March 23, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસનો આવકારદાયક અભિગમ દાનહમાં મામલતદાર કચેરી દ્વારા આવકના દાખલા માટે વિવિધ સ્‍કૂલોમાં કેમ્‍પનું આયોજન

લોકોને દુર દુરથી મામલતદાર કચેરીએ ફોર્મ લેવા આવવા પડતું હોવાથી કેમ્‍પનું કરાયેલું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12
દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસના દિશા-નિર્દેશ અનુસાર પ્રદેશના વિવિધ ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના બાળકોને સ્‍કોલરશિપ મેળવવા માટે આવકના દાખલાની જરૂર પડે છે. આ દાખલો મેળવવા માટેના ફોર્મનો સ્‍વીકારવા કરવા અને ફોર્મના વિતરણ માટે મામલતદર કચેરી દ્વારા એક કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.
ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં કેમ્‍પનું આયોજન કરવા અંગેની જાણકારી અગાઉથીશાળાના આચાર્યને આપવામાં આવી છે. ઉપરાંત આવકના ફોર્મ સાથે બીજા બીજા કયા કયા દસ્‍તાવેજો લાવવા છે તે અંગેની પણ જાણકારી આપવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય પાસેથી ફોર્મ મેળવી શકે છે.
આ કેમ્‍પ તા.16/11/2021ના દિવસે ટોકરખાડા મોડલ ઈગ્‍લિશ સ્‍કૂલ-સેલવાસ, નરોલી હાઈસ્‍કૂલ, સેલવાસ-ભિલાડ રોડ, દાદરા હાઈસ્‍કૂલ, દેમણી રોડ, રાંધા હાઈસ્‍કૂલ અને રખોલી હાઈસ્‍કૂલ, જ્‍યારે તા.17/11/2021ના રોજ ખરડપાડા હાઈસ્‍કૂલ, સ્‍કુલ ફળિયા અને ગલોંડા હાઈસ્‍કૂલ ખાતે સવારે 9:00 થી સાંજે 5:00 વાગ્‍યા સુધી આયોજન કરવામાં આવ્‍યું છે.
આ આવકના દાખલા લોકોએ દુર દુરથી મામલતદાર કચેરીએ આવવું પડતુ હોવાથી લોકોની સુવિધા માટે આ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ સેવાનો લાભ લેવા લોકોને નિવેદન કરવામાં આવ્‍યું છે.અત્રે ધ્‍યાનમાં રહે કે બપોરે 1.00 વાગ્‍યા સુધી જ આવકના દાખલા માટેની અરજીઓ સ્‍વીકારવામાં આવશે.

Related posts

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાનાવિદ્યાર્થીઓ

vartmanpravah

નવસારી ઍલસીબી પોલીસે મજીગામઓવરબ્રિજ પાસેથી દારૂ ભરેલ આઈ-૨૦ કાર સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે પીપરિયા વન વિભાગ કચેરી સામેની ખુલ્લી જગ્‍યામાં કરેલું વૃક્ષારોપણ: લીમડો, મહૂડો, વડ, ગુલમહોર, પીપળો જેવા 135 જેટલા છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

વલસાડ અબ્રામામાં આર.એન. સૃષ્‍ટિ સોસાયટીમાં તસ્‍કરોનો તરખાટ : ચાર મકાનના તાળા તોડયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ નાની દમણ જેટી ખાતે અરબી સમુદ્ર અને દમણગંગા નદીના સંગમ તટ ઉપર નિર્માણ પામી રહેલા સમુદ્ર નારાયણ ભગવાનમંદિરના શિખરની શાષાોક્‍ત વિધિ-વિધાનથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

વાપીના સી.એ. વિરૂધ્‍ધ વધુ એક કારનામાની પોલીસ ફરિયાદ જી.આઈ.ડી.સી. પો.સ્‍ટે.માં નોંધાઈ

vartmanpravah

Leave a Comment