September 1, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-સામરવરણી પંચાયત ખાતે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દાનહના ખરડપાડા ગામે આવેલ રૂબર્ન ક્‍લીનટેક પ્રાઇવેટ લીમીટેડ કંપની દ્વારા સામરવરણી પંચાયત ખાતે ગામના ખેડૂતો માટે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી આપવામા આવી હતી. જેનો ઉદેશ્‍ય સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ દ્વારા કમ્‍પોઝ ખાતર બનાવવામાં આવે છે જેને ઓછામાં ઓછા ભાવે ખેડૂતોને ખાતર મળી રહે.
આ કમ્‍પોઝ ખાતરમાં કોઈપણ જાતનું કેમિકલનો ઉપયોગ કરવામા આવતો નથી. જેનાકારણે ખેતરોને નુકસાન પણ થતું નથી અને પાકોને પણ ફાયદો થાય છે. આ જે કમ્‍પોઝ બને છે તે ઘરના રસોડામાંથી નીકળતો કચરામાંથી બને છે જે સંપૂર્ણ ઓર્ગેનિક છે.
કંપનીના ડાયરેક્‍ટર મનિષા શર્માએ જણાવ્‍યું હતું કે યુરિયા અને ડાય ખાતર જે ખેડૂતોને 25થી 30 રૂપિયા કિલો પડે છે તેની સામે આ ઓર્ગેનિક ખાતર સ્‍થાનિક ખેડૂતોને ફક્‍ત અઢી રૂપિયા કિલોના ભાવે મળશે અને જો વધારે પ્રમાણમાં વેચાણ થશે તો હજુપણ ભાવ ઓછો કરવામા આવશે. ગામના સરપંચ કળતિકાબેને જણાવ્‍યું હતું કે આ ખાતર ખેડૂતો માટે ફાયદાકારક છે જેથી એનો ઉપયોગ વધુમાં વધુ પ્રમાણમા કરો અને સારા પ્રમાણમાં ઉત્‍પાદન મેળવી શકાશે.
કાર્યક્રમના અંતમા ખેડૂતોને ઓર્ગેનિક ખાતરના સેમ્‍પલો મફતમાં વિતરિત કરવામા આવ્‍યા હતા.આ અવસરે રૂબર્ન ક્‍લીનટેક પ્રા.લી કંપનીના ડાયરેક્‍ટર મનિષા શર્મા, પ્રોજેક્‍ટ હેડ નાગાર્જુન રેડ્ડી, આસિસ્‍ટન્‍ટ મેનેજર રાધા ઝા, ગામના સરપંચ કળતિકા પટેલ સહિત ગામના ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ સાંસદ ધવલભાઈ પટેલે વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત લીધીઃ સ્વલેખિત પુસ્તક ‘મોદી વીથ ટ્રાયબલ’ ભેટ આપ્યું

vartmanpravah

વલસાડ ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતની વિધાનસભાની બેઠકો માટે ચૂંટણીલક્ષી મહામનોમંથન હાથ ધરાયું

vartmanpravah

ચીખલી તાલુકામાં ચોરટાઓ ફરી સક્રિય થયા : રાનકુવા વિસ્તારની બે સોસાયટીને નિશાન બનાવે તે પહેલા જ ઘરના સભ્યો જાગી જતા ચોરટાઓ ભાગી છૂટ્યા

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા 2(બે) ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથનો શુભારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ગાંજો વેચવાનું વધેલુ દુષણ : ભિલાડમાં વધુ બે આરોપી ગાંજા સાથે ઝડપાયા

vartmanpravah

Leave a Comment