Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ વાપી દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ તથા હનુમાનજીની ઝાંખી કરાવતા રથ સાથે ભવ્‍ય શોભાયાત્રા સલવાવ ગામમાં કાઢવામાં આવી હતી.
શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના મેનેજીંગ ટ્રસ્‍ટી પૂ.કપિલ સ્‍વામીના નેજા હેઠળ અને પૂ.રામ સ્‍વામી તેમજ ગોપાલ સ્‍વામીના તત્‍વધાનમાં રામનવમી નિમિત્તે ભવ્‍ય શોભાયાત્રાનુ શનિવારે આયોજન થયું હતું. સુંદર સજાવેલા રથમાં ધનુર્ધારી ભગવાન રામ, વલ્‍કલ વષાધારી માતા સીતા તથા, લક્ષ્મણ અને ભક્‍ત શિરોમણી હનુમાનજીની વેશભૂષામાં જીવંત ઝાંખી કરાવી હતી. સલવાવ પ્રાથમિક શાળા પાસે ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી હતી. જેમાં સલવાવ ગ્રામજનો જોડાયા હતા તે પછી ડીજેના તાલ સાથે જય શ્રી રામના નારા સાથે વિરાટ શોભાયાત્રા ભગવા ધ્‍વજ સાથે પ્રસ્‍થાન કર્યુ હતું. આ રેલીમાં શિક્ષકો તથા 700 જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભગવા કુર્તા પહેરી જોડાયા હતા. વાજતે, ગાજતે, નાચતે આ રેલી સલવાવ ગામમાં ફરી પરત શિક્ષણ સંકુલ આવી હતી. આ રેલીમાં ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો તથા ડાયરેક્‍ટર ડૉ.શૈલેષ લુહાર ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય આચાર્ય શ્રીચંદ્રવદન પટેલ આચાર્ય શ્રીમતી મિનલબેન દેસાઈ, આચાર્ય શ્રીમતી રીનાબેન દેસાઈ, આચાર્ય શ્રીમતી આશા દામા, આચાર્ય શ્રીમતી દક્ષાબેન પટેલ, આચાર્ય શ્રીમતી નીતુ સીંગ તથા અન્‍ય મહાનુભાવો પણ જોડાયા હતા.

Related posts

દમણના ગવર્નમેન્‍ટ હાઉસ ખાતે પશ્ચિમ બંગાળના સ્‍થાપના દિવસની આનંદ-ઉત્‍સાહ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હકારાત્‍મક અને સંવેદનશીલ અભિગમથી પ્રભાવિત બનેલા દાનહ જિ.પં.ના સભ્‍યો

vartmanpravah

વાપી નગરપાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ શરૂ: ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરામાં 10 ટકાનો વધારો થશે

vartmanpravah

વાંસદા વિધાનસભા મત વિસ્‍તારમાં મતદાન જાગૃતિ અન્‍વયે બાઈક રેલી યોજાઈ

vartmanpravah

‘સંકલ્‍પ સપ્તાહ-2023′ અંતર્ગત સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’ની થનારી ઉજવણી

vartmanpravah

નાની દમણ ખાતે એક 15 વર્ષિય સગીરા સાથે પડોશમાં જ રહેતા યુવાને કરેલું દુષ્‍કર્મઃ આરોપી ફરાર

vartmanpravah

Leave a Comment