(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સામરવરણી વડ ફળિયા ખાતે આહિર સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટૂર્નામેન્ટને આહિર સમાજના વડીલ એવા શ્રી કાંતિભાઈ આહિરના હસ્તે ખુલ્લી મુકવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા નગરહવેલીની 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ મેચ કપરાડાના અંભેટી અને સરીગામ વચ્ચે રમાઈ હતી. જેમાં અંભેટી ગામની ટીમ વિજેતા બની હતી. આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સામરવરણી ગામના ડેપ્યુટી સરપંચ શ્રી કાર્તિકભાઈ પટેલ, શ્રી હરીશભાઈ આહિર, શ્રી પ્રમોદભાઈ આહિર, શ્રી કાસભાઈ આહીર, ક્રિકેટ પ્રેમીઓ તથા આ આહિર સમાજના આગેવાનો મોટી ઉપસ્થિત રહ્યા હતા.