Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને વલસાડજિલ્લા આપ દ્વારા ભાવભરી શ્રધ્‍ધાંજલી અપાઈ

જિલ્લાભરમાં રાજકીય-સામાજીક સ્‍તરેથી શ્રધ્‍ધાંજલી અર્પણ કરાઈ રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: ગત રવિવારે સૌરાષ્‍ટ્રના મોરબી શહેરમાં દુઃખદાયી કરૂણાંતિકા સર્જાઈ હતી. શહેરમાં આવેલ પીકનિક સ્‍પોર્ટ પર કાર્યરત ઝુલતો પુલ ક્ષણોમાં મત્‍સુ નદીમાં તૂટી ખાબકી પડયો હતો જેમાં 141 જેટલા પુરુષ-ષાીઓ-બાળકોનું ડૂબી જતા કરુણ મોત થયા છે. આ ગોઝારી ઘટનાને લઈ રાજ્‍યભરમાં શોક અને દુઃખનો માહોલ-માતમ છવાઈ જવા પામ્‍યો છે. દુર્ઘટનાના મૃતકોને ઠેર ઠેર શ્રધ્‍ધાંજલી અપાઈ રહી છે તે અંતર્ગત વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી (આપ) દ્વારા વલસાડ શહિદ ચોકમાં સોમવારે સાંજે મૃતકો માટે શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
વલસાડમાં આપ દ્વારા યોજાયેલ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં વલસાડ ભેઠકના આપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ રાજુભાઈ મરચાએ કાર્યકરો સાથે ઉપસ્‍થિત રહી જણાવ્‍યું હતું કે આ એક આઘાત જનક દુઃખદ ઘટના છે. આમાં કોઈ રાજકારણને સ્‍થાન ના હોઈ શકં પરંતુ દુર્ઘટનાના જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ એક માનવીય ભૂલ છે. પ્રશાસનિક ક્ષતિ છે. તેથી સેંકડો નિર્દોષજનો મોતને ભેટયા છે. મોરબી નહી પરંતુ સમગ્ર ગુજરાત માટે દુઃખદ ઘટના છે.

Related posts

દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઑફ એક્‍સેલન્‍સની ટ્રાયલ સિલેક્‍શન પ્રકિયાનું સમાપન

vartmanpravah

ચીખલી-ગણદેવી તાલુકામાં સિંચાઈ વિભાગ દ્વારા નહેરનું પાણી છોડતા ખેડૂતોમાં ખુશીની લહેર

vartmanpravah

વલસાડમાં મંગળવારે સવારે ધોધમાર કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા એક્‍સિસ બેન્‍ક ખાતે બાળ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલીના થાલામાં લોકો જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા ગ્રામ પંચાયત દ્વારા સીસીટીવી કેમેરા લગાવાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ત્રિ-દિવસીય દાનહ મુલાકાતના સમાપન બાદ દાનહના કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોને ગતિઅને નવી યોજનાને મળનારો ઓપ

vartmanpravah

Leave a Comment