Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

  • વાતાવરણમાં બદલાવને કારણે રોગચાળો વધવાની સંભાવના : દોઢ ઇંચ વરસાદ પડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
દાદરા નગર હવેલીમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોરે કડાકાભડાકા સાથે વરસાદ શરુ થઇ ગયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયુ છે. સેલવાસ અને આજુબાજુના વિસ્‍તારમા બપોરે બે વાગ્‍યાથી સાંજે છ વાગ્‍યા દરમ્‍યાન 34એમએમ વરસાદ પડયો હતો.
ભારે વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના ડાંગરનો કપાયેલો પાક સાથે કઠોળનો પાક પણ ખેતરમા જ ઉભો છે તેવા સમયે બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્‍યાપક નુકસાન થયુ છે. ખેડૂતો તાડપત્રી ઢાકી પોતાના પાકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર આગામી બે દિવસ વરસાદની આગાહી છે જો ફરી બે દિવસ વરસાદ પડશે તો ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવશે. આ કમોસમી વરસાદને કારણે ડેંગ્‍યુના રોગમાં પણ વધારો થવાની સંભાવના છે.

Related posts

દાદરા ગામમાં ‘ગૌ રથ યાત્રા’નું કળશયાત્રા દ્વારા કરાયેલું સ્‍વાગત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રેતી ડમ્‍પર ચાલકે બે કારને ટક્કર મારી સદનસીબે કાર સવાર બે પરિવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વલસાડ વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ રાજુભાઈ મરચાને ઉમેદવાર જાહેર કર્યો

vartmanpravah

નવસારી જિલ્લા ટુરિસ્‍ટ વ્‍હીકલ એસોસીએશન દ્વારા આરટીઓ અધિકારી કેતન વ્‍યાસ વિરુદ્ધ ધમકી આપતા હોવાની રાજ્‍યના મુખ્‍યમંત્રી સહિત ઉચ્‍ચકક્ષાએ રજૂઆત

vartmanpravah

સેલવાસ રંગ અવધૂત પરિવાર દ્વારા સ્‍વામી સમર્થની જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

વિજયના વિશ્વાસ સાથે વાપીમાં દબદબાપૂર્વક ‘ગુજરાત ગૌરવ યાત્રા’ યોજાઈ

vartmanpravah

Leave a Comment