Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લા પંચાયત દ્વારા સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત કચરા પેટી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14
દીવના વણાકબારા ગ્રામ પંચાયત હોલ ખાતે આજે દીવ જિલ્લા પંચાયત દ્વારા સૂકા કચરા અને લીલાં કચરાઓ માટે કચરા પેટી વિતરણ કાર્યક્રમનું આયોજન થયું હતું. આજે સવારે 11 કલાકે વણાકબારા ગ્રામ પંચાયત ખાતે દીવ કલેકટર શ્રીમતી સલોની રાયની અધ્‍યક્ષતામાં વણાકબારા ગ્રામ પંચાયતમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમ દરમિયાન આજથી ચારેય પંચાયતમાં કચરા પેટીનું વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. વણાકબારા ગ્રામ પંચાયત ખાતે આજે કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, ડેપ્‍યુટી કલેક્‍ટર અને સીઈઓ શ્રી વિવેક કુમાર, મામલતદાર શ્રી ચંદ્રહાસ વાજા, વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચ મિનાક્ષીબેન જીવન, ઉપ સરપંચ શ્રી નરશીભાઈ, વણાકબારા ગ્રામ પંચાયત મંત્રી શ્રી જેન્‍તીભાઈ વાળા, જિલ્લા પંચાયત સદસ્‍યો શ્રી નાનજી બારીયા, શ્રી ઉમેશ રામા, ગ્રામ પંચાયત સદસ્‍યો વગેરેના હસ્‍તે કચરાપેટી વિતરણ કરવામાં આવ્‍યું હતું. આજથી શરૂ થનાર ભીના કચરા માટે ગ્રીન અને સૂકા કચરા માટે બ્‍લુ કચરા પેટીનું વિતરણ થયું હતું. ઝોલાવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 500 કચરા પેટી, બુચરવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 700 કચરા પેટી, સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 1300 કચરા પેટી અને વણાકબારા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 1500 કચરા પેટીનું વિતરણ કરવામાં આવશે. કચરા પેટી વિતરણ કરવાનુ મુખ્‍ય ઉદેશ્‍ય પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનને અને દીવ જિલ્લા સ્‍વચ્‍છ રહે અને ક્‍લીન દીવ ગ્રીન દીવ થાય તે માટે ગ્રામજનોને પણ જાગૃત કરવામાં આવ્‍યા હતા.

Related posts

કુકેરી ગામે રાત્રી દરમ્‍યાન લટાર મારતા બે દીપડાનો વીડિયો વાઈરલ થતાં સ્‍થાનિકોમાં ગભરાટ

vartmanpravah

વલસાડઃ વશીયરમાં રેલવેના નવા બ્રિજ માટે ડિમોલીશન કરવા ગયેલ ટીમને સ્‍થાનિકોએ અટકાવતા મામલો ઉગ્ર બન્‍યો: સાત જેટલા મકાનો ડિમોલીશનમાં જતા હોવાથી લોકોએ નોંધાવેલો વિરોધ

vartmanpravah

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા દમણ જિલ્લા સ્‍તરીય રમત-ગમત સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

મહારાષ્‍ટ્રના દેવડોગરી ખાતે રમાયેલી ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીના ખેરારબારી પટેલપાડાની ટીમ વિજેતા

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

વલસાડના નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર એન.એન. દવેએ પદભાર સંભાળ્‍યો

vartmanpravah

Leave a Comment