February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઈવે ઉપર જૈન સાધુ-સાધ્‍વીજીઓના સંઘ ઉપર ગૌવંશોએ હુમલો કરતા ઘાયલોને સારવાર માટે મોકલાયા

પારનેરા સમાધિ મંદિરે દર્શન કરી વિહાર માટે મહારાજ સાહેબ અને સાધ્‍વીજીએ પારડી તરફ જઈ રહ્યા હતા ત્‍યારે ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ જિલ્લામાં વિહાર કરતા જૈન સાત મહારાજ સાહેબ 5 સેવકો સાથે પારનેરા સમાધિ મંદિરે દર્શન કરીને પારડી તરફ નિકળેલા હતા ત્‍યારે તોફાને ચઢેલ ગૌવંશજોએ જૈન સાધુઓના ટોળા ઉપર હુમલો કર્યો હતો. ઘટના બાદ ઘાયલ મુનિઓ અને સાધ્‍વિજીઓને સારવાર માટેખસેડાયા હતા.
જૈન મહારાજ સાહેબ ગોવિન સાગરજી અને અન્‍ય સાત મહારાજ સાહેબો પાંચ સ્‍વયં સેવકો સાથે પારનેરા સમાધિ મંદિરે દર્શન કરીને પારડી તરફ વિહાર કરવા આગળ વધી રહ્યા હતા ત્‍યારે ગૌવંશજોનું ટોળુ લડતું લડતું આવેલું અને વિહાર કરતા મહારાજ સાહેબ અને સાધ્‍વિજીઓને અડફેટે લીધા હતા. એક મુસ્‍લિમ બિરાદરે ટોળાને ભગાડી દીધું હતું. ઘટનાની જાણ વલસાડ જૈન સંઘને થતા અગ્રણીઓ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. 108ની મદદથી મહારાજ સાહેબને કસ્‍તુરબા હોસ્‍પિટલ સારવાર માટે ખસેડાયા હતા. ઘટનામાં બે સાધ્‍વિજીઓને પણ સામાન્‍ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ બાદ જૈનો કસ્‍તુરબા હોસ્‍પિટલ દોડી આવ્‍યા હતા.

Related posts

વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રે દ્વારા ચિલ્ડ્રન હોમના બાળક માટે દત્તક વિધાનનો પ્રથમ આદેશ અપાયો

vartmanpravah

આજે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં જિ.પં., ગ્રા.પં. અને ન.પા.ની યોજાયેલી ચૂંટણીના પરિણામ આવેલાના 3 વર્ષ પૂર્ણ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનની પશ્ચિમ રેલવે ડિવિઝન પોલીસ વડા સરોજકુમારીએ મુલાકાત લીધી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા અથાલ અને વાસોણા ગામે ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયા

vartmanpravah

દમણ અને દીવથી પ્રથમ બેઠક જીતાડી ‘અબકી બાર 400 પાર’ના સૂત્ર અને સંકલ્‍પ સાથે ‘એકબાર ફિર મોદી સરકાર’ બનાવવામાં સહયોગ આપવા લાલુભાઈ પટેલે કરેલું આહ્‌વાન

vartmanpravah

પાલઘર મનોર હાઈવે ઉપર ગોઠવાયો પોલીસ કાફલો: વાઢવણબંદર વિરોધમાં રસ્‍તા રોકો આંદોલનની ચિમકી

vartmanpravah

Leave a Comment