Vartman Pravah
Breaking Newsપારડીવાપી

વાપી-પલસાણા પાસે કોસ્‍ટલ હાઈવે ઉપર બે કાર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : ત્રણ બાળકો સહિત 8 ઘાયલ એક મોત

વટાર-કુંતામાં રહેતો પરિવાર સોનવાડા મોસાળામાંથી પરત આવતા અકસ્‍માત સર્જાતા તીતર-વિતર થયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15
કોસ્‍ટલ હાઈવે પલસાણા નજીક મંગળવારે સાંજના બે કાર સામસામી ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં એક જ પરિવારના ત્રણ બાળકો સહિત આઠ ઘાયલ થયા હતા. જ્‍યારે જમાઈનું કરુણ મોત નિપજ્‍યું હતું. અકસ્‍માતના સમાચાર બાદ વટાર અને કુંતા ગામે ગમગીનીપ્રસરી જવા પામી હતી.
કુંતામાં રહેતા કેતનભાઈ હરીશભાઈ હળપતિ પરિવાર સાથે સોનવાડા ગામે પિતરાઈ સાળાના મોસાળામાં ગયા હતા. મારૂતિવાન નં.જીજે 1પ સીબી 7736 માં પરિવાર પ્રસંગ પતાવી મંગળવારે સાંજના ઘરે પરત આવી રહેલ હતો તે દરમિયાન દમણ તરફથી આવી રહેલ એકોર્ડ કાર નં. જીજે 01 કેએચ 84પ8 ના ચાલકે નશામાં ધૃત સ્‍થિતિમાં સામે આવી રહેલ મારૂતિ વાનને જોરદાર ટક્કર મારી દેતા આકસ્‍માત સર્જાયો હતો. વાનમાં બાળકો અને મોટેરા હોવાથી ચીસાચીસો પાડવા લાગ્‍યા હતા. કેતનભાઈના પત્‍ની આશિકાબેન, બે બાળકો કેયાન, નહેર, કાકી સાસું, દાદી વિગેરે મળીને 8 લોકો ઘાયલ થયા હતા. તાત્‍કાલિક વલસાડ સિવિલમાં ઘાયલોને ખસેડાયા હતા.
પોલીસે એકોર્ડ કાર ચાલક અનિલ અક્ષય નાહર રહે. બમરોલી સુરતની અટક કરી લીધી હતી. અકસ્‍માતમાં બન્ને કારોનો ભુક્કો બોલાઈ ગયો હતો જ્‍યારે કાર ચાલક જમાઈ કેતન હળપતિનું કરુણ મોત નિપજ્‍યું હતું.

Related posts

ધરમપુરનું એક એવુ સખી મંડળ કે જેની બહેનોએ આર્થિક સહાયથી ગૃહ ઉદ્યોગ નહી પરંતુ પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કચીગામ ખાતે નિર્માણાધિન સ્‍કૂલનું કરેલું નિરીક્ષણ: દમણની સુંદરતામાં ઔર વધારા સાથે બામણપૂજા ખાતે નિર્માણ પામનારા નવા ગેટની પ્રતિકૃતિનું કરેલું અવલોકન

vartmanpravah

ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા દમણના યોજના અને આંકડા વિભાગના સહયોગથી  સતત વિકાસના લક્ષ્યો માટે સંઘપ્રદેશ સ્‍તરીય ફ્રેમવર્કના નિર્માણ ઉપર દમણમાં કાર્યશાળા યોજાઈ

vartmanpravah

દાનહમાં ખેતીવાડી વિભાગ દ્વારા ‘પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ’ યોજનાના લાભ માટે ઈ-કેવાયસી હેતુ શિબિર યોજાશે

vartmanpravah

મોદી સરકારમાં સંઘપ્રદેશનો વહીવટ નેતાલક્ષી નહીં પરંતુ પ્રજાલક્ષી-વિકાસલક્ષી રહ્યો

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત ‘‘દે ઘુમાકે-2023” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન

vartmanpravah

Leave a Comment