April 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

વર્ચ્‍યુઅલ બેઠકમાં આસામ ઓબીસી મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ અશ્વિની રાય સરકાર, પ્રદેશ સેક્રેટરી ઓબીસી મોર્ચા, સોશિયલ મીડિયા કન્‍વીનર પ્રાણજ્‍યોતિ નાથ, બીજેપી ઓબીસી મોર્ચાના મીડિયા કન્‍વીનર દાદુ, મોની બોરા તથા પ્રદેશ પદાધિકારી ઓબીસી મોર્ચાના સભ્‍ય, જિલ્લાના પદાધિકારી અને સભ્‍યોએ આપેલી હાજરી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે આજે ભાજપ ઓબીસી મોરચાના પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ, સોશિયલ મીડિયા અને આઈટી અને તમામ કાર્યકરો સાથે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠક કરી હતી.
આ વર્ચ્‍યુઅલ બેઠકમાં આસામના ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ શ્રી અશ્વિની રાય સરકાર, પ્રદેશ સેક્રેટરી ઓબીસી મોર્ચા, સોશિયલ મીડિયા કન્‍વીનર શ્રી પ્રાણજ્‍યોતિ નાથ, બીજેપી ઓબીસી મોર્ચાના મીડિયા કન્‍વીનર શ્રી દાદુ, શ્રી મોની બોરા તથા પ્રદેશ પદાધિકારી ઓબીસી મોર્ચાના સભ્‍ય, જિલ્લાના પદાધિકારી અને સભ્‍ય હાજર રહ્યા હતા.
આ વર્ચ્‍યુઅલ બેઠકમાં ઓબીસી મોરચા આસામના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે ભાજપનો જનાધાર વધારવા સંગઠિત બની કામકરવા અને મોદી સરકારની વિવિધ યોજનાઓ તથા રાજ્‍ય સરકારની કલ્‍યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા આહ્‌વાન કર્યુ હતું.

Related posts

મહિલા પ્રસૂતી ગૃહના પાછળના ભાગે દર્દી સાથે ઘોર નિંદ્રામાં શ્વાન: ચીખલીની સબ જિલ્લા હોસ્પિટલની બેદરકારી ઉજાગર

vartmanpravah

આગામી લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવની બેઠક જીતનું પુનરાવર્તન કરશેઃ કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેનો વિશ્વાસ

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

વલસાડમાં ગણેશ મહોત્‍સવ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને ટાસ્‍ક ફોર્સની બેઠક મળી

vartmanpravah

વલસાડના છીપવાડમાં શ્રી કૃષ્‍ણ પ્રણામી જૂના મંદિર ખાતે 10મી માર્ચે આયુષ મેળો યોજાશે

vartmanpravah

Leave a Comment