Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નરોલી પીએચસીના ફાર્માસિસ્‍ટ રમેશસિંહ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલી અને દમણ-દીવ મેડિકલ અને હેલ્‍થ ડિપાર્ટમેન્‍ટ અંતર્ગત ફરજ બજાવતા નરોલી પીએચસીના ફાર્માસીસ્‍ટ શ્રી રમેશસિંહ છોટુભાઈ સોલંકી વયમર્યાદાને કારણે રિટાયર્ડ થતા એમનો વિદાય સમારંભનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. પીએચસીના મેડિકલ ઓફિસર શ્રી વિરેન્‍દ્રસિંહ સોલંકી અને વંદનાબેન દ્વારા પુષ્‍પગુચ્‍છ આપીશાલ ઓઢાડી સ્‍મૃતિભેટ અને શ્રીફળ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે ઉપસ્‍થિત વંદનાબેને જણાવ્‍યુ કે, રમેશભાઈ એમના ફરજકાળ દરમ્‍યાન સમયના પાલન કરતા હતા અને એમના ફરજકાળ દરમ્‍યાન કોઈપણ ફરિયાદ ના હતી. એમની 38 વર્ષની નોકરીમાં નરોલી, દૂધની દપાડા, કિલવણી સહિત અલગ અલગ જગ્‍યા પર ફરજ બજાવી છે અને જરૂર પડે તો દર્દીઓને ટ્રીટમેન્‍ટ પણ આપતા હતા. વિરેન્‍દ્રસિંહ સોલંકીએ જણાવ્‍યું હતું કે, ખુબ જ મહેનતુ અને નિષ્ઠાવાન વ્‍યક્‍તિ નિવૃત્ત થઈ રહ્યા રહ્યા છે જેઓ હવેનુ જીવન એમના પરિવાર સાથે સુખમય અને આરોગ્‍યમય વ્‍યતીત કરે. આ અવસરે મેડિકલ ઓફીસર શ્રી વિરેન્‍દ્રસિંહ સોલંકી, વંદનાબેન, શ્રી દિલીપસિંહ સોલંકી, સરપંચ લીનાબેન પટેલ, સભ્‍ય શ્રી યોગેશસિંહ સોલંકી, આદિત્‍ય એનજીઓના અધ્‍યક્ષ શ્રીમતી જુલીબેન સોલંકી, શ્રી સુરેન્‍દ્રસિંહ દેસાઈ, મેડિકલ સ્‍ટાફ સહિત શ્રી રમેશસિંહના પરિવારના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

લંડનની બ્રિટિશ સંસદમાં દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે ઈન્‍ડો-યુરોપિયન કોન્‍ક્‍લેવમાં ગુડ ગવર્નન્‍સ ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કૈલાસ રોડ પર ઔરંગા નદીના રૂ.43.42 કરોડના ખર્ચે બનનારા ફોરલેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

દાનહના ઊંડાણના આદિવાસી વિસ્‍તાર દૂધની-સિંદોનીમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગૃપ’ના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવાનો સંકલ્‍પ

vartmanpravah

વન વિભાગ દ્વારા દમણમાં ‘વિશ્વ મેંગ્રોવ દિવસ’ની કરાયેલીઉજવણી

vartmanpravah

આપણા દાદા આપણે આંગણે : આજે વાપી સલવાવ ગુરુકુળ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

સેલવાસ ડોકમરડી જૂના બ્રિજની દુર્ઘટનાનો ભોગ બનનાર મુકુલ ભગતના પરિવારને જિલ્લા પ્રશાસને પ્રદાન કરેલી નાણાંકીય સહાય

vartmanpravah

Leave a Comment