March 4, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ ખાતે ભગવદ્‌ ગીતા જયંતિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી

ગીતાનો સહારો લઇ દરેક વ્‍યક્‍તિ તેના શ્‍લોકોના ઉચ્‍ચારણથી સાચો માર્ગ મેળવી જીવનમાં આગળ વધે છે. : પરમ પૂજ્‍ય પુરાણી સ્‍વામી કેશવચરણદાસજી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14
સેલ્‍યુટ તિરંગા ગુજરાત પ્રદેશ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ, વાપી ખાતે તારીખ 14મી ડિસેમ્‍બર 2021 મંગળવાર મોક્ષદા એકાદશીના રોજ ભગવદ્‌ ગીતા જયંતિની ઉત્‍સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરમ પૂજ્‍ય પુરાણી સ્‍વામી કેશવચરણદાસજીએ ભગવદ્‌ ગીતાનું મહત્‍વ સમજાવી વિદ્યાર્થીઓનેગીતાના શ્‍લોકોના ઉચ્‍ચારણનુ મહત્‍વ સમજાવી ગીતાના આ શ્‍લોકોમાં જીવનના દરેક પ્રશ્નોના ઉકેલ મળી જતા હોય જીવનમાં પ્રગતિના પંથે આગળ વધવાનો સરળ અને ઉત્તમ માર્ગ હોવાનું જણાવ્‍યું હતું. દરેક વ્‍યક્‍તિએ ગીતાનો એક-એક પાઠ વાંચવો જ જોઈએ જેમાં 15મો અધ્‍યાય મોક્ષ માટે છે તેનું મહત્‍વ પણ સમજાવ્‍યું હતું. આ પ્રસંગે શ્રી સ્‍વામિનારાયણ સી.બી.એસ.સી. ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલ, અને શ્રી સ્‍વામિનારાયણ હાયર સેકન્‍ડરી સ્‍કૂલના વિદ્યાર્થીઓ તથા શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ગીતાના શ્‍લોકોના ઉચ્‍ચારણની, શ્‍લોક સ્‍પર્ધામાં ભાગ લીધો હતો.
ભગવદ્‌ ગીતા એ એક રહસ્‍યમય ગ્રંથ છે. જે વસ્‍તુઓની પ્રકળતિ વિશે બોલે છે. તે માનવતા, વાસ્‍તવિકતા અને તે વાસ્‍તવિકતામાં આપણું સ્‍થાન તેમજ શાણપણ અને સુખ શોધવા માટે આપણે જે પગલાં લઈએ છીએ તેની વાત કરે છે. તે એક આવશ્‍યક આધ્‍યાત્‍મિક ગ્રંથ છે કારણ કે તે દરેક વસ્‍તુ પર પ્રશ્ન કરવાનો વ્‍યક્‍તિનો અધિકાર સ્‍થાપિત કરે છે.
આ કાર્યક્રમમાં શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય સ્‍વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પુરાણી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો. શૈલેશ લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટરશ્રી હિતેન ઉપાધ્‍યાય, સંસ્‍થાના આચાર્યશ્રીઓ, સ્‍ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

Related posts

વલસાડ જિલ્લાને મંત્રી મંડળમાં એકમાત્ર સ્‍થાન મળ્‍યું : પારડીના વિજેતા ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ ફરીવાર નાણા-ઊર્જા કેબિનેટ મંત્રી બન્‍યા

vartmanpravah

દમણના મદ્રેસા ઈસ્‍લામાયા ખારીવાડ ખાતે વૈદિક ડેન્‍ટલ કોલેજ એન્‍ડ રિસર્ચ સેન્‍ટર દલવાડા દ્વારા નિ:શુલ્‍ક ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

નવા મતદાતાઓને મતદાર યાદીમાં નામ નોંધવા પ્રેરિત કરવા દમણ જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા યોજાયેલ સાયકલ રેલીઃ મામલતદાર સાગર ઠક્કરે કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

દીવના ઘોઘલા બીચ ખાતે પર્યાવરણીય ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈઃ કચરાના રિસાયકલીંગ અને ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ કલા પ્રદર્શન યોજાયું

vartmanpravah

ભાજપા યુવા મોરચા એક્ઝિક્યુટિવ સભ્‍ય સિદ્ધાર્થ શુક્‍લાએ દાનહના વિવિધ પ્રશ્નો અંગે આરડીસીને કરેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment