October 2, 2023
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ વાપી દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ તથા હનુમાનજીની ઝાંખી કરાવતા રથ સાથે ભવ્‍ય શોભાયાત્રા સલવાવ ગામમાં કાઢવામાં આવી હતી.
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂ.કપિલ સ્‍વામીના નેજા હેઠળ અને પૂ.રામ સ્‍વામી તેમજ ગોપાલ સ્‍વામીના તત્‍વધાનમાં રામનવમી નિમિત્તે ભવ્‍ય શોભાયાત્રાનુ શનિવારે આયોજન થયું હતું. સુંદર સજાવેલા રથમાં ધનુર્ધારી ભગવાન રામ, વલ્‍કલ વષાધારી માતા સીતા તથા, લક્ષ્મણ અને ભક્‍ત શિરોમણી હનુમાનજીની વેશભૂષામાં જીવંત ઝાંખી કરાવી હતી. સલવાવ પ્રાથમિક શાળા પાસે ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી હતી. જેમાં સલવાવ ગ્રામજનો જોડાયા હતા તે પછી ડીજેના તાલ સાથે જય શ્રી રામના નારા સાથે વિરાટ શોભાયાત્રા ભગવા ધ્‍વજ સાથે પ્રસ્‍થાન કર્યુ હતું. આ રેલીમાં શિક્ષકો તથા 700 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભગવા કુર્તા પહેરી જોડાયા હતા. વાજતે, ગાજતે, નાચતે આ રેલી સલવાવ ગામમાં ફરી પરત શિક્ષણ સંકુલ આવી હતી. આ રેલીમાં ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો તથા ડાયરેક્‍ટર ડૉ.શૈલેષ લુહાર ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય આચાર્ય શ્રીચંદ્રવદન પટેલ આચાર્ય શ્રીમતી મિનલબેન દેસાઈ, આચાર્ય શ્રીમતી રીનાબેન દેસાઈ, આચાર્ય શ્રીમતી આશા દામા, આચાર્ય શ્રીમતી દક્ષાબેન પટેલ, આચાર્ય શ્રીમતી નીતુ સીંગ તથા અન્‍ય મહાનુભાવો પણ જોડાયા હતા.

Related posts

ડાંગના શિવરીમાળ ખાતે 300 હિન્દુ પરિવારો સનાતન સંસ્કૃતિમા જોડાયા

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકો માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીના વિવિધ વિકાસ કામોને વધુ વેગથી પુરા કરવા પાલિકાની ટીમ ગાંધીનગર પહોંચી

vartmanpravah

સુરત-નાશિક-અહમદનગર ભારતમાલા પ્રોજેક્‍ટના વિરોધમાં અસરગ્રસ્‍ત આદિવાસી સમાજના ખેડૂતોએ મામલતદારને વાંધા અરજી આપી

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના સોમનાથ મંડળમાં યોજાયેલ બૂથ સશક્‍તિકરણ બેઠક: પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરે આપેલું મનનીયમાર્ગદર્શન

vartmanpravah

વાપી વિસ્‍તારમાં રક્‍તદાન મહાકુંભ યોજાયો: અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદે રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

Leave a Comment