Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી આદર્શ સ્‍ટેશન જાહેર ખૂટતી અસુવિધા પુરી કરવા રેલવે અને જન પ્રતિનિધિઓનું મનોમંથન: રેલવે કે.પી.એ.સી. સભ્‍ય, ઝોનલ સભ્‍ય, રેલવે અધિકારીઓ અને સલાહકાર સમિતિની મિટિંગ યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30
વાપી રેલવે સ્‍ટેશનને આદર્શ રેલવે સ્‍ટેશન જાહેર કરવામાં આવ્‍યું છે. બુધવારે સાંજના રેલવે કે.પી.એ.સી સદસ્‍ય, છોટુભાઈ પાટીલ, ઝોનલ કમીટી મેમ્‍બર અંબાલાલ બાબરીયા, વરિષ્‍ઠ રેલવે અધિકારીઓ, જનપ્રતિનિધિઓની, રેલવે સલાહકાર સમિતિની મીટીંગ યોજાઈ હતી. સ્‍ટેશન નિરિક્ષણ સાથે સાથે ખુટતી અસુવિધાઓને પુરી કરવાની જાહેરાત કરવમાં અવી હતી.
વાપી રેલવે સ્‍ટેશનને આદર્શ સ્‍ટેશન જાહેર કરવાની સાથે અધિકારીઓએ ભવિષ્‍યની યોજનાઓ અંગે મીટીંગમાં માહિતી આપી હતી. મીટીંગમાં જનપ્રતિનિધિઓના સુજાવ ગ્રાહય રખાયા હતા. પાલિકા પ્રમુખ કાશ્‍મિરાબેન શાહે ફાટક ઉપર બની રહેલ અંડરપાસને ચોમાસા પહેલા પુર્ણ કરવા સાથે પૂર્વ દિશામાં યાત્રી સુવિધા માટે ટોયલેટ બ્‍લોક માટે જમીન ફાળવણી માંગણી કરી હતી. સલાહકાર સમિતિના સભ્‍ય બી.કે.દાયમાએ પ્‍લેટફોમ બદલતી વખતે યાત્રિકોને પડતી અસુવિધા ઓટોમેટીક સીડી જેવા કામો જલદી પુરી કરવા રજૂઆત કરી હતી. મીટીંગ 2પ હજારયાત્રીઓનું રોજ આવાગમન વાળા સ્‍ટેશન ઉપર અધિકૃત કુલીઓ નથી તેથી મનમાની થઈ રહી છે. અગ્રવાલ સમિતિની મહિલાઓએ મહિલાઓ માટે અલગ પ્રતિક્ષાલયની માંગણી કરી હતી. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, તમામ કામો જુન પહેલા પુરા થઈ જશે. મીટીંગમાં ઝોનલ સદસ્‍ય, રાજઘોર, રેલવે એ.આર.ડી. એમ અજય શર્મા સહિત ઉચ્‍ચ અધિકાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. ગુરુ અને શુક્રવારે અધિકાઓ ભિલાડ-ઉમરગામ સ્‍ટેશનની પણ વિઝીટ કરનાર છે.

Related posts

ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના હસ્‍તે કપરાડામાં નવનિર્મિત કમલ ગર્લ્‍સ હોસ્‍ટેલનું લોકાર્પણ કરાયું

vartmanpravah

સેલવાસની એક સંસ્‍થાએ 9 લાખના ખર્ચે તૈયાર કરાયેલ મોક્ષ રથ સેવા શરૂ કરી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્‍મસવાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્‍યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંશિક ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

vartmanpravah

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં દાનહ કોંગ્રેસે કરેલો ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ’

vartmanpravah

ચીખલીમાં ધોળા દિવસે આમધરા ગામના શખ્‍સનું ધ્‍યાન ભટકાવી રોકડ રકમ ભરેલ બેગ તફડાવીને ગઠિયા ફરાર

vartmanpravah

દીવ બીજેપી સિનિયર નેતા શાંતિલાલ સોલંકીના ઘરે ગણપતિ બાપ્‍પાના આગમનથી બીજેપી હોદેદારોએ કર્યા દર્શન

vartmanpravah

Leave a Comment