December 2, 2025
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લા પંચાયત દ્વારા સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત કચરા પેટી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14
દીવના વણાકબારા ગ્રામ પંચાયત હોલ ખાતે આજે દીવ જિલ્લા પંચાયત દ્વારા સૂકા કચરા અને લીલાં કચરાઓ માટે કચરા પેટી વિતરણ કાર્યક્રમનું આયોજન થયું હતું. આજે સવારે 11 કલાકે વણાકબારા ગ્રામ પંચાયત ખાતે દીવ કલેકટર શ્રીમતી સલોની રાયની અધ્‍યક્ષતામાં વણાકબારા ગ્રામ પંચાયતમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમ દરમિયાન આજથી ચારેય પંચાયતમાં કચરા પેટીનું વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. વણાકબારા ગ્રામ પંચાયત ખાતે આજે કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, ડેપ્‍યુટી કલેક્‍ટર અને સીઈઓ શ્રી વિવેક કુમાર, મામલતદાર શ્રી ચંદ્રહાસ વાજા, વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચ મિનાક્ષીબેન જીવન, ઉપ સરપંચ શ્રી નરશીભાઈ, વણાકબારા ગ્રામ પંચાયત મંત્રી શ્રી જેન્‍તીભાઈ વાળા, જિલ્લા પંચાયત સદસ્‍યો શ્રી નાનજી બારીયા, શ્રી ઉમેશ રામા, ગ્રામ પંચાયત સદસ્‍યો વગેરેના હસ્‍તે કચરાપેટી વિતરણ કરવામાં આવ્‍યું હતું. આજથી શરૂ થનાર ભીના કચરા માટે ગ્રીન અને સૂકા કચરા માટે બ્‍લુ કચરા પેટીનું વિતરણ થયું હતું. ઝોલાવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 500 કચરા પેટી, બુચરવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 700 કચરા પેટી, સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 1300 કચરા પેટી અને વણાકબારા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 1500 કચરા પેટીનું વિતરણ કરવામાં આવશે. કચરા પેટી વિતરણ કરવાનુ મુખ્‍ય ઉદેશ્‍ય પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનને અને દીવ જિલ્લા સ્‍વચ્‍છ રહે અને ક્‍લીન દીવ ગ્રીન દીવ થાય તે માટે ગ્રામજનોને પણ જાગૃત કરવામાં આવ્‍યા હતા.

Related posts

આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો ડર ઘટ્યો, વર્ષ ૨૦૧૯માં ૩૪૫ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨માં માત્ર ૨૨ થયા

vartmanpravah

મહેસૂલમંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને મહેસૂલી મેળામાં સ્‍થળ ઉપર સુનાવણી: અરજદારોએ તેમના પ્રશ્‍નો તા.9મી ફેબ્રુઆરીને સાંજે પ-00 વાગ્‍યા સુધીમાં મોકલી આપવા

vartmanpravah

વલસાડ સાંસદ ધવલ પટેલે દિલ્‍હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળી રાજકીય અને વહીવટી ચર્ચા કરી

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા સગીરા સાથે યૌન ઉત્‍પીડનના આરોપીને 3 વર્ષની જેલની સજાનો આદેશ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ ઝૂનોટીક દિવસ’ મનાવાયો

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment