Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જર જમીનને જોરું ત્રણેય કજીયાના છોરું: રોહિણામાં ઘર બનાવવા પૈસા માંગનારા પુત્રને પિતાએ કુહાડીથીફ રહેંસી નાખ્‍યો

જમીનના ઝઘડામાં કુહાડીના ઘા ઝીંકી યુવાન પુત્રને મોતને ઘાટ ઉતાર્યોઃ પિતાની તબિયત લથડતાં તેમને વલસાડ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.09: હાલના સમયમાં પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ એમ પૈસા જ સર્વસ્‍વ બની ગયા છે પૈસા ને લઈ અનેક સંબંધો ભૂલી જાય માણસ હત્‍યા સુધી પણ પહોંચી જાય છે.
આવો જ કંઈક કિસ્‍સો પારડી તાલુકાના રોહિણા ગામે આજરોજ બનવા પામ્‍યો છે. જમીન અને પૈસાના ઝઘડામાં સમાધાન થયા બાદ પણ નિષ્ઠુર પિતાએ યુવાન પુત્રની કુહાડીના ઘા મારી હત્‍યા કરી દેતા સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી ગઈ છે.
પારડી તાલુકાના રોહિણા દામુ ફળિયા ખાતે રહેતા નામદેવભાઈ બાબુભાઈ નાયકા ઉંમર વર્ષ 65 પોતાના બે દીકરા રાજેશ અને નરોત્તમમાંથી નરોત્તમ સાથે રહેતા હતા. જ્‍યારે માતા પાર્વતી મોટા છોકરા રાજેશ સાથે અલગ ઘરમાં રહેતી હતી.
થોડા સમય અગાઉ પોતાની જમીનમાં આવેલ ઝાડો વેચતા આ ઝાડો ના આવેલ ચાર લાખ રૂપિયા પતિ નામદેવ અને પત્‍ની પાર્વતી એમ બન્નેએ બે બે લાખ વહેંચી લીધા હતા. પરંતુ પિતા પુત્ર વચ્‍ચે જમીન અને પૈસાની બાબતે ઘણી વખતઝઘડાઓ થતા હતા.
હાલમાં નરોત્તમ પોતાનું અલગથી ઘર બાંધતો હોય ઘર બાંધવા માટે તેણે પિતા પાસે પૈસાની માંગણી કરતા આજરોજ સવારે બંને વચ્‍ચે ઉગ્ર બોલાચાલી થતા નિષ્ઠુર પિતાએ આવેશમાં આવી પોતાના સગા દીકરાના કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્‍યારબાદ પોતાની પણ તબિયત લથડતાં 108 દ્વારા વલસાડ સિવિલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે જ્‍યારે ઘટના સ્‍થળ ડી.વાય.એસ.પી. એ.કે. વર્મા તથા પારડી પી.આઈ. બી.જે. સરવૈયા સહિત સ્‍થળ પર પહોંચેલી પારડી પોલીસે લાશનો કબજો લઈ પી.એમ.માં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

યુસુફભાઈ શેખ પત્રકારત્‍વ પ્રત્‍યેની પોતાની નિષ્‍ઠા અને બેદાગ છબીથી હંમેશા ચિરંજીવ રહેશે

vartmanpravah

દમણના ચીફ જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ દ્વારા દમણ :એક્‍ઝિક્‍યુટીવ મેજીસ્‍ટ્રેટને થાપટ મારવાના ગુનામાં વાપીના નૃપાલી બળવંતરાય શાહને 1 વર્ષની કેદ અને રૂા.10હજારના દંડની સંભળાવેલી સજા

vartmanpravah

નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

vartmanpravah

ચીખલી તાલુકામાં ભાજપના ગાવ ચલો અભિયાન અંતર્ગત આગેવાનો ગામડા ખુંદી દરેક બુથ પર જઈ સરકારની યોજનાઓથી લોકોને વાકેફ કરશે

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્‍યો

vartmanpravah

વલસાડની કકવાડી પ્રા. શાળાને ગ્રીન સ્કૂલ સ્પર્ધામાં રાષ્ટ્રીય એવોર્ડ અને 4 લાખનું ઈનામ એનાયત

vartmanpravah

Leave a Comment