Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહના ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
દાનહના બિન્‍દ્રાબિન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર સંસ્‍થાન દ્વારા સોમવારના રોજ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામા આવ્‍યું હતું. જે સંદર્ભે રવિવારના રોજ 11.00 વાગ્‍યે શોભાયાત્રા કાઢવામા આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા.
સોમવારે સવારેમહાયજ્ઞના આયોજન બાદ મંદિરમા તડકેશ્વર મહાદેવ શિવલિંગ ભગવાન શ્રી રામ-લક્ષમણ અને સીતા માતા,રાધા કળષ્‍ણ અને હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામા આવી હતી. આ પૂજા યજ્ઞમાં દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ સહિત મહાનુભાવોએ લાભ લીધો હતો. બાદમાં ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્‍યું હતું. જેનો મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તોએ લાભ લીધો હતો.
આ અવસરે દાનહ પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ,સેલવાસ પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, શ્રી દિગ્‍વીજયસિંહ પરમાર સહિત પ્રદેશના ઉદ્યોગપતિઓ સામાજિક અગ્રણીઓ પદાધિકારીઓ સહિત મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ ફલેટમાં ફ્રિઝમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી 

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના નવા અદ્યતન ભવનનું ખાતમુહૂર્ત વિધિ-વિધાનથી સંપન્ન

vartmanpravah

ઉમરગામ વિધાનસભા વિસ્‍તારના ડુંગરા ચણોદમાં વિકસિત ભારત કાર્યક્રમ અંગે મિટિંગ યોજાઈ

vartmanpravah

ગણદેવી ગોયદી ગામ નજીક ટેમ્‍પો પલટી જતા 20 ઈજાગ્રસ્‍ત

vartmanpravah

પૂર્ણિમા યુનિવર્સિટીનો 8મો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો: દમણની દીકરી શ્રદ્ધા મંગેરાએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો હતા

vartmanpravah

સેલવાસના બંગલામાંથી રૂા.20 લાખની રોકડ-ઘરેણાં ચોરી નિકળેલા બે ચોરને વાપી પોલીસે દબોચી લીધા

vartmanpravah

Leave a Comment