March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું સન્‍માન પત્ર

ડો.કળપાલીબેન દીપકભાઈ પટેલ અને સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રની સમગ્ર ટીમ આરોગ્‍યલક્ષી વિવિધ સેવાઓ આપવામાં જિલ્લામાં અગ્રેસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સરીગામ, તા.13: કપરાડા તાલુકાના સુખાલા ખાતે કાર્યરત આરોગ્‍ય કેન્‍દ્રમાં ફરજ બજાવતા ડો.કળપાલીબેન દીપકભાઈ પટેલ અને આરોગ્‍ય કેન્‍દ્રની સમગ્ર ટીમનુ આજરોજ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. આજરોજ જીએમઈઆરએસ હોસ્‍પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે આયુષ્‍યમાન ભવઃ કાર્યક્રમનો શુભારંભ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રોપદીના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. માર્ચ મહિનામાં કેન્‍દ્ર સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ગુણવત્તાની ચકાસણી અર્થે કેન્‍દ્રની આરોગ્‍ય ટીમ દ્વારા જિલ્લાના વિવિધ આરોગ્‍ય કેન્‍દ્રમાં ચાલતી આરોગ્‍ય લક્ષી વિવિધ સેવાઓનું મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલાની આરોગ્‍ય કેન્‍દ્રની કામગીરી 88.49 ટકા સાથે જિલ્લામાં અગ્રેસર રહેવા પામી હતી. જે કામગીરીને સન્‍માનિત કરવા માટે આજરોજ જિલ્લા આરોગ્‍ય અધિકારીના હસ્‍તે ડોક્‍ટર કળપાલીબેન દીપકભાઈ પટેલને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેના કારણે કપરાડા તાલુકા તેમજ સુખાલા ગામ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

Related posts

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

રસીકરણ મહાઅભિયાન અંતર્ગત વાપી અને વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર રાત્રિ વેક્સિનેશન સેશનનો પ્રારંભ

vartmanpravah

વલસાડ સ્‍ટેશનથી બે મહિના પહેલા મોપેડ ચોરી ફરાર થયેલ આરોપી વાપીથી ઝડપાયો

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

ચીખલીમાં કોંગ્રેસની આગેવાનીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી જ્ઞાન સહાયક યોજના રદ્‌ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવા કરેલી માંગ

vartmanpravah

ભંગારની આડમાં રીક્ષા ટેમ્‍પોમાં દારૂ લઈ જતા બે ખેપિયા પારડી ચાર રસ્‍તા નજીકથી ઝડપાયા

vartmanpravah

Leave a Comment