March 2, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં 76.35 ટકા મતદાનઃ 4 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ

  • દાનહમાં કોવિડ-19ના પ્રોટોકોલ સાથે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ ચૂંટણીઃ મંગળવારે મત ગણતરી

  • 2019ની લોકસભા ચૂંટણી કરતા 3 ટકા ઓછું નોંધાયેલું મતદાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે યોજાયેલી પેટા ચૂંટણીમાં આજે 76.35 ટકા મતદાન સાથે 4 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચુક્‍યા છે. સંપૂર્ણ શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયેલી આ પેટા ચૂંટણીમાં મતદારોએ વહેલી સવારથી જ મતાધિકાર માટે પોતાનો ઉત્‍સાહ દર્શાવ્‍યો હતો. મતગણતરી મંગળવાર તા.2જી નવેમ્‍બરના રોજ પોલીટેક્‍નિક કોલેજ કરાડ ખાતે કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કોવિડ-19ના પ્રોટોકોલ સાથે મતદારો આજે વહેલી સવારથી જ ઉમટી પડયા હતા અને પ્રથમવાર મતદાન કરનાર નવલોહિયા યુવાન-યુવતિઓ પણ લાંબી લાઈનોમાં ઉભા રહી પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. કેટલાક સિનિયર સીટીઝનો કે જેઓ ચાલી નહીં શકતા હોય તેવા લોકો પરિવારના લોકોના સહારે આવી મતદાન કર્યું હતું.
આ ચૂંટણીમાં ખાસ આકર્ષણ સ્‍કાઉટ ગાઈડના વોલ્‍યુટર દ્વારા મતદારોની કરવામાં આવેલી સેવા જોવા મળી હતી. આટીમ દ્વારા સિનિયર સીટીઝન કે જેઓ ચાલી નહીં શકતા હોય તેઓને વ્‍હીલચેરમાં બેસાડીને મતદાન કરવા લઈ જવાતા પણ જોવા મળ્‍યા હતા.
ભાજપના ઉમેદવાર શ્રી મહેશભાઈ ગાવિતે કૌંચા ગામના વોર્ડ નં.1 પારસપાડામાં પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. શિવસેનાના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે ટોકરખાડા સેલવાસ પ્રાથમિક શાળામાં પોતાના પુત્ર અને પુત્રી સાથે મતદાન કર્યું હતું. જ્‍યારે કોંગ્રેસના ઉમેદવાર શ્રી મહેશભાઈ ધોડીએ ઝંડાચોક શાળામાં પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. સમગ્ર ચૂંટણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર શ્રી ગણેશ ભુજાડા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તેમની હાજરી દેખાઈ નહીં હતી.
દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં કોવિડ-19ના પ્રોટોકોલના કારણે મતદાનનો સમય સવારના 7 વાગ્‍યાથી સાંજે 7 વાગ્‍યા સુધી રાખવામાં આવ્‍યો હતો. જેમાં સવારે 11 વાગ્‍યા સુધી 24 ટકા મતદાન થયું હતું. બપોરે 1 વાગ્‍યા સુધી 39.27 ટકા, 3 વાગ્‍યા સુધીમાં 53.71 ટકા અને સાંજે 5 વાગ્‍યા સુધીમાં 66.99 ટકા મતદાન થયું હતું. જ્‍યારે સાંજે 7 વાગ્‍યા સુધીમાં મતદાનનો આંકડો 75.51 ટકા ઉપર પહોંચ્‍યો હતો.
અત્રે નોંધનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં 79.59 ટકા મતદાન નોંધાયું હતું. તેની સામે આ 3 ટકા જેટલું ઓછું મતદાનનોંધાવા પામ્‍યું છે. જ્‍યારે 2009ની લોકસભા ચૂંટણીમાં 73.22 ટકા મતદાન થયું હતું અને 2014ની ચૂંટણીમાં સૌથી વધુ 84.08 ટકા મતદાન નોંધાયું હતું.

Related posts

દાનહના સામરવરણી ગામે ઝાડ કાપી રહેલ યુવાન પર ડાળી પડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દીવમાં જાહેર સ્‍થળો ઉપર દારૂના સેવન માટે પ્રશાસન સખ્‍ત : પકડાઈ જતા દંડાત્‍મક કાર્યવાહી કરાશે

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે સમગ્ર સંઘપ્રદેશ યોગમય બન્‍યોઃ દેવકા નમો પથ સામુહિક યોગ મુદ્રાથી શોભી ઉઠયો

vartmanpravah

ખાનવેલ પંચાયતની મળેલી ગ્રામસભાઃ ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની કરેલી રજૂઆત

vartmanpravah

વલવાડા-કરમબેલા ગામ તળાવની 1 લાખ ટન માટી ભૂમાફીયાઓએ બિલ્‍ડરોને પધરાવી દીધાનો ગ્રામજનો આક્ષેપ

vartmanpravah

વલસાડમાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને મહાત્‍મા ગાંધીજીની 155મી જન્‍મ જયંતિએ સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment