April 19, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી કોચરવામાં બાકી પૈસા માટે સગીર ઉપર જવલનશીલ પદાર્થ ચહેરા પર લગાડી આંખો ઉપર ઈજા પહોંચાડી

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી (ચલા), તા.3:
વાપીમાં એક બિહારી ઈસમે બાકી નીકળતા પૈસાની ઉઘરાણી માટે સગીરને ઢીક્કામુક્કીનો માર મારી તેની ઉપર જવલનશીલ પ્રવાહીવાળુ કપડુ ચહેરા ઉપર લગાડતા તેમની બંને આંખો અને ચહેરો દાઝી ગયો હતો. જે બનાવ અંગેની ફરિયાદ સગીરની માતાએ વાપી ડુંગરા પોલીસ મથકમાં નોંધાવી હતી.
વાપી ડુંગરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, મૂળ ઝારખંડના વતની અને હાલ વાપી નજીકના છીરી ગામ, રણછોડ નગરમાં મત્‍યુંજયસિંહ ઉર્ફે બબ્‍બુની ચાલમાં ખુશ્‍બુદેવી ભીમ વિલાસ મંડલ (ઉં.આ.35) પરિવાર સાથે રહે છે. આ પહેલા તેઓ વાપીના છીરી રણછોડ નગરમાં મનિષભાઈની ચાલીમાં રહેતા હતાં. તેમના પતિ સાથે અણબનાવ બનતા છોડી જતા તેઓ બાળકો સાથે રહે છે. દોઢેક વર્ષ પહેલા મનિષની ચાલીમાં રહેતા વિષ્‍ણુદેવ મહાદેવમહાદેવ તાતી (રહે. છીરી, રણછોડનગર, મનીષ ચાલ, છીરી, વાપી મૂળ બિહાર) પાસેથી એલઈડી ટીવી તથા મિકસર મશીન ખરીદવા માટે રૂ.50 હજારની મદદ કરેલ હતી. જે પૈસા માટે અવરનવર પૈસાની માંગણી કરતો હોય જેથી રૂા.12 હજાર આપેલા હતા અને રૂા.38 હજાર બાકી હોય તે ટૂકડે-ટૂકડેઆપવાનું જણાવ્‍યું હતું. જે અદાવત રાખી વિષ્‍ણુદેવ તારીખ 1-12-21 ના રોજ સાંજે ખુશ્‍બુદેવીનો સગીર પુત્ર સાજન (ઉં.આ.10)ને નાસ્‍તો કરાવવાના બહાને સાઈકલ પર બેસાડી લઈ ગયો હતો અને વાપી નજીકના કોચરવા ગામે પ્રકાશ ફળિયા, એકાંત એરીયામાં લાવી ઢીક્કામુક્કીનો માર મારી રૂમાલ જેવા કપડામાં જવલનશીલ પ્રવાહી નાંખી સગીરના ચહેરા પર લગાડતા બંને આંખ અને ચહેરો દાઝી ગયો હતો.
જે બાદ સગીરે બૂમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને વિષ્‍ણુદેવ ત્‍યાંથી ભાગી છૂટયો હતો. જે બાદ સગીરને ચલા હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખસેડયો હતો. જે બનાવ અંગેની ફરિયાદ સગીરની માતા ખુશ્‍બુદેવી ભીમ વિલાસ મંડલે વાપી ડુંગરા પોલીસ મથકમાં વિષ્‍ણુદેવ મહાદેવ તાતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Related posts

દાનહ અને દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ રેગ્‍યુલેશન 2004 અંતર્ગત 2022માં કરાયેલા સુધારાથી દમણ અને સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે સર્જાયેલી અનિશ્ચિતતા

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ સરીગામ ભીલાડ દ્વારા મેગા ફ્રી મેડિકલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડમાં હાઈવે પર પસાર થતા ટ્રાન્‍સપોર્ટના વાહન ચાલકો માટે નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં જુની થયેલી આંબાવાડીના નવીનીકરણ માટે કૃષિ પ્રાયોગિક કેન્દ્ર -બાગાયત ખાતાની પહેલ

vartmanpravah

સરીગામમાં આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની ચાલતી તડામાર તૈયારી

vartmanpravah

દાનહમાં01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment