Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું સન્‍માન પત્ર

ડો.કળપાલીબેન દીપકભાઈ પટેલ અને સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રની સમગ્ર ટીમ આરોગ્‍યલક્ષી વિવિધ સેવાઓ આપવામાં જિલ્લામાં અગ્રેસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સરીગામ, તા.13: કપરાડા તાલુકાના સુખાલા ખાતે કાર્યરત આરોગ્‍ય કેન્‍દ્રમાં ફરજ બજાવતા ડો.કળપાલીબેન દીપકભાઈ પટેલ અને આરોગ્‍ય કેન્‍દ્રની સમગ્ર ટીમનુ આજરોજ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. આજરોજ જીએમઈઆરએસ હોસ્‍પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે આયુષ્‍યમાન ભવઃ કાર્યક્રમનો શુભારંભ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રોપદીના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. માર્ચ મહિનામાં કેન્‍દ્ર સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ગુણવત્તાની ચકાસણી અર્થે કેન્‍દ્રની આરોગ્‍ય ટીમ દ્વારા જિલ્લાના વિવિધ આરોગ્‍ય કેન્‍દ્રમાં ચાલતી આરોગ્‍ય લક્ષી વિવિધ સેવાઓનું મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલાની આરોગ્‍ય કેન્‍દ્રની કામગીરી 88.49 ટકા સાથે જિલ્લામાં અગ્રેસર રહેવા પામી હતી. જે કામગીરીને સન્‍માનિત કરવા માટે આજરોજ જિલ્લા આરોગ્‍ય અધિકારીના હસ્‍તે ડોક્‍ટર કળપાલીબેન દીપકભાઈ પટેલને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેના કારણે કપરાડા તાલુકા તેમજ સુખાલા ગામ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

Related posts

ઉમરસાડી માછીવાડમાં ન્‍હાવા પડેલ બે મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત

vartmanpravah

વલસાડ જિલ્લાના વહીવટી કેન્‍દ્રના સહયોગથી જે.પી.પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં 36 માં નેશનલ ગેમ્‍સના ઓવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

દીવમાં અગ્નિશમન દિવસ નિમિત્તે ‘અગ્નિશમન સેવા સપ્તાહ’ની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

નવસારી જિલ્લામાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્‍યમાન કાર્ડ વિતરણ કરાશે

vartmanpravah

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

vartmanpravah

ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશાક દવાઓની ખરીદીમાં સાવધાની રાખવા અપીલ

vartmanpravah

Leave a Comment