Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપા દૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસોથી દાનહની નમો મેડિકલ કોલેજ માટે 331 કાયમી પોસ્‍ટો માટેનાણાં મંત્રાલયની મળેલી મંજૂરી : હવે પ્રદેશને મળશે પૂર્ણ સમયના નિષ્‍ણાંત ડોક્‍ટરોની સેવા

  • 331 કાયમી પોસ્‍ટોમાં 193 193-ટીચિંગ પોસ્‍ટ અને 138-ટેકનિકલ/નોન-ટીચિંગ પોસ્‍ટને મળેલી મંજૂરી
  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને ભારત સરકારની દાનહ અને દમણ-દીવના લોકોના કલ્‍યાણ અને આરોગ્‍ય સેવા માટે ઓર એક મોટી ભેટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવને આશીર્વાદરૂપ મળેલ નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રીસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટને આજે નાણાં મંત્રાલયે 331 કાયમી પોસ્‍ટોની મંજૂરી આપી દીધી છે, જે પ્રદેશ માટે ઘણી મોટી ઉપલબ્‍ધિ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કુશળ માર્ગદર્શન અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દીર્ઘદૃષ્‍ટિ અને અથાક પ્રયાસોને કારણે પ્રદેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે અને વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે.
પ્રદેશના આરોગ્‍ય નિર્દેશાલય તરફથી આરોગ્‍ય મંત્રાલયને મેડિકલ કોલેજ માટે 336 સ્‍થાનિક પદો માટે દરખાસ્‍ત મોકલવામાં આવી હતી. જેને ખૂબ જ ગંભીરતાથી લેતા, મંત્રાલયે આગળની કાર્યવાહી માટે ગળહ મંત્રાલયને મોકલી હતી, જેની સંપૂર્ણ તપાસ કર્યા બાદ નાણાં મંત્રાલયને મોકલવામાં આવી હતી.
ભારત સરકારના નાણાંમંત્રાલયે તમામ પાસાઓની તપાસ કર્યા બાદ આજે 336 પોસ્‍ટોમાંથી 331 પોસ્‍ટોને મંજૂરી આપી છે. આ 331 કાયમી પોસ્‍ટમાં, 193-ટીચિંગ પોસ્‍ટ અને 138-ટેકનિકલ/નોન-ટીચિંગ પોસ્‍ટને મંજૂરી આપવામાં આવી છે. આ પોસ્‍ટ્‍સમાં, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર, ટયુટર અને ટેકનિશિયન / નર્સ / મેડિકલ સોશિયલ વર્કર જેવી ઘણી પોસ્‍ટ્‍સ છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ એક નાનું સંઘ રાજ્‍ય છે, પરંતુ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસલક્ષી દષ્‍ટિ હંમેશા આ પ્રદેશ પર રહી છે. જેના આશીર્વાદરૂપ મેડિકલ કોલેજની ભેટ પ્રદેશવાસીઓને મળી છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પ્રયાસો અને પ્રદેશને વિકાસની દિશામાં લઈ જવાના સંકલ્‍પનું પરિણામ છે કે આટલા નાના રાજ્‍યમાં આટલી મોટી કાયમી પદોની મંજુરી મળવાથી મેડિકલ કોલેજનો વિકાસ તો થશે જ સાથે સાથે પ્રદેશના લોકોને રોજગારીની સુવર્ણ તક પણ મળશે.

Related posts

દાનહના શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની અધધ… રૂા.41 કરોડ 10 લાખ કરતા વધુની રોકડ સહિત સંપત્તિ

vartmanpravah

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’નું રજીસ્‍ટ્રેશન શરૂ

vartmanpravah

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

vartmanpravah

દીવમાં ફેમિલી હેલ્‍થ સર્વે શરૂ થયો

vartmanpravah

દમણ પોલીકેબ દ્વારા તમામ એકમોમાં તિરંગો ફરકાવી 76મા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment