(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01
દાનહમાં સોમવારે એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમાં 03 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 5912 કેસ રીકવર થઈ ચૂકયા છે, ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 73 નમૂનાઓ લેવામા આવ્યા હતા અને રેપિડ એન્ટિજન 16 નમૂના લેવામા આવેલ જેમાંથી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. 01 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનુ ટીકાકરણ કરવામા આવ્યુ હતુ. જેમાં આજે 1507 લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમા પ્રથમ ડોઝ 387929 અને બીજો ડોઝ 184655 વ્યક્તિઓને આપવામા આવ્યો છે કુલ 572584 લોકોને વેક્સીન આપવામા આવી છે.