October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસનો આવકારદાયક અભિગમ દાનહમાં મામલતદાર કચેરી દ્વારા આવકના દાખલા માટે વિવિધ સ્‍કૂલોમાં કેમ્‍પનું આયોજન

લોકોને દુર દુરથી મામલતદાર કચેરીએ ફોર્મ લેવા આવવા પડતું હોવાથી કેમ્‍પનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશ અનુસાર પ્રદેશના વિવિધ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના બાળકોને સ્‍કોલરશિપ મેળવવા માટે આવકના દાખલાની જરૂર પડે છે. આ દાખલો મેળવવા માટેના ફોર્મનો સ્‍વીકારવા કરવા અને ફોર્મના વિતરણ માટે મામલતદર કચેરી દ્વારા એક કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.
ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં કેમ્‍પનું આયોજન કરવા અંગેની જાણકારી અગાઉથીશાળાના આચાર્યને આપવામાં આવી છે. ઉપરાંત આવકના ફોર્મ સાથે બીજા બીજા કયા કયા દસ્‍તાવેજો લાવવા છે તે અંગેની પણ જાણકારી આપવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય પાસેથી ફોર્મ મેળવી શકે છે.
આ કેમ્‍પ તા.16/11/2021ના દિવસે ટોકરખાડા મોડલ ઈગ્‍લિશ સ્‍કૂલ-સેલવાસ, નરોલી હાઈસ્‍કૂલ, સેલવાસ-ભિલાડ રોડ, દાદરા હાઈસ્‍કૂલ, દેમણી રોડ, રાંધા હાઈસ્‍કૂલ અને રખોલી હાઈસ્‍કૂલ, જ્‍યારે તા.17/11/2021ના રોજ ખરડપાડા હાઈસ્‍કૂલ, સ્‍કુલ ફળિયા અને ગલોંડા હાઈસ્‍કૂલ ખાતે સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્‍યા સુધી આયોજન કરવામાં આવ્‍યું છે.
આ આવકના દાખલા લોકોએ દુર દુરથી મામલતદાર કચેરીએ આવવું પડતુ હોવાથી લોકોની સુવિધા માટે આ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સેવાનો લાભ લેવા લોકોને નિવેદન કરવામાં આવ્‍યું છે.અત્રે ધ્‍યાનમાં રહે કે બપોરે 1.00 વાગ્‍યા સુધી જ આવકના દાખલા માટેની અરજીઓ સ્‍વીકારવામાં આવશે.

Related posts

ગ્રામ પંચાયતને કોઈપણ જાતની જાણ કર્યા વિના ચીખલીના ખાંભડામાં પોલીસ બંદોબસ્‍ત સાથે ટ્રાન્‍સમિશન સર્વેની કામગીરી હાથ ધરાતા ગ્રામજનોનો વિરોધઃ પોલીસે સરપંચ સહિત 9 ગ્રામજનોને ડિટેઈન કર્યા

vartmanpravah

પૂર્વોત્તર ભારતના નાગાલેન્‍ડ અને ત્રિપુરા રાજ્‍યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો થયેલો ભવ્‍ય વિજય

vartmanpravah

ખાખી વર્દી હવે ‘લોકમિત્ર’ બનવા તરફ મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશનનો નવતર અભિગમઃ લોકોની વચ્‍ચે જઈ લોકો સાથે સંવાદ કરી ગુનાની રોકથામ અને જાગૃતિ કેળવવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

શૈત્રુંજય અને સમેત શિખર માટે વાપી-વલસાડમાં જૈન સમાજના તમામ ફિરકાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરાયું

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં બે અલગ અલગ ઘટનાઓમાં બે કર્મચારીઓ મોતને ભેટયા

vartmanpravah

Leave a Comment