October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને વલસાડજિલ્લા આપ દ્વારા ભાવભરી શ્રધ્‍ધાંજલી અપાઈ

જિલ્લાભરમાં રાજકીય-સામાજીક સ્‍તરેથી શ્રધ્‍ધાંજલી અર્પણ કરાઈ રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: ગત રવિવારે સૌરાષ્‍ટ્રના મોરબી શહેરમાં દુઃખદાયી કરૂણાંતિકા સર્જાઈ હતી. શહેરમાં આવેલ પીકનિક સ્‍પોર્ટ પર કાર્યરત ઝુલતો પુલ ક્ષણોમાં મત્‍સુ નદીમાં તૂટી ખાબકી પડયો હતો જેમાં 141 જેટલા પુરુષ-ષાીઓ-બાળકોનું ડૂબી જતા કરુણ મોત થયા છે. આ ગોઝારી ઘટનાને લઈ રાજ્‍યભરમાં શોક અને દુઃખનો માહોલ-માતમ છવાઈ જવા પામ્‍યો છે. દુર્ઘટનાના મૃતકોને ઠેર ઠેર શ્રધ્‍ધાંજલી અપાઈ રહી છે તે અંતર્ગત વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી (આપ) દ્વારા વલસાડ શહિદ ચોકમાં સોમવારે સાંજે મૃતકો માટે શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
વલસાડમાં આપ દ્વારા યોજાયેલ શ્રધ્‍ધાંજલી કાર્યક્રમમાં વલસાડ ભેઠકના આપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ રાજુભાઈ મરચાએ કાર્યકરો સાથે ઉપસ્‍થિત રહી જણાવ્‍યું હતું કે આ એક આઘાત જનક દુઃખદ ઘટના છે. આમાં કોઈ રાજકારણને સ્‍થાન ના હોઈ શકં પરંતુ દુર્ઘટનાના જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આ એક માનવીય ભૂલ છે. પ્રશાસનિક ક્ષતિ છે. તેથી સેંકડો નિર્દોષજનો મોતને ભેટયા છે. મોરબી નહી પરંતુ સમગ્ર ગુજરાત માટે દુઃખદ ઘટના છે.

Related posts

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

પોર્ટુગલ હવે કાયદાને આધાર બનાવીને ભારતને લડત આપવા માગતું હતું

vartmanpravah

તાલિબાન સરકારનું ગઠનમાં ૬ દેશોને આમંત્રણઃ ભારત બાકાત

vartmanpravah

વાપી બલીઠા અવેક્ષા 21st સેન્ચ્યુરી કેન્સર કેર સેન્ટર ખાતે ફેફસાંના ગાંઠની શસ્ત્રક્રિયામાં મળેલી ચમત્કારિક સફળતા

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાનનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

આખરે દાનહના ખરડપાડા ખાતે આદિવાસીના ઘર ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

Leave a Comment