January 16, 2026
Vartman Pravah
Breaking Newsદીવ

દીવ જિલ્લા પંચાયત દ્વારા સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત કચરા પેટી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14
દીવના વણાકબારા ગ્રામ પંચાયત હોલ ખાતે આજે દીવ જિલ્લા પંચાયત દ્વારા સૂકા કચરા અને લીલાં કચરાઓ માટે કચરા પેટી વિતરણ કાર્યક્રમનું આયોજન થયું હતું. આજે સવારે 11 કલાકે વણાકબારા ગ્રામ પંચાયત ખાતે દીવ કલેકટર શ્રીમતી સલોની રાયની અધ્‍યક્ષતામાં વણાકબારા ગ્રામ પંચાયતમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમ દરમિયાન આજથી ચારેય પંચાયતમાં કચરા પેટીનું વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. વણાકબારા ગ્રામ પંચાયત ખાતે આજે કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, ડેપ્‍યુટી કલેક્‍ટર અને સીઈઓ શ્રી વિવેક કુમાર, મામલતદાર શ્રી ચંદ્રહાસ વાજા, વણાકબારા ગ્રામ પંચાયતના સરપંચ મિનાક્ષીબેન જીવન, ઉપ સરપંચ શ્રી નરશીભાઈ, વણાકબારા ગ્રામ પંચાયત મંત્રી શ્રી જેન્‍તીભાઈ વાળા, જિલ્લા પંચાયત સદસ્‍યો શ્રી નાનજી બારીયા, શ્રી ઉમેશ રામા, ગ્રામ પંચાયત સદસ્‍યો વગેરેના હસ્‍તે કચરાપેટી વિતરણ કરવામાં આવ્‍યું હતું. આજથી શરૂ થનાર ભીના કચરા માટે ગ્રીન અને સૂકા કચરા માટે બ્‍લુ કચરા પેટીનું વિતરણ થયું હતું. ઝોલાવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 500 કચરા પેટી, બુચરવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 700 કચરા પેટી, સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 1300 કચરા પેટી અને વણાકબારા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં 1500 કચરા પેટીનું વિતરણ કરવામાં આવશે. કચરા પેટી વિતરણ કરવાનુ મુખ્‍ય ઉદેશ્‍ય પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનને અને દીવ જિલ્લા સ્‍વચ્‍છ રહે અને ક્‍લીન દીવ ગ્રીન દીવ થાય તે માટે ગ્રામજનોને પણ જાગૃત કરવામાં આવ્‍યા હતા.

Related posts

જિલ્લા પ્રશાસનની અનુમતિ સાથે સંઘપ્રદેશમાં મહત્તમ 200 વ્‍યક્‍તિઓની મર્યાદા સાથે હાઉસિંગ સોસાયટીઓ તથા રહેણાંક વિસ્‍તારોમાં નવરાત્રિ મહોત્‍સવ યોજી શકાશે

vartmanpravah

ગુજરાત સ્‍ટેટ રોડ સેફટી એવોર્ડ-2022માં સમગ્ર રાજ્‍યમાં પ્રથમ સ્‍થાને સરકારી પોલિટેકનિક વલસાડ

vartmanpravah

ડાંગ સુબિરનો તાલુકા વિકાસ અધિકારી 6 હજારની લાંચ લેતા એસીબી વલસાડની ટ્રેનમાં ઝડપાયો

vartmanpravah

સલવાવની, શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળના એકેડેમિક કેમ્‍પસ ડિરેક્‍ટર ડો. શૈલેષ વી. લુહારનું ફાર્મસી કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા દ્વારા જન ઔષધિ કેન્‍દ્ર માર્ગદર્શક તરીકે નામાંકન થયું

vartmanpravah

દાનહમાં અનંત ચૌદશના દિને ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

દમણ પોલીસ દ્વારા સતત 24 દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરી 11 વર્ષના ગુમ થયેલ બાળકને સુરતના કતારગામથી સુરક્ષિત પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

Leave a Comment