January 25, 2025
Vartman Pravah
Breaking Newsદમણસેલવાસ

દમણના ઉપ વન સંરક્ષક જોજોના અણઘડ વહીવટથી ખોરંભે પડનારી જિલ્લાની કેટલીક મહત્‍વની યોજનાઓ

હેડ ક્‍વાર્ટર દમણ હોવા છતાં દરરોજ સેલવાસથી અપ-ડાઉન કરી પ્રશાસનના નાણાં અને સમયનો કરી રહેલા બગાડ

પ્રદેશના વિકાસ માટે નકારાત્‍મક અભિગમ ધરાવતા અધિકારીને મુખ્‍ય રાહ ઉપર લાવવા પ્રશાસન દ્વારા યોગ્‍ય પગલા ભરવામાં આવે એવી બુલંદ બનેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09
દમણના વન વિભાગમાં ઉપ વન સંરક્ષક તરીકે કાર્યરત આઈએફએસ અધિકારી શ્રી જોજોના અણઘડ વહીવટના કારણે વન વિભાગની ઘણી યોજનાઓ ખોરંભે પડવાની ભીતિ સર્જાઈ રહી છે. શ્રી જોજોનું મુખ્‍ય મથક દમણ હોવા છતાં તેઓ દરરોજ સેલવાસથી દમણ આવતા હોવાથી કટોકટીની સ્‍થિતિમાં તેઓ સ્‍થળ ઉપર સમયસરહાજર રહી શકવા અસમર્થ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગત તારીખ 08 ફેબ્રુઆરી, ર0રરના રોજ મગરવાડા-પટલારાના પ્રદિપ નામના વ્‍યક્‍તિએ જાણકારી આપી હતી કે, તેમણે દિપડાને જતો જોયો હતો. આ માહિતી મળતા જ વન વિભાગની ટીમ સક્રિય બની હતી અને સ્‍થળ ઉપર વોચ પણ રાખી હતી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન ડીસીએફ શ્રી જોજો સેલવાસ હોવાના કારણે તેઓ ઘટના સ્‍થળે ઉપસ્‍થિત નહી રહી શક્‍યા હતા.
મળતી માહિતી પ્રમાણે ડીસીએફ શ્રી જોજોની અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાંથી તાજેતરમાં જ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બદલી થઈ હતી. તેમને દમણના ડીસીએફ તરીકે જવાબદારી સોંપી દમણ હેડ ક્‍વાર્ટર રખાયું હતું. પરંતુ શ્રી જોજો દરરોજ સેલવાસથી દમણ અપ-ડાઉન કરી રહ્યા છે. જેના કારણે સમય અને નાણાંનો પણ બગાડ થઈ રહ્યો છે.
ઉપ વન સંરક્ષક શ્રી જોજો સંઘપ્રદેશ પ્રશાસનના કેટલાક આદેશોને પણ ગંભીરતાથી નહી લેતા હોવાનો ગણગણાટ તેમના જ વિભાગમાં થઈ રહ્યો છે. જેના કારણે વિકાસ યોજનાઓની આડે આવતા વૃક્ષોને દુર કરવા પણ અડચણ પેદા કરતા હોવાની પણ વાતો વહેતી થઈ છે.
સંઘપ્રદેશ પ્રશાસનને નંદનવન અને વિક્‍સિત પ્રદેશ બનાવવા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સહિત તમામ અધિકારીઓ પોતાની સંપૂર્ણ નિષ્‍ઠાથીકામ કરી રહ્યા છે, ત્‍યારે આવા નકારાત્‍મક અભિગમ ધરાવતા અધિકારીને મુખ્‍ય રાહ ઉપર લાવવા પ્રશાસને યોગ્‍ય સમીક્ષા કરવી જોઈએ એવી માંગ પ્રબળ બની છે.

Related posts

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર : કપરાડા, અંભેટી નવોદય વિદ્યાલયના 13 વિદ્યાર્થીઓ સંક્રમિત

vartmanpravah

કુકેરી ગામની મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા 108 એમ્‍બ્‍યુલન્‍સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવાઈ

vartmanpravah

વલસાડ અબ્રામાત હાઈવે ઉપર રોડ ક્રોસ કરી રહેલા વૃધ્‍ધ ઉપર ટેમ્‍પો ફરીવળતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિશા-નિર્દેશ હેઠળ દમણ જીએસટી વિભાગ પોતાનો દાયરો વધારશેઃ 11થી 30 એપ્રિલ સુધી દરેક પંચાયતો ઉપર રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન

vartmanpravah

દાદરામાં રાજસ્થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતિ સમારોહ સંદર્ભે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું

vartmanpravah

દાનહના ગલોન્‍ડા ગામેથી શંકાસ્‍પદ હાલતમાં મહિલાની લાશ મળતા ચકચાર

vartmanpravah

Leave a Comment