July 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-સામરવરણી પંચાયત ખાતે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દાનહના ખરડપાડા ગામે આવેલ રૂબર્ન ક્‍લીનટેક પ્રાઇવેટ લીમીટેડ કંપની દ્વારા સામરવરણી પંચાયત ખાતે ગામના ખેડૂતો માટે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી આપવામા આવી હતી. જેનો ઉદેશ્‍ય સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ દ્વારા કમ્‍પોઝ ખાતર બનાવવામાં આવે છે જેને ઓછામાં ઓછા ભાવે ખેડૂતોને ખાતર મળી રહે.
આ કમ્‍પોઝ ખાતરમાં કોઈપણ જાતનું કેમિકલનો ઉપયોગ કરવામા આવતો નથી. જેનાકારણે ખેતરોને નુકસાન પણ થતું નથી અને પાકોને પણ ફાયદો થાય છે. આ જે કમ્‍પોઝ બને છે તે ઘરના રસોડામાંથી નીકળતો કચરામાંથી બને છે જે સંપૂર્ણ ઓર્ગેનિક છે.
કંપનીના ડાયરેક્‍ટર મનિષા શર્માએ જણાવ્‍યું હતું કે યુરિયા અને ડાય ખાતર જે ખેડૂતોને 25થી 30 રૂપિયા કિલો પડે છે તેની સામે આ ઓર્ગેનિક ખાતર સ્‍થાનિક ખેડૂતોને ફક્‍ત અઢી રૂપિયા કિલોના ભાવે મળશે અને જો વધારે પ્રમાણમાં વેચાણ થશે તો હજુપણ ભાવ ઓછો કરવામા આવશે. ગામના સરપંચ કળતિકાબેને જણાવ્‍યું હતું કે આ ખાતર ખેડૂતો માટે ફાયદાકારક છે જેથી એનો ઉપયોગ વધુમાં વધુ પ્રમાણમા કરો અને સારા પ્રમાણમાં ઉત્‍પાદન મેળવી શકાશે.
કાર્યક્રમના અંતમા ખેડૂતોને ઓર્ગેનિક ખાતરના સેમ્‍પલો મફતમાં વિતરિત કરવામા આવ્‍યા હતા.આ અવસરે રૂબર્ન ક્‍લીનટેક પ્રા.લી કંપનીના ડાયરેક્‍ટર મનિષા શર્મા, પ્રોજેક્‍ટ હેડ નાગાર્જુન રેડ્ડી, આસિસ્‍ટન્‍ટ મેનેજર રાધા ઝા, ગામના સરપંચ કળતિકા પટેલ સહિત ગામના ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

રૂદાનાની સનલેન્‍ડ કંપનીના મહિલા કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકીયાએ આરડીસીને આપેલું આવેદન પત્ર

vartmanpravah

વાપી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

vartmanpravah

મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીર સ્‍થાપના દિનની – મહામાનવ ડૉ. એ.પી.જે અબ્‍દુલ કલામની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે લાયન્‍સ કલબ દ્વારા થયું જ્ઞાનમંથન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સોશિયલ મિડીયા ઈન્‍ફલુએન્‍ઝર્સ મીટ યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ સંગઠનાત્‍મક પદાધિકારીઓની કરાયેલી નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment