વાપીથી અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર કરી 3 અમદાવાદમાં ર નવસારી હોસ્પિટલમાં અંગો ખસેડાયા : પપ વર્ષના મુરલી નાયર દર્દી બ્રેઈનડેડ થયા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03
વાપીની હરિયા એલ.જી.રોટરી હોસ્પિટલમાં શનિવારે વધુ એક અંગદાન કરવામાં આવ્યું હતું. પપ વર્ષિય મુરલી નાયરનું સારવારમાં મૃત્યુ થતા પરિવારજનો દ્વારા જરૂરીયાતવાળા પાંચ દર્દીને આંખો, લીવર તથા કીડનીની દાન કરવામાં આવ્યું હતું. આ અંગે હોસ્પિટલથી અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર પોલીસે કરી આપતા 3 અંગ અમદાવાદ અને ર અંગ નવસારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પાંચ દર્દીઓને જીવતદાન મળ્યું છે.
વાપીમાં રહેતા મુરલી નાયરને બ્રેઇન સ્ટોક હરીયા રોટરી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. છ દિવસની સારવાર બાદ તેઓ બ્રેઈન સ્ટોકમાંથી બહાર આવી શક્યા નહોતા. ત્યારે તેમના કિડની, લીવર જેવા અંગો સલામત હતા. ત્યારે તબીબોએ પરિવારજનોને અંગદાન કરવાની વાત કરી તેથી નાયર પરિવારે સંમંતિ આપતા હોસ્પિટલ દ્વારા પાંચ અંગોનું દાન આપવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
અમદાવાદ જાયડસ હોસ્પિટલમાં દર્દીઓને કીડની અને નવસારીના દર્દીઓને આંખોનું દાન અપાશે. રોડ માર્ગે પોલીસ દ્વારા તૈયાર કરાયેલ ગ્રીન કોરીડોર થકી ચાર કલાકમાં અંગો અમદાવાદ મોકલવાયા હતા. હરીયા રોટરી હોસ્પિટલને સરકાર માન્ય નેશનલ ઓર્ગન રીટ્રેવલ સેન્ટ્રલ તરીકે માન્યતા મળેલ છે. હોસ્પિટલ દ્વારા આ બીજુ અંગદાન કરવામાં આવ્યું હતું. અગાઉ ભાનુશાલી પરિવારે કર્યુહતું.