(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે ઉમેદવારો ટેકેદારો અને પક્ષ માટે મંગળવારના મત ગણતરી સુધી આશા અને અજંપો યથાવત રહેશે. ઉમેદવારો અને ટેકેદારો પોતપોતાની જીતના દાવાઓ રજૂ કરી ગુલાબી ચિત્ર ઉપસાવવાની પણ કોશિષ કરશે. પરંતુ મતદારોએ આપેલો ચુકાદો ઈવીએમમાં કેદ થઈ ચુક્યો હોવાથી મંગળવારે મત ગણતરી બાદ જ પરિણામ સ્પષ્ટ બનશે.
સંઘપ્રદેશ પ્રશાસને લોકસભાની પેટા ચૂંટણી ભયમુક્ત, પારદર્શક અને તટસ્થ રીતે યોજવા કરેલી તમામ કવાયત સફળ રહી છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ અત્યાર સુધી નોંધાયો નથી.