Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઈવે ઉપર જૈન સાધુ-સાધ્‍વીજીઓના સંઘ ઉપર ગૌવંશોએ હુમલો કરતા ઘાયલોને સારવાર માટે મોકલાયા

પારનેરા સમાધિ મંદિરે દર્શન કરી વિહાર માટે મહારાજ સાહેબ અને સાધ્‍વીજીએ પારડી તરફ જઈ રહ્યા હતા ત્‍યારે ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ જિલ્લામાં વિહાર કરતા જૈન સાત મહારાજ સાહેબ 5 સેવકો સાથે પારનેરા સમાધિ મંદિરે દર્શન કરીને પારડી તરફ નિકળેલા હતા ત્‍યારે તોફાને ચઢેલ ગૌવંશજોએ જૈન સાધુઓના ટોળા ઉપર હુમલો કર્યો હતો. ઘટના બાદ ઘાયલ મુનિઓ અને સાધ્‍વિજીઓને સારવાર માટેખસેડાયા હતા.
જૈન મહારાજ સાહેબ ગોવિન સાગરજી અને અન્‍ય સાત મહારાજ સાહેબો પાંચ સ્‍વયં સેવકો સાથે પારનેરા સમાધિ મંદિરે દર્શન કરીને પારડી તરફ વિહાર કરવા આગળ વધી રહ્યા હતા ત્‍યારે ગૌવંશજોનું ટોળુ લડતું લડતું આવેલું અને વિહાર કરતા મહારાજ સાહેબ અને સાધ્‍વિજીઓને અડફેટે લીધા હતા. એક મુસ્‍લિમ બિરાદરે ટોળાને ભગાડી દીધું હતું. ઘટનાની જાણ વલસાડ જૈન સંઘને થતા અગ્રણીઓ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. 108ની મદદથી મહારાજ સાહેબને કસ્‍તુરબા હોસ્‍પિટલ સારવાર માટે ખસેડાયા હતા. ઘટનામાં બે સાધ્‍વિજીઓને પણ સામાન્‍ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ બાદ જૈનો કસ્‍તુરબા હોસ્‍પિટલ દોડી આવ્‍યા હતા.

Related posts

ચીખલી તાલુકામાં મેઘરાજાની પધરામણી સાથે દિવસભર વરસાદી માહોલઃ ૨.૬૪ ઈંચ વરસાદ સાથે ઠેર-ઠેર પાણી ભરાયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહ પોલીસે લૂંટ અને હત્યાનો પ્રયાસ કરનાર છ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં ગેરકાયદે પાંજરામાં પોપટ રાખનારાઓ પર વનવિભાગની રેડ

vartmanpravah

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ટીપીઈઓ અને બીટ નિરીક્ષકોની જગ્‍યા લાંબા સમયથી ખાલી

vartmanpravah

દાદરા શ્રીમતી એમ.જી.લુણાવત સ્‍કૂલમાં કુપોષણ નિવારણ અંગે સેમીનાર યોજાયો

vartmanpravah

Leave a Comment