April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીને નગરપાલિકા બનાવવાની વર્ષો જૂની માંગ: નજીકના દિવસોમાં ચીખલી નગરપાલિકા જાહેર થવાની અટકળોએ જોર પકડયું

ચીખલી નગરપાલિકા બનાવવાની વર્ષો જૂની માંગણીનો અંત!: નજીકના દિવસોમાં નગરપાલિકા જાહેર થવાની અટકળોએ જોર પકડયું

આજુબાજુના ગામોના સમાવેશ સાથે ચીખલીને નગરપાલિકા જાહેર કરવાના ભણકારા વચ્‍ચે કહી ખુશી કહી ગમ જેવો માહોલ

(અહેવાલ-દીપક સોલંકી)

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.11: તાલુકા મથક ચીખલી અને તેને અડીને આવેલા સમારોલી, ખૂંધ, થાલા, મજીગામ, મલવાડા સહિતના ગામોનો સમાવેશ કરીનગરપાલિકા બનાવવાની વાત વર્ષોથી ચાલી રહી છે. હાલે વિભાજન બાદ તલાવચોરા ગામ ઉપરાંત આલીપોર ગામનો પણ સમાવેશ કરવાની ચર્ચા ચાલી રહી છે અને 25-ડિસેમ્‍બરના રોજ સુશાસન દિવસ નિમિતે અથવા તે પૂર્વે ચીખલી નગરપાલિકા જાહેરાત થઈ જવાની અટકળોએ તાલુકામાં જોર પકડ્‍યું છે. તેવામાં વર્તમાન ગ્રામ પંચાયતની સરપંચ સાથે બોડી બરખાસ્‍ત થાય તે ઉપરાંત વેરો વધવા સાથે માર્જિન સહિતના પ્રશ્નોને લઈને કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જવા પામ્‍યો છે. જોકે નગરપાલિકા જાહેર થાય તો ડ્રેનેજ, ફાયર સ્‍ટેશન, કચરાનો નિકાલ સહિતના પ્રશ્નોનું નિવારણ સાથે માળખાકીય સુવિધામાં વધારો થશે તે પણ નિヘતિ છે.
ચીખલી નજીકના ગામોમાં ક્‍વોરી ઉદ્યોગ ધમધમવા સાથે અનેક ધંધા રોજગારનો પણ વિકાસ થયો છે. ચીખલીને અડીને રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ લોકમાતા કાવેરી પણ પસાર થાય છે. ચીખલી સાથે તેને અડીને આવેલા ખૂંધ, થાલા, મજીગામ, સમરોલી, આલીપોરનો પણ વેપારી મથક તરીકે વિકાસ થયો છે. આલીપોરમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના હજ્‍જારો પશુપાલકોને ઘર આંગણે રોજગારી આપતી વસુધારા ડેરી પણ ધમધમે છે.
ચીખલી અને આસપાસના ગામોમાં રહેણાંક વિસ્‍તારનો પણ છેલ્લા વર્ષોમાં મોટાપાયે વિકાસ થયો છે. બીજી તરફ અનેક શૈક્ષણિકસંસ્‍થાઓ, હોસ્‍પિટલો પણ આવેલી છે. આજ બધા ગામોમાં એસટી બસ સ્‍ટેન્‍ડ ઉપરાંત મોટેભાગની સરકારી કચેરીઓ પણ ધમધમે છે. તેવામાં નગરપાલિકા જાહેર થાય તો વિકાસને વેગ મળવા સાથે લોકોની સુવિધામાં વધારો થઈ શકે તેમ છે. જોકે નગરપાલિકાની વાત વર્ષો જૂની છે. ત્‍યારે હવે ટૂંક સમયમાં નગરપાલિકા જાહેર થવાની અટકળો સાચી ઠરશે કે પછી અટકળો જ રહેશે તે જોવું રહ્યું.

ચીખલી તથા આજુ – બાજુના ગામોની વસ્‍તી 2011 મુજબ

(ચીખલી ગામની 7025), (મજીગામ-3303), (સમરોલી-8189), (ખૂંધ-8929), (થાલા-4169), (આલીપોર-6630), (મલવાડા-1200) મળી કુલ-39445 જેટલી વસ્‍તી સાત ગામો મળીને થાય છે.

Related posts

સરીગામ પંચાયતની બજેટ મંજૂરી માટે બોલાવેલી ખાસ સામાન્‍ય સભા રાજકીય રીતે પૂર્ણ

vartmanpravah

ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કપરાડામાં નવનિર્મિત કમલ ગર્લ્‍સ હોસ્‍ટેલનું લોકાર્પણ કરાયું

vartmanpravah

રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ મિટિંગ યોજાઈ

vartmanpravah

મેલેરિયા વિભાગના છૂટા કરાયેલા 60 કર્મીઓને દમણ જિ.પં.માં ફરી સમાવાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મિટનાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

વલસાડ હાલર રોડ ઉપર કચરામાંથી આધાર કાર્ડનો જથ્‍થો મળી આવ્‍યો, વહિવટી તંત્ર તપાસે એ જરૂરી બન્‍યું

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા ચીખલી-ગણદેવી સહિતના મત વિસ્‍તારોમાં સુકન્‍યા સમૃદ્ધિ યોજનામાં 800 જેટલી બાળાઓના ખાતાઓ ખોલી તેમના દ્વારા પ્રથમ પ્રીમિયની રકમ પણ જમા કરાવાઈ

vartmanpravah

Leave a Comment