Vartman Pravah
Breaking Newsગુજરાત

એલ. એન્‍ડ ટી. કંપની હજીરા તથા મહાકાલ એજ્‍યુકેશન ગૃપ દ્વારા અનોખું આયોજન: ‘સર્વ ધર્મ સમભાવ’ની ભાવના સાથે ધનશેર પ્રાથમિક શાળામાં આનંદોત્‍સવ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
હાંસોટ, તા.05 : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ધનશેર પ્રાથમિક શાળા ખાતે શાળાનાં બાળકોમાં સર્વ ધર્મ સમભાવની ભાવના કેળવાય તે હેતુથી એલ. એન્‍ડ ટી. કંપની હજીરા (સુરત) તથા મહાકાલ એજયુકેશન ગૃપનાં સહયોગથી તાજેતરનાં નાતાલ પર્વની ઉજવણીનાં ભાગરૂપે શાળામાં આનંદોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે શાળાનાં બાળકોને નાતાલ પર્વનું મહત્‍વ સમજાવવામાં આવ્‍યું હતું. બાળકોએ ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરી વિવિધ ગીતો પર ડાન્‍સ કર્યો હતો. સાથે જ સૌ જુદી જુદી રમતો રમ્‍યા હતાં. સાન્‍તાક્‍લોઝદ્વારા બાળકોને વિવિધ ગિફટ પણ આપવામાં આવી હતી.
આ ઉત્‍સાહભર્યા માહોલમાં શાળાનાં તમામ બાળકોએ સ્‍વાદિષ્ટ મિસળપાંવની જયાફત માણી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં આચાર્ય રસિક રાઠોડ સહિત સ્‍ટાફગણે જહેમત ઉઠાવી હતી. શાળા વ્‍યવસ્‍થાપન સમિતિનાં અધ્‍યક્ષ કાંતિભાઈ પટેલે અંતમાં આભારવિધિ આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચારપ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનને વધાવવા તૈયારીને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ખખડધજ બનેલા મુખ્‍ય રસ્‍તાઓના નવીનિકરણના કામનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

દમણના કચીગામ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના ચૌપાલ (ચોતરા) બેઠક યોજાઈ

vartmanpravah

નવા મતદાતાઓને મતદાર યાદીમાં નામ નોંધવા પ્રેરિત કરવા દમણ જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા યોજાયેલ સાયકલ રેલીઃ મામલતદાર સાગર ઠક્કરે કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

મહાશિવરાત્રી નિમિત્તે દાનહઃ બિન્‍દ્રાબિન તડકેશ્વર મહાદેવના મંદિરે પ્રદેશ ભાજપપ્રભારી તથા પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને મહાનુભાવોએ પૂજા-અર્ચના સાથે કરેલો જળાભિષેક

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે ‘‘વિદ્યારંભ” કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment