Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 14મી નવેમ્‍બરે આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે માર્ગદર્શન શિબિરનું આયોજન

મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક વ્રજ પટેલ દ્વારા અપાનારૂં માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત અગામી તા.11મી નવેમ્‍બરથી 19મી નવેમ્‍બર સુધી જન ચેતનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં 11મી નવેમ્‍બરના દિવસે દમણવાડા ગ્રામ પંચાયત આત્‍મ સન્‍માન દિવસ તરીકે ઉજવણી કરશે.
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા અગામી તા.14મી નવેમ્‍બરના રોજ આઈ.એ.એસ., આઈ.પી.એસ. જેવી સિવિલ સેવાઓ તથા સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે માર્ગદર્શન મળી રહે એ માટે મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશન દ્વારા માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જેમાં ધોરણ 9 થી માંડી સ્‍નાતક, અનુસ્‍નાતક, ડોક્‍ટર, એન્‍જિનિયર જેવા બેચલર કે માસ્‍ટર ડીગ્રી ધરાવતા યુવાન-યુવતિઓને તેમની કારકિર્દી માટે મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક શ્રી વ્રજ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
અગામી તા.14મી નવેમ્‍બરના રોજ દમણ ખાતે યોજાનારા આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન મેળવવા ઈચ્‍છતા યુવક-યુવતિઓ તથા તેમના માતા-પિતાઓ દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલય અથવા સરપંચ શ્રી મુકેશ ગોસાવીનો રૂબરૂ યા ટેલીફોનથી સંપર્ક કરી શકે છે.

Related posts

ધરમપુરના શીરીષપાડામાં પાણી વહેતા નાળા પરથી કાર સાથે ત્રણ તણાતા હજી લાપતા

vartmanpravah

67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી સ્‍મરણાંજલિ

vartmanpravah

દીવમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાતા કુલ ચાર કેસ સક્રિય

vartmanpravah

જાયન્‍ટ્‍સ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા ગાયનેકોલોજિસ્‍ટ ડૉ. યોગિની રોલેકરનું વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

પ્રધાનમંત્રીએ એ.એસ. નવસારીમાં નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

vartmanpravah

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાનાવિદ્યાર્થીઓ

vartmanpravah

Leave a Comment