનેરી અવસરનું સર્જન થશે એવો વિશ્વાસ પણ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

vartmanpravah

સી.એસ.આર. અંતર્ગત અને બાયફ ડેવલપમેન્‍ટ રિસર્ચ ફાઉન્‍ડેશનના સહયોગ દ્વારા દાનહના કરજગામમાં કંપની દ્વારા લિફટ ઈરીગેશન સિસ્‍ટમનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાનના સહયોગથી સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે અંગ્રેજી ભાષા ક્ષમતા નિર્માણ કાર્યક્રમના બીજા મોડયુલની તાલીમ સંપન્ન

vartmanpravah

સંઘપ્રદેશમાં કોરોના કેસોમાં મળી રહેલી રાહતઃ દાનહ-દમણમાં 3-3 અને દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સ્‍પોર્ટ્‍સ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરની ટુર્નામેન્‍ટમાં દમણઃ દોરડાખેંચ સ્‍પર્ધાના પુરૂષ વિભાગમાં હેડ ઓફ સ્‍પોર્ટ્‍સ વિજેતાઃ ઉપ વિજેતા રહી અસ્‍પી ઈલેવન

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

Leave a Comment