Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં લેબર વિભાગ દ્વારા કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કામગીરી શરૂ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23
શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકારે 38 કરોડથી વધુ અસંગઠિત કામદારો જેવા કે કન્‍ટ્રક્‍શનમજુર, લેબર, પ્રવાસી મજુર, સડક નિર્માણ મજુર, વિક્રેતા, ઘરેલું કામદાર, પરિવહન કર્મચારી, કળષિ મજુર વગેરેની નોંધણી કરવાના ઉદેશ્‍યથી દેશભરમા અસંગઠિત વર્ગના મજૂરોની નોંધણી માટે ઈ-શ્રમ પોર્ટલ લોન્‍ચ કરવામા આવ્‍યું છે.
જેમાં નોંધાયેલ મજૂરોને એક વર્ષ માટે બે લાખ રૂપિયાનો આકસ્‍મિક લાભ મળી રહેશે. જો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ કોઈ કર્મચારી દુર્ઘટનાનો શિકાર થયો હોય તો મળત્‍યુ અથવા તો વિકલાંગતા પર બે લાખ રૂપિયા અને આંશિક વિકલાંગતા પર એક લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે.
જિલ્લા પ્રાધિકરણના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર શ્રમ વિભાગ અને સામાન્‍ય સેવા કેન્‍દ્ર સેલવાસમાં જિલ્લાના વિવિધ વિભાગોના સહયોગ દ્વારા અસંગઠિત શ્રમિકોની નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. 22મી નવેમ્‍બર સુધીમા અંદાજીત 2259 મજૂરોની નોંધણી થઈ ગઈ છે.
દાદરા નગર હવેલીના અસંગઠિત કામદારોને અપીલ છે કે તેઓ આધારકાર્ડ, બેંક ખાતાની વિગત અને આધારકાર્ડ સાથે નોંધાવવામા આવેલ મોબાઈલ નંબર સાથે નજીકના કોમન સર્વિસ સેન્‍ટર અથવા સરલ સેવા કેન્‍દ્ર પર જઈને ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવે. શ્રમિકોએ કોઈપણ પ્રકારની સહાયતા માટે લેબર વિભાગ સેલવાસનો સંપર્ક કરી શકે છે.

Related posts

ખાનવેલમાં સાંસદ લાલુભાઈ પટેલે કબડ્ડી ટૂર્નામેન્‍ટનો કરાવેલો શુભારંભ

vartmanpravah

વલસાડ જિલ્લાની 302 ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર: સરપંચ અને સભ્‍યની ક્‍યાંક એક મતે હાર-જીત તો કોઈ સભ્‍ય ઉમેદવારને માત્ર એક મત મળ્‍યો

vartmanpravah

69મા મુક્‍તિ દિન પ્રસંગે દાનહના બદલાયેલા રૂપરંગની ઝાંખી કરાવતા જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા  

vartmanpravah

 દાદરા નગર હવેલીનો ઇતિહાસ

vartmanpravah

દીવના દરિયામાં નેવીના જહાજનું આગમન થતા લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જાયા

vartmanpravah

માનવ અધિકાર દિવસ નિમિત્તે દાનહઃ હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચના ઉપક્રમે ટ્રાન્‍સજેન્‍ડરના અધિકારો પર એક દિવસીય વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment