(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દમણગંગા સર્કીટ હાઉસ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંગે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની ટીમ દ્વારા ઉપસ્થિત દરેકને એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાથી અનાજ લાવી અલગ અલગ રાજ્યમાં સરકારની યોજના અંતર્ગત લોકોને અનાજનું જે વિતરણ કરવામા આવે છે જે સંદર્ભે જાણકારી આપવામા આવી હતી.
અનાજની ખરીદીથી લઇ લોકો સુધી પોહ્ચાડવાની પ્રક્રિયા અંગે એફસીઆઈના મેનેજર શ્રી રામપ્રકાશ શર્માએ વિસ્તળત જાણકારી આપવામા આવી હતી. આ અવસરે સેલવાસ પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, એફસીઆઈના મેનેજર શ્રી રામપ્રકાશ એમની ટીમ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.