Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

3D બહુજન સમાજ પાર્ટી દ્વારા ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના 66મા મહાપરિનિર્વાણ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ બહુજન સમાજ પાર્ટી દ્વારા વિશ્વ રત્‍ન, જ્ઞાનના પ્રતિક સમા અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે 6 ડિસેમ્‍બરે દમણના પાર્ટી કાર્યાલયમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરને નમ્ર શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી તેમના દ્વારા સમાજના હિતમાં કરેલા કાર્યો, સિદ્ધાંતો અને વિચારધારાને અમલમાંમૂકવા અપીલ કરવામાં આવી હતી. ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના બલિદાનને યાદ કરીને સમાજને પ્રેરણા આપતી ઘટનાઓને ઉજાગર કરી હતી. ઉપસ્‍થિત કાર્યકરોએ તેમના વિચારોને લોકો સુધી પહોંચાડીને સમાજમાં જાગળતિ લાવવાના શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ બહુજન સમાજ પાર્ટીના પ્રભારી શ્રી શૈલેષભાઈ ધોડી, પ્રદેશ કન્‍વીનર શ્રી ઈરફાનભાઈ કાઝી, પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રી ગુલામભાઈ દાંડેકર, ઉપપ્રમુખ શ્રી પ્રેમપાલસિંહ, પ્રદેશ મહામંત્રી શ્રી મિનેશ વસાવા, વાપી શહેર પ્રમુખ શ્રી મનોજભાઈ સોલંકી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી નિરંજન મનુભાઈ દેસાઈ, શ્રી સંદીપ મંડલ , શ્રી મનોજ ગૌતમ, શ્રી કલીમભાઈ, ઉમરગામ તાલુકાના કાર્યકરો શ્રી રતિલાલ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ-દેવકા ખાતેની હોટલ દરિયા દર્શનમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જાયન્‍ટ્‍સ ઈન્‍ટરનેશનલ કન્‍વેશનનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વલસાડમાં ગણેશ મહોત્‍સવ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલનાજન્‍મદિવસની અનોખી ઉજવણી

vartmanpravah

ડુમલાવ-પરીયામાં દિપડાના ભયનો ઓથાર યથાવત : રવિવારે રાતે દિપડાએ બકરાનું મારણ કર્યું

vartmanpravah

વલસાડ રાબડા ગામે ભયનો માહોલ ફેલાવતો ખુંખાર દિપડો અંતે પાંજરે પુરાયો : લોકોએ રાહતનો શ્વાસ લીધો

vartmanpravah

વલસાડની હોસ્‍પિટલ ઝેનિથ ડોક્‍ટર હાઉસે ખરા અર્થમાં ડોક્‍ટર્સ ડે ની ઉજવણી કરી

vartmanpravah

Leave a Comment