December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઈવે ઉપર જૈન સાધુ-સાધ્‍વીજીઓના સંઘ ઉપર ગૌવંશોએ હુમલો કરતા ઘાયલોને સારવાર માટે મોકલાયા

પારનેરા સમાધિ મંદિરે દર્શન કરી વિહાર માટે મહારાજ સાહેબ અને સાધ્‍વીજીએ પારડી તરફ જઈ રહ્યા હતા ત્‍યારે ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ જિલ્લામાં વિહાર કરતા જૈન સાત મહારાજ સાહેબ 5 સેવકો સાથે પારનેરા સમાધિ મંદિરે દર્શન કરીને પારડી તરફ નિકળેલા હતા ત્‍યારે તોફાને ચઢેલ ગૌવંશજોએ જૈન સાધુઓના ટોળા ઉપર હુમલો કર્યો હતો. ઘટના બાદ ઘાયલ મુનિઓ અને સાધ્‍વિજીઓને સારવાર માટેખસેડાયા હતા.
જૈન મહારાજ સાહેબ ગોવિન સાગરજી અને અન્‍ય સાત મહારાજ સાહેબો પાંચ સ્‍વયં સેવકો સાથે પારનેરા સમાધિ મંદિરે દર્શન કરીને પારડી તરફ વિહાર કરવા આગળ વધી રહ્યા હતા ત્‍યારે ગૌવંશજોનું ટોળુ લડતું લડતું આવેલું અને વિહાર કરતા મહારાજ સાહેબ અને સાધ્‍વિજીઓને અડફેટે લીધા હતા. એક મુસ્‍લિમ બિરાદરે ટોળાને ભગાડી દીધું હતું. ઘટનાની જાણ વલસાડ જૈન સંઘને થતા અગ્રણીઓ ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. 108ની મદદથી મહારાજ સાહેબને કસ્‍તુરબા હોસ્‍પિટલ સારવાર માટે ખસેડાયા હતા. ઘટનામાં બે સાધ્‍વિજીઓને પણ સામાન્‍ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ બાદ જૈનો કસ્‍તુરબા હોસ્‍પિટલ દોડી આવ્‍યા હતા.

Related posts

નવસારી ઘેલખડી સ્‍થિત વિદ્યાધામ વિદ્યાલય ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્‍યમ શાળા ખાતે ત્રિ-દિવસીય સ્‍પોર્ટ્‍સ-ડેની ઉજવણી પ્રારંભ

vartmanpravah

વલસાડમાં દમણિયા સોની યુથ ગૃપ દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ ટુર્નામેન્‍ટ રમાડાઈ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના બૂથ સશક્‍તિકરણ કાર્યક્રમનો આરંભઃ મંડળ સમિતિના સભ્‍યો સાથે યોજાયેલી બેઠક

vartmanpravah

સંઘપ્રદેશપ્રશાસનના 148 એલડીસી-યુડીસીની એક સામટી બદલી : કહી ગમ, કહી ખુશીનો માહોલ: લગભગ 13 જેટલા કર્મીઓની આંતર જિલ્લા બદલી

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ આવતી કાલ વધુ ઉજળી બનશે

vartmanpravah

વાપીમાં સાન્‍દ્રાબેન શ્રોફ નર્સિંગ કોલેજ દ્વારા આંતર કોલેજ સ્‍પોર્ટ્‌સ ટૂર્નામેન્‍ટનું પ્રથમવાર આયોજન

vartmanpravah

Leave a Comment