October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઈવે ઉપર જૈન સાધુ-સાધ્‍વીજીઓના સંઘ ઉપર ગૌવંશોએ હુમલો કરતા ઘાયલોને સારવાર માટે મોકલાયા

પારનેરા સમાધિ મંદિરે દર્શન કરી વિહાર માટે મહારાજ સાહેબ અને સાધ્‍વીજીએ પારડી તરફ જઈ રહ્યા હતા ત્‍યારે ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ જિલ્લામાં વિહાર કરતા જૈન સાત મહારાજ સાહેબ 5 સેવકો સાથે પારનેરા સમાધિ મંદિરે દર્શન કરીને પારડી તરફ નિકળેલા હતા ત્‍યારે તોફાને ચઢેલ ગૌવંશજોએ જૈન સાધુઓના ટોળા ઉપર હુમલો કર્યો હતો. ઘટના બાદ ઘાયલ મુનિઓ અને સાધ્‍વિજીઓને સારવાર માટેખસેડાયા હતા.
જૈન મહારાજ સાહેબ ગોવિન સાગરજી અને અન્‍ય સાત મહારાજ સાહેબો પાંચ સ્‍વયં સેવકો સાથે પારનેરા સમાધિ મંદિરે દર્શન કરીને પારડી તરફ વિહાર કરવા આગળ વધી રહ્યા હતા ત્‍યારે ગૌવંશજોનું ટોળુ લડતું લડતું આવેલું અને વિહાર કરતા મહારાજ સાહેબ અને સાધ્‍વિજીઓને અડફેટે લીધા હતા. એક મુસ્‍લિમ બિરાદરે ટોળાને ભગાડી દીધું હતું. ઘટનાની જાણ વલસાડ જૈન સંઘને થતા અગ્રણીઓ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. 108ની મદદથી મહારાજ સાહેબને કસ્‍તુરબા હોસ્‍પિટલ સારવાર માટે ખસેડાયા હતા. ઘટનામાં બે સાધ્‍વિજીઓને પણ સામાન્‍ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ બાદ જૈનો કસ્‍તુરબા હોસ્‍પિટલ દોડી આવ્‍યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

vartmanpravah

તલાવચોરામાં તળાવમાંથી મળી આવેલ યુવતિની લાશના બનાવમાં ચીખલીના પોલીસે સાદકપોર-ગોલવાડના એક યુવાન અને તેના મિત્રોની પૂછપરછ કરી લીધેલા નિવેદન

vartmanpravah

કરચોંડ અને રાંધા, કૌંચાને જાડતા કોઝવે પર તુલસી નદીના પાણી ફરી વળ્યા

vartmanpravah

રેલવે મંત્રાલયદ્વારા ચીખલીના કણભઈ, ફડવેલ, અગાસી અને રૂમલામાં ભુસાવલ-પાલઘર રેલવે પરિયોજના માટે સર્વે હાથ ધરાયો

vartmanpravah

આજે દમણમાં રોજગાર મેળાનું આયોજનઃ સ્‍ટાફ સિલેક્‍શન બોર્ડ દ્વારા ભરતી પ્રક્રિયામાં સફળ ઉમેદવારોને એનાયત કરાશે એપોઈન્‍ટમેન્‍ટ લેટર

vartmanpravah

વાપીના કરાટે ટ્રેનર હાર્દિક જોષીનું મુખ્‍યમંત્રીના હસ્‍તે સન્‍માન

vartmanpravah

Leave a Comment