Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસની શિવપ્રકાશ મેમોરિયલ સ્‍કુલમાં સાંસદ કલાબેન ડેલકર દ્વારા કરાયેલું નારી શક્‍તિઓનું સન્‍માન

  • લોકસભાના સ્‍પિકર ઓમ બિરલાના ધર્મપત્‍ની ડો. અમિતા બિરલાની પણ રહેલી ઉપસ્‍થિતિ

  • દાદરા નગર હવેલીની સમસ્‍યાને સરકાર સુધી પહોંચાડવા માધ્‍યમ બનવા સ્‍પિકર ઓમ બિરલાના ધર્મપત્‍ની ડો.અમિતા બિરલાએ બતાવેલી તત્‍પરતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.12
સેલવાસના શિવપ્રકાશ મેમોરિયલ શાળામાં નારી શક્‍તિઓનું સન્‍માન કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યુંહતું. જેમા શાળાના સંચાલિકા દ્વારા લોકસભા સ્‍પીકર ઓમ બિરલાની ધર્મપત્‍ની ડો.અમિતા જેઓ કોટા રાજસ્‍થાનના સમાજસેવી હોવાને કારણે અને હાલમાં પાંચ દિવસથી સેલવાસમા ચાલી રહેલ ભાગવત કથાના મેહમાન બનેલ એવા તેઓનું નારી શક્‍તિના પ્રતીક સ્‍વરૂપે સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરના હસ્‍તે સન્‍માનિત કરવામા આવ્‍યા હતા.
આ અવસરે ડો.અમિતાએ જણાવ્‍યું હતું કે, આ ફક્‍ત મારુ જ નહિ સમસ્‍ત નારીઓનું સન્‍માન છે અને દાનહમાં જે કોઈપણ સમસ્‍યા હોય તે અમને જણાવો અમે તમારી વાત લોકસભા સુધી પહોંચાડીશું. આ અવસરે શાળાના સંચાલિકા ડો.પ્રેમીલા ઉપાધ્‍યાય, ચેરમેન શ્રી સુશીલ ઉપાધ્‍યાય, ડો.અમિતા બિરલા, સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, જિગીષા પટેલ, સિમ્‍પલ કાટેલા સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્‍ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ

vartmanpravah

વલસાડ-લીલાપોર અને સરોધી વચ્‍ચેનું ફાટક 31 ઓગસ્‍ટ સુધી બંધ કરી દેવાતા હોબાળો

vartmanpravah

મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે પૂરના અસરગ્રસ્‍ત નવસારી જિલ્લાના આશ્રયસ્‍થાનની મુલાકાત લઈને અલુણાવ્રત રાખનાર બાળકી સાથે સંવેદનશીલ સંવાદ કરી માનવીય અભિગમ દાખવ્‍યો

vartmanpravah

કપરાડા તાલુકાના સુખાલા ગામના સરપંચ-ડેપ્‍યુટી સરપંચ સત્તારૂઢ થયાં

vartmanpravah

દાનહ ચિસદા ગામનો રસ્‍તો જર્જરિત હોવાને કારણે લોકોને હાલાકી

vartmanpravah

લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલ ભારત સ્‍કાઉટ ગાઇડ દ્વારા વૃક્ષારોપણ કરાયું: વન સંપત્તિનું રક્ષણ એ આપણા સૌની જવાબદારી છેઃ રાજ તિલક સેલવા

vartmanpravah

Leave a Comment