April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું સન્‍માન પત્ર

ડો.કળપાલીબેન દીપકભાઈ પટેલ અને સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રની સમગ્ર ટીમ આરોગ્‍યલક્ષી વિવિધ સેવાઓ આપવામાં જિલ્લામાં અગ્રેસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સરીગામ, તા.13: કપરાડા તાલુકાના સુખાલા ખાતે કાર્યરત આરોગ્‍ય કેન્‍દ્રમાં ફરજ બજાવતા ડો.કળપાલીબેન દીપકભાઈ પટેલ અને આરોગ્‍ય કેન્‍દ્રની સમગ્ર ટીમનુ આજરોજ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા છે. આજરોજ જીએમઈઆરએસ હોસ્‍પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે આયુષ્‍યમાન ભવઃ કાર્યક્રમનો શુભારંભ રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રોપદીના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. માર્ચ મહિનામાં કેન્‍દ્ર સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ગુણવત્તાની ચકાસણી અર્થે કેન્‍દ્રની આરોગ્‍ય ટીમ દ્વારા જિલ્લાના વિવિધ આરોગ્‍ય કેન્‍દ્રમાં ચાલતી આરોગ્‍ય લક્ષી વિવિધ સેવાઓનું મૂલ્‍યાંકન કરવામાં આવ્‍યું હતું. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલાની આરોગ્‍ય કેન્‍દ્રની કામગીરી 88.49 ટકા સાથે જિલ્લામાં અગ્રેસર રહેવા પામી હતી. જે કામગીરીને સન્‍માનિત કરવા માટે આજરોજ જિલ્લા આરોગ્‍ય અધિકારીના હસ્‍તે ડોક્‍ટર કળપાલીબેન દીપકભાઈ પટેલને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેના કારણે કપરાડા તાલુકા તેમજ સુખાલા ગામ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

Related posts

બરોડા આરસેટી દ્વારા શાકભાજી નર્સરી સંચાલન અને ખેતી અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નિરોગી દીર્ઘાયુ માટે દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓ.બી.સી. મોરચાએ ભાવભક્‍તિપૂર્વક કરેલી ભગવાન વિશ્વકર્મા પૂજા

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના શાળાકીય રમતોત્‍સવમાં મોટી દમણ કોમ્‍પ્‍લેક્ષમાં ચેમ્‍પિયન બનેલી દમણવાડા અપર પ્રાઈમરી સ્‍કૂલ

vartmanpravah

દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી ૨૦૨૧માં યોજાવાની સંભાવના ધૂંધળી

vartmanpravah

વાપી નગરપાલિકાએ રસ્‍તો રખડતા ઢોરોને પકડવાની પ્રક્રિયા હાથ ધરી

vartmanpravah

Leave a Comment