September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 14મી નવેમ્‍બરે આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે માર્ગદર્શન શિબિરનું આયોજન

મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક વ્રજ પટેલ દ્વારા અપાનારૂં માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત અગામી તા.11મી નવેમ્‍બરથી 19મી નવેમ્‍બર સુધી જન ચેતનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં 11મી નવેમ્‍બરના દિવસે દમણવાડા ગ્રામ પંચાયત આત્‍મ સન્‍માન દિવસ તરીકે ઉજવણી કરશે.
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા અગામી તા.14મી નવેમ્‍બરના રોજ આઈ.એ.એસ., આઈ.પી.એસ. જેવી સિવિલ સેવાઓ તથા સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે માર્ગદર્શન મળી રહે એ માટે મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશન દ્વારા માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જેમાં ધોરણ 9 થી માંડી સ્‍નાતક, અનુસ્‍નાતક, ડોક્‍ટર, એન્‍જિનિયર જેવા બેચલર કે માસ્‍ટર ડીગ્રી ધરાવતા યુવાન-યુવતિઓને તેમની કારકિર્દી માટે મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક શ્રી વ્રજ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
અગામી તા.14મી નવેમ્‍બરના રોજ દમણ ખાતે યોજાનારા આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન મેળવવા ઈચ્‍છતા યુવક-યુવતિઓ તથા તેમના માતા-પિતાઓ દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલય અથવા સરપંચ શ્રી મુકેશ ગોસાવીનો રૂબરૂ યા ટેલીફોનથી સંપર્ક કરી શકે છે.

Related posts

દાનહના ખરડપાડામાં શનિવારે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

દમણ જિલ્લા આંતર શાળાકીય અન્‍ડર-17 બોયઝ બીચ વોલીબોલ સ્‍પર્ધામાં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ વિજેતા

vartmanpravah

દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી ૨૦૨૧માં યોજાવાની સંભાવના ધૂંધળી

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા 64 કર્મચારીની બઢતી સહિત 41 પોલીસ કર્મચારીને ઉચ્‍ચત્તર પગારનો લાભ મળ્‍યો

vartmanpravah

વાપી જેસીઆઈ 2025 ના પ્રમુખ ચંદ્રેશ પુરોહિત અને ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

વાપી મોરાઈ હાઈવે ઉપરથી દારૂનો જથ્‍થો ભરેલ કાર અને પાયલોટ કારને પોલીસે ઝડપી

vartmanpravah

Leave a Comment