June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાત

ગિરિમથક સાપુતારામાં સનાતન ધર્મના આગેવાનો અને વી.એચ.પી. દ્વારા 251 દંપતિઓની હિંદુ ધર્મમાં વાપસી કરાઈ

ડાંગ વિસ્‍તારમાં ભોળા આદિવાસીઓને લાલચ આપી ખ્રિસ્‍તી મિશનરીઓ દ્વારા કરાઈ રહેલી ધર્માંતરણની પ્રવૃત્તિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30
ડાંગના સાપુતારા વિસ્‍તારમાં ખ્રિસ્‍તી મિશનરીઓ દ્વારા ભોળા આદિવાસીઓને લોભ-લાલચ આપી ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. તેવા વટલાયેલા 251 જેટલા પરિવારોનું વિશ્વ હિંદુ પરિષદ અને સનાતની સંસ્‍થાઓ-સંતો દ્વારા તવલેગીરી નાગેશ્વર મંદિરમાં યોજાયેલ કાર્યક્રમમાં હિંદુ ધર્મમાં ઘર વાપસી કરાવાઈ હતી.
અખિલ ભારતીય સનાતન ધર્મ પરિષદના અધ્‍યક્ષ યોગેશદાસ બાપુ, કેન્‍દ્રીય સહમંત્રી ધર્મેન્‍દ્ર ભવાની, દ.ગુ. પ્રાંત તેમજ યશોદાદીદીની અધ્‍યક્ષતામાંયોજાયેલ કાર્યક્રમમાં વી.એચ.પી.ના રાષ્‍ટ્રિય હોદ્દેદારોની ઉપસ્‍થિતિમાં 251 જોડાઓને ફરી તુલસી પૂજન સાથે સંસ્‍કૃતિ દિક્ષા હિન્‍દુધર્મમાં ઘરવાપસી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લો એટલે જંગલોથી ઘેરાયેલો તેમજ મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજ વસવાટ કરી રહેલ છે. જ્‍યાં વર્ષોથી ખ્રિસ્‍તી મિશનરીઓ ભોળા ડાંગના આદિવાસીઓને લોભ-લાલચો આપી ધર્માન્‍તરણ કરાવી રહ્યા છે. જેના અનેકવાર વિવાદો પણ ઉભા થતા રહે છે. સાધુ-સંતો-મહંતોના સાનિધ્‍યમાં શાષાોક્‍ત વિધિમાં ખ્રિસ્‍તી બનેલા આદિવાસીઓને જયશ્રી રામના મંત્ર સાથે હિંદુ ધર્મ અંગીકાર કરાવવામાં આવ્‍યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેલ્‍પલાઈન કાર્યરત કરાશે

vartmanpravah

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતીએ રન ફોર યુનિટી યોજાઈ

vartmanpravah

આજે સેલવાસના અટલભવન ખાતે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

પારડી ગોયમામાં સૂચિત પાવર સ્‍ટેશનના વિરોધમાં વાંસદાના ધારાસભ્‍યના ગામમાં ધામા

vartmanpravah

સેલવાસ ડિસ્‍ટ્રિક્‍ટ સેશન કોર્ટનો ચુકાદો સેલવાસમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્‍કૃત્‍ય કરનાર આરોપીને 20 વર્ષની કઠોર જેલ

vartmanpravah

Leave a Comment