October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની નવી કારોબારીની જાહેરાત : પ્રદેશ મહામંત્રી વાસુભાઈ પટેલ અને પ્રદેશ કોષાધ્‍યક્ષ તુષારભાઈ દલાલની છુટ્ટી

કારોબારી સમિતિમાં મોટી દમણની બાદબાકીઃ મહેશ ગાંવિતને મહામંત્રી પદ આપી સક્રિય રાખવા કરાયેલો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27
ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાની અનુમતિથી અને રાષ્‍ટ્રીય મહામંત્રી શ્રી બી.એલ.સંતોષ, પ્રદેશ પ્રભારી શ્રીમતી વિજ્‍ય રહાટકર અને પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી વિવેક ધાડકરની સહમતીથી દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની ઘોષણાકરવામાં આવી હતી.
પ્રદેશ પ્રમુખ તરીકે શ્રી દિપેશભાઈ ટંડેલની સાથે છ ઉપ પ્રમુખ, એક સંગઠન મહામંત્રી, બે મહામંત્રી, છ સચિવ, એક કોષાધ્‍યક્ષ, એક સહ કોષાધ્‍યક્ષ, એક કાર્યાલય મંત્રી, બે પ્રવક્‍તા, એક મીડિયા સંયોજક, એક સોશિયલ મીડિયા સંયોજક અને એક આઈ.ટી.સંયોજક મળી કુલ 23 સભ્‍યોની ટીમ હવે પ્રદેશ અધ્‍યક્ષ શ્રી દિપેશભાઈ ટંડેલ સાથે કાર્યરત બનશે.
આ પ્રદેશની ટીમમાં પહેલી વખત અનુ.જાતિના શ્રી મહેશ અગરિયાને ઉપ પ્રમુખ બનાવાયા છે.એક અનુ.જનજાતિના પ્રદેશ ઉપ પ્રમુખ તરીકે શ્રીમતી ભારતીબેન હળપતિને પણ સ્‍થાન મળ્‍યું છે. ગત લોકસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી મહેશ ગાંવિતને મહામંત્રી પદ આપી તેમને સક્રિય રાખવાનો પ્રયાસ કરાયો છે.
બીજી તરફ વરસોથી ભાજપને વફાદાર રહેલા શ્રી વાસુભાઈ પટેલની મહામંત્રી પદેથી અને શ્રી તુષાર દલાલની કોષાધ્‍યક્ષ પદેથી છુટ્ટી કરવામાં આવી છે. શ્રી દિપેશભાઈ ટંડેલની પ્રદેશ કારોબારીમાં મોટી દમણની પણ બાદબાકી કરાઈ છે. આ સમિતિમાં ચાર મહિલા સભ્‍યોને પણ સ્‍થાન અપાયું છે.
હાલના પ્રદેશ પ્રવક્‍તા શ્રી મજીદ લધાણીને હવે ફક્‍ત મીડિયા સંયોજક તરીકેનો પદભાર સોંપવામાં આવ્‍યો છે જ્‍યારે પ્રવક્‍તા તરીકે શ્રી વિશાલભાઈ ટંડેલ અને શ્રી તેજસ દોડિયાની વરણી કરવામાં આવી છે. જ્‍યારે શ્રી આશિષ પટેલસોશિયલ મીડિયા સંયોજક તરીકે કાર્યરત રહેશે.
શ્રી વિરેન્‍દ્ર રાજપૂરોહિતને સહ કોષાધ્‍યક્ષમાંથી બઢતી આપી કોષાધ્‍યક્ષ બનાવાયા છે. જ્‍યારે તેમની સાથે શ્રી રજનીકાંત ટંડેલને સમાવાયા છે.
શ્રી દિપેશભાઈ ટંડેલની કારોબારી દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કેટલી કારગત નિવડે એ આવતા દિવસોમાં સ્‍પષ્‍ટ થશે અને દીવ નગરપાલિકાની ચૂંટણીમાં તેમની અગિ્ન પરિક્ષા થશે.

Related posts

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

vartmanpravah

ચીખલી તાલુકામાં ખેડૂતો દ્વારા શેરડીના પાકમાં ઓછાં ખર્ચે વધુ ઉત્‍પાદન માટે ઘર આંગણે શેરડીના રોપાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે

vartmanpravah

સાવધાન !! થર્ટી ફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે પકડાશો તો વલસાડ જિલ્લા પોલીસ સ્‍વાગત માટે રેડી

vartmanpravah

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમોના આયોજન અંગે કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક મળી

vartmanpravah

ધરમપુરમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ આવી પહોંચતા ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલના હસ્‍તે ઉષ્‍માભેર સ્‍વાગત કરાયુ

vartmanpravah

વલસાડ ટીવી રીલે કેન્‍દ્રમાં ગટરલાઈન કામગીરી દરમિયાન આર.પી.એફ. જવાન અને શ્રમિક પરિવાર વચ્‍ચે બબાલ-મારામારી થઈ

vartmanpravah

Leave a Comment