September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આત્‍મનિર્ભર અભિયાન અંતર્ગત દાનહના પશુપાલકોનું એક જૂથ બનાસ ડેરીમાં તાલીમ લેવા બનાસકાંઠા રવાના

સંઘપ્રદેશના એસ.સી./એસ.ટી. કોર્પોરેશન દ્વારા કરાયેલી પહેલ : બનાસ ડેરીમાં પ્રશિક્ષિત થયા બાદ દુધના ઉત્‍પાદન તથા દુધાળા ઢોરની લેવાતી કાળજીની પણ મેળવશે સમજણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.ર4
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આત્‍મનિર્ભર અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલીનાઆદિવાસીઓને ગીર ગાય અને દુધાળા ઢોર આપવાની યોજના બનાવી છે અને આ યોજનાનો મોટા પ્રમાણમાં લાભ પણ લેવામાં આવી રહ્યો છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની યોજનાને અસરકારક રીતે સાકાર કરવા દાનહના એસ.સી./એસ.ટી. કોર્પોરેશન દ્વારા પશુપાલકોને ગાય તેમજ દુધાળા ઢોરની જાળવણી તેમજ દુધની ઉત્‍પાદક્‍તામાં વધારો લાવવા રખાનારી જરૂરી કાળજીના પ્રશિક્ષણ માટે બનાસકાંઠા ડેરીના સહયોગથી ત્રણ દિવસીય તાલીમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ભાગ લેવા આજે દાનહના પશુપાલકોએ બનાસકાંઠા પ્રસ્‍થાન કર્યુ હતું.
જે અંતર્ગત પશુપાલકોને ત્રણ દિવસીય તાલીમી કાર્યક્રમ દરમિયાન રહેવા, જમવા, ખાવા-પીવાની વ્‍યવસ્‍થા સાથે મફત બસ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.
આજે સવારે 11.00 વાગ્‍યે દાનહના જિલ્લા કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસના માર્ગદર્શન હેઠળ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખના દિશાનિર્દેશથી વેટરનરી ઓફિસર ડો.વિજય પરમાર, એસ.સી./એસ.ટી.કોર્પોરેશનના સિનીયર મેનેજર શ્રી અંબિકા સિંઘે તમામ પશુપાલક ભાઈઓ અને બહેનોને વિધિવત પૂજન કરી બસ દ્વારા બનાસકાંઠા માટે પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.
આ તમામ ભાઈઓ અને બહેનો સરકાર દ્વારા કરાયેલી પહેલનો યોગ્‍ય લાભ લઈ તાલીમ લીધા બાદ તેઓ દાદરા નગર હવેલીના અન્‍યખેડૂતોને તેમના દુધાળા પશુઓ ઉછેરવા માટે પણ યોગ્‍ય સમજણ આપશે એવી આશા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

Related posts

સુરખાઈ ખાતે ધોડિયા સમાજનો પાંચમો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા નજીક વાપી તરફની લાઈન ઉપર પડેલા ખાડા અને તૂટેલા રોડ અંગે ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

સમરોલી ગામે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઉતરાવી બે ઠગ ફરાર થઈ ગયા

vartmanpravah

વલસાડ જિલ્લાની ઔરંગા, પાર, કોલક, લાવરી, તાન, માન નદીઓમાં ઘોડાપુર : અનેક કોઝવે પુલો પરની અવર જવર અટકી પડી

vartmanpravah

પારડી ખાતે બહુચરાજી માતાજીની ગોલ્‍ડન જ્‍યુબલી વર્ષની થઈ ભક્‍તિ ભાવપૂર્વક ઉજવણી

vartmanpravah

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો “નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ” પર સંદેશ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે

vartmanpravah

Leave a Comment