July 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દાનહના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ પંચાયત મંત્રીઓ સાથે ઘન કચરો વ્‍યવસ્‍થાપન અંતર્ગત યોજેલી બેઠક

  • દાનહની તમામ ગ્રામ પંચાયતમાં તા.26મી જાન્‍યુ.202ર સુધી મિશન મોડમાં સફાઈ અભિયાન હાથ ધરવા અપૂર્વ શર્માએ કરેલો નિર્દેશ

  • બેઠકમાં ઔદ્યોગિક, હોટલ, દુકાનો, ચાલ માલિકો, વ્‍યક્‍તિગત ઘરગથ્‍થુ દ્વારા જાહેર સ્‍થળો પર નાંખવામાં આવતા કચરાના વ્‍યવસ્‍થિત નિકાલ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ખરડપાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં આવેલા ઘન કચરો વ્‍યવસ્‍થાપન એકમ વિશે માહિતગાર કરી કચરાને જાહેર સ્‍થળો પર નિકાલ નહી કરવા અને કચરાનું વર્ગીકરણ કરી ભીનો અને સુખો કચરાને કચરા ગાડીમાં નાંખવા કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29
દાનહ અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને ગરીબોના ઉત્‍થાન માટેના સતત પ્રયાસો તથા માનવીય અને સંવેદનશીલ અભિગમના કારણે આજરોજદાદરા નગર હવેલી જિલ્લાના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માના અધ્‍યક્ષ સ્‍થાને આજે તા.29/12/2021ના રોજ મામલતદાર ખાનવેલ કાર્યાલયમાં 12:30 કલાકે દપાડા, સુરંગી, આંબોલી, ખેરડી, ખાનવલ, રૂદાના, દુધની, કૌંચા, માંદોની અને સિંદોની ગ્રામ પંચાયતના પંચાયત મંત્રીઓ અને પઃ30 કલાકે દાદરા, નરોલી, ખરડપાડા, ગલોન્‍ડા, કિલવણી, રાંધા, સામરવરણી, મસાટ, સાયલી અને રખોલીના પંચાયત મંત્રીઓ સાથે વિકાસ અને આયોજન અધિકારીઓ દ્વારા ઘન કચરો વ્‍યવસ્‍થાપન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
વહીવટી તંત્ર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા, ગ્રામ પંચાયત ઘન અને પ્રવાહી કચરો(હેન્‍ડલિંગ અને મેનેજમેન્‍ટ) ઉપ નિયમ-ર0ર1 મુસદ્દો સૂચિત કરવામાં આવ્‍યું છે. જે અંગેની વિસ્‍તૃત માહિતી મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અપૂર્વ શર્માએ ઉપસ્‍થિત તમામ પંચાયત મંત્રીઓને આપી હતી.
આ બેઠકમાં ઔદ્યોગિક, હોટલ, દુકાનો, ચાલ માલિકો, વ્‍યક્‍તિગત ઘરગથ્‍થુ દ્વારા જાહેર સ્‍થળો પર નાંખવામાં આવતા કચરાના વ્‍યવસ્‍થિત નિકાલ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ખરડપાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં આવેલા ઘન કચરો વ્‍યવસ્‍થાપન એકમ વિશે માહિતગાર કર્યા હતા અને કચરાને જાહેર સ્‍થળો પર નિકાલ નહી કરવા અને કચરાનું વર્ગીકરણ કરી ભીનો અને સુખોકચરાને કચરા ગાડીમાં નાખવા માટે જણાવ્‍યું હતું. વિવિધ ઔદ્યોગિક, કેન્‍ટીનમાંથી નિકળતા ખોરાકના કચરાથી ખાતર બનાવવા માટે જાગૃત કરવા જણાવ્‍યું હતું.
દાદરા નગર હવેલીની તમામ ગ્રામ પંચાયતમાં તા.26/01/202ર સુધી મિશન મોડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે એ અંગે શ્રી અપૂર્વ શર્માએ નિર્દેશ કર્યો હતો.

Related posts

આજે દમણ-દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આંબાવાડીથી મોટી દમણના પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં પકડાયેલ રૂા.25.84 લાખના ગુટખાના જથ્‍થા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ

vartmanpravah

વાપીની હરિયા હોસ્‍પિટલમાં બ્રેઈનડેડ દર્દીના પાંચ અંગ દાન કરાયાઃ પાંચ લોકોને મળશે જીવનદાન

vartmanpravah

રોટરી ક્‍લબ દમણે જરૂરિયાતમંદ ફેરિયાઓને તડકા અને વરસાદ સામે રક્ષણ માટે આપેલો ‘રોટરીનો છાંયડો’

vartmanpravah

સેલવાસ પંચાયત માર્કેટ ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ ગરબામાં યુવક ઉપર ચાકૂથી હુમલો થતાં ભાગદોડ મચી ગઈ

vartmanpravah

Leave a Comment