April 18, 2026
Vartman Pravah
Breaking Newsપારડીવાપી

વાપી-પલસાણા પાસે કોસ્‍ટલ હાઈવે ઉપર બે કાર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : ત્રણ બાળકો સહિત 8 ઘાયલ એક મોત

વટાર-કુંતામાં રહેતો પરિવાર સોનવાડા મોસાળામાંથી પરત આવતા અકસ્‍માત સર્જાતા તીતર-વિતર થયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15
કોસ્‍ટલ હાઈવે પલસાણા નજીક મંગળવારે સાંજના બે કાર સામસામી ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં એક જ પરિવારના ત્રણ બાળકો સહિત આઠ ઘાયલ થયા હતા. જ્‍યારે જમાઈનું કરુણ મોત નિપજ્‍યું હતું. અકસ્‍માતના સમાચાર બાદ વટાર અને કુંતા ગામે ગમગીનીપ્રસરી જવા પામી હતી.
કુંતામાં રહેતા કેતનભાઈ હરીશભાઈ હળપતિ પરિવાર સાથે સોનવાડા ગામે પિતરાઈ સાળાના મોસાળામાં ગયા હતા. મારૂતિવાન નં.જીજે 1પ સીબી 7736 માં પરિવાર પ્રસંગ પતાવી મંગળવારે સાંજના ઘરે પરત આવી રહેલ હતો તે દરમિયાન દમણ તરફથી આવી રહેલ એકોર્ડ કાર નં. જીજે 01 કેએચ 84પ8 ના ચાલકે નશામાં ધૃત સ્‍થિતિમાં સામે આવી રહેલ મારૂતિ વાનને જોરદાર ટક્કર મારી દેતા આકસ્‍માત સર્જાયો હતો. વાનમાં બાળકો અને મોટેરા હોવાથી ચીસાચીસો પાડવા લાગ્‍યા હતા. કેતનભાઈના પત્‍ની આશિકાબેન, બે બાળકો કેયાન, નહેર, કાકી સાસું, દાદી વિગેરે મળીને 8 લોકો ઘાયલ થયા હતા. તાત્‍કાલિક વલસાડ સિવિલમાં ઘાયલોને ખસેડાયા હતા.
પોલીસે એકોર્ડ કાર ચાલક અનિલ અક્ષય નાહર રહે. બમરોલી સુરતની અટક કરી લીધી હતી. અકસ્‍માતમાં બન્ને કારોનો ભુક્કો બોલાઈ ગયો હતો જ્‍યારે કાર ચાલક જમાઈ કેતન હળપતિનું કરુણ મોત નિપજ્‍યું હતું.

Related posts

વાપી-વલસાડ રેલવે લાઈન વચ્ચે બે અકસ્માત સર્જાયા: સરોધી નજીક અજાણ્‍યાએ આપઘાત કર્યો : વલસાડ સ્‍ટેશને યુવાન પટકાયો

vartmanpravah

દાનહ રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્‍યાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસ સમારોહનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કેન્‍દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવને ટ્રેનોના સ્‍ટોપેજ અંગે રજૂઆત કરી

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવ લોકસભા બેઠકની 1998ની ચૂંટણી માછી સમાજ વિરૂદ્ધ કોળી પટેલ સમાજની બનીહતી

vartmanpravah

નવસારીના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું કિસાન મોરચાના દિપકભાઈ સોલંકીએ કરેલું સ્‍વાગત

vartmanpravah

દાનહમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

Leave a Comment