April 28, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

3D બહુજન સમાજ પાર્ટી દ્વારા ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના 66મા મહાપરિનિર્વાણ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ બહુજન સમાજ પાર્ટી દ્વારા વિશ્વ રત્‍ન, જ્ઞાનના પ્રતિક સમા અને ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે 6 ડિસેમ્‍બરે દમણના પાર્ટી કાર્યાલયમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરને નમ્ર શ્રધ્‍ધાંજલિ અર્પણ કરી તેમના દ્વારા સમાજના હિતમાં કરેલા કાર્યો, સિદ્ધાંતો અને વિચારધારાને અમલમાંમૂકવા અપીલ કરવામાં આવી હતી. ડૉ. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરના બલિદાનને યાદ કરીને સમાજને પ્રેરણા આપતી ઘટનાઓને ઉજાગર કરી હતી. ઉપસ્‍થિત કાર્યકરોએ તેમના વિચારોને લોકો સુધી પહોંચાડીને સમાજમાં જાગળતિ લાવવાના શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ બહુજન સમાજ પાર્ટીના પ્રભારી શ્રી શૈલેષભાઈ ધોડી, પ્રદેશ કન્‍વીનર શ્રી ઈરફાનભાઈ કાઝી, પ્રદેશ ઉપાધ્‍યક્ષ શ્રી ગુલામભાઈ દાંડેકર, ઉપપ્રમુખ શ્રી પ્રેમપાલસિંહ, પ્રદેશ મહામંત્રી શ્રી મિનેશ વસાવા, વાપી શહેર પ્રમુખ શ્રી મનોજભાઈ સોલંકી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી નિરંજન મનુભાઈ દેસાઈ, શ્રી સંદીપ મંડલ , શ્રી મનોજ ગૌતમ, શ્રી કલીમભાઈ, ઉમરગામ તાલુકાના કાર્યકરો શ્રી રતિલાલ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ જિલ્લા ભાજપના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં યોજાયેલી બેઠક

vartmanpravah

નવા વર્ષની ઉજવણીને અનુલક્ષી દારૂ પી ને વાહન ચલાવનારાઓને પકડવા દાનહ અને ગુજરાત પોલીસે સંયુક્‍ત રીતે હાથ ધરેલું અભિયાન

vartmanpravah

વિશ્વના લોકપ્રિય નેતા અને ભારતના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન 17મીસપ્‍ટેમ્‍બરે રોટરી ક્‍લબ દાનહ દ્વારા નિઃશુલ્‍ક મેગા મેડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

vartmanpravah

ગોધરા એસીબીએ ધોડીપાડા ઉમરગામના નિવૃત્ત ફુડ સેફટી અધિકારી વિરૂધ્‍ધ અપ્રમાણસર મિલકત બદલ કેસ દાખલ કર્યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્‍ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્‍પિટલના મહત્‍વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment